SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ કરજે, વર્ષ ૧૭ મા પહેલાં ૩૬ અઘેર કર્મ કરવામાં આજે તારે પડવું હોય તે રાજપુત્ર છે તે પણ ભિક્ષાચરી માન્ય કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. ૩૭ ભાગ્યશાલી હો તે તેના આનંદમાં બીજાને ભાગ્યશાલી કરજે, પરંતુ દુર્ભાગ્યશાલી હો તે અન્યનું બૂરું કરતાં કાઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. ૩૮ ધર્માચાર્ય છે તે તારા અનાચાર ભણી કટાક્ષદ્રષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. ૩૯ અનુચર હો તે પ્રિયમાં પ્રિય એવા શરીરના નિભાવનાર તાર અધિરાજની નિમકહલાલી ઈચ્છી આજના દિવસમાં પ્રવેશ કરજે. ૪૦ દુરાચારી હો તે તારી આરોગ્યતા, ભય, પરતંત્રતા, સ્થિતિ અને સુખ એને વિચારી આજના દિવસમાં પ્રવેશ કરજે. ૪૧ દુઃખી હો તે (આજની આજીવિકા જેટલી આશા રાખી આજના દિવસમાં પ્રવેશ કરજે. - ૪૨ ધર્મકરણને અવશ્ય વખત મેળવી આજની વ્યવહારસિદ્ધિમાં તું પ્રવેશ કરજે. ૪૩ કદાપિ પ્રથમ પ્રવેશે અનુકૂળતા ન હોય તે પણ રેજ જતા દિવસનું સ્વરૂપ વિચારી આજે ગમે ત્યારે પણ તે પવિત્ર વસ્તુનું મનન કરજે. ૪૪ આહાર, વિહાર, નિહાર એ સંબંધીની તારી પ્રક્રિયા તપાસી આજના દિવસમાં પ્રવેશ ૪પ તે કારીગર હો તે આળસ અને શક્તિના ગેરઉપગને વિચાર કરી જઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. ૪૬ તું ગમે તે ધંધાર્થી હો, પરંતુ આજીવિકાથે અન્યાયસંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરીશ નહીં. ૪૭ એ સ્મૃતિ ગ્રહણ કર્યા પછી શૌચક્રિયાયુક્ત થઈ ભગવદ્ભક્તિમાં લીન થઈ ક્ષમાપના યાચ. ૪૮ સંસારપ્રજનમાં જો તું તારા હિતને અર્થે અમુક સમુદાયનું અહિત કરી નાખતે હો તે અટકજે. ૪ જુલમીને, કામીને, અનાડીને ઉત્તેજન આપતે હો તે અટક. ૫૦ ઓછામાં ઓછો પણ અર્ધ પ્રહર ધર્મકર્તવ્ય અને વિદ્યાસંપત્તિમાં ગ્રાહ્ય કરજે. ૫૧ જિંદગી ટૂંકી છે, અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કરે તે સુખરૂપે જિંદગી લાંબી લાગશે. પર સ્ત્રી, પુત્ર, કુટુંબ, લક્ષમી ઇત્યાદિ બધાં સુખ તારે ઘેર હોય તે પણ એ સુખમાં ગૌણતાએ દુઃખ રહ્યું છે એમ ગણું આજના દિવસમાં પ્રવેશ કર. ૫૩ પવિત્રતાનું મૂળ સદાચાર છે. ૫૪ મન દેરંગી થઈ જતું જાળવવાને,– ૫૫ વચન શાંત, મધુર, કમળ, સત્ય અને શૌચ બલવાની સામાન્ય પ્રતિજ્ઞા લઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. પદ કાયા મળમૂત્રનું અસ્તિત્વ છે, તે માટે “હું આ શું અગ્ય પ્રયજન કરી આનંદ માનું છું” એમ આજે વિચારજે. ૫૭ તારે હાથે કેઈની આજીવિકા આજે તૂટવાની હોય તે, ૫૮ આહારક્રિયામાં હવે તે પ્રવેશ કર્યો. મિતાહારી અકબર સર્વોત્તમ બાદશાહ ગણાય. પ૯ જે આજે દિવસે તને સૂવાનું મન થાય, તે તે વખતે ઈશ્વરભક્તિપરાયણ થજે, કે સતશાસ્ત્રને લાભ લઈ લેજે. વારજ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy