SearchBrowseAboutContactDonate
Page Preview
Page 799
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૦ શ્રીમદ્ રાજચંદ્ર ૯ વડવા, ભાદ્રપદ સુદ ૧૩, શનિ, ૧લ્પર શ્રી વલ્લભાચાર્ય કહે છે કે શ્રીકૃષ્ણ ગેપી સાથે વર્તતા હતા, તે જાણીને ભક્તિ કરે. યોગી જાણીને તે આખું જગત ભક્તિ કરે છે પણ ગૃહસ્થાશ્રમમાં ગદશા છે તે જાણીને ભક્તિ કરવી એ વૈરાગ્યનું કારણ છે. ગૃહસ્થાશ્રમમાં પુરુષ રહે છે તેને ચિત્રપટ જોઈ વિશેષ વૈરાગ્યની પ્રતીતિ થાય છે. યોગદશાને ચિત્રપટ જોઈ આખા જગતને વૈરાગ્યની પ્રતીતિ થાય પણ ગૃહસ્થાશ્રમમાં રહેતા છતાં ત્યાગ વૈરાગ્ય યોગદશા જેવાં રહે છે એ કેવી અદ્દભુત દશા છે! યુગમાં જે વૈરાગ્ય રહે તે અખંડ વૈરાગ્ય સપુરુષ ગૃહસ્થાશ્રમમાં રાખે છે. તે અદ્ભુત વૈરાગ્ય જોઈ મુમુક્ષને સગ્ય, ભક્તિ થવાનું નિમિત્ત બને છે. લૌકિક દ્રષ્ટિમાં વૈરાગ્ય, ભક્તિ નથી. પુરુષાર્થ કરવાનું, અને સત્ય રીતે વર્તવાનું ધ્યાનમાં જ આવતું નથી. તે તે લેકે ભૂલી જ ગયા છે. માણસે વરસાદ આવે ત્યારે પાણી ટાંકામાં ભરી રાખે છે, તેમ મુમુક્ષ છે આટલે આટલે ઉપદેશ સાંભળીને જરાય ગ્રહણ કરતા નથી, તે એક આશ્ચર્ય છે. તેને ઉપકાર કેવી રીતે થાય? સત્પષની વર્તમાન સ્થિતિની વિશેષ અદ્ભુત દશા છે. ગૃહસ્થાશ્રમની બધી સ્થિતિ સપુરુષની પ્રશસ્ત છે. બધા જોગ પૂજવા ગ્ય છે. જ્ઞાનીઓ દેષ ઘટાડવા માટે અનુભવનાં વચને કહે છે, માટે તેવાં વચનનું સ્મરણ કરી જે તે સમજવામાં આવે, શ્રવણ મનન થાય, તે સહેજે આત્મા ઉજજ્વલ થાય. તેમ કરવામાં કાંઈ બહુ મહેનત નથી. તેવાં વચનને વિચાર ન કરે, તે કઈ દિવસ પણ દોષ ઘટે નહીં. દાચાર સેવવા જોઈએ. જ્ઞાનીપરાએ દયા, સત્ય, અદત્તાદાન, બ્રહ્મચર્ય, પરિગ્રહ પરિમાણ વગેરે સદાચાર કહેલા છે. જ્ઞાનીઓએ જે સદાચારે સેવવા કહેલ છે તે યથાર્થ છે. સેવવા યેગ્ય છે. વગર સાક્ષીએ જીવે વ્રત, નિયમ કરવાં નહીં. વિષયકષાયાદિ દોષ ગયા વિના સામાન્ય આશયવાળાં દયા વગેરે આવે નહીં તે પછી ઊંડા આશયવાળાં દયા વગેરે કયાંથી આવે? વિષયકષાયસહિત મોક્ષે જવાય નહીં. અંતઃકરણની શુદ્ધિ વિના આત્મજ્ઞાન થાય નહીં. ભક્તિ એ સર્વ દેષને ક્ષય કરવાવાળી છે માટે તે સર્વોત્કૃષ્ટ છે. જીવે વિકલ્પના વ્યાપાર કરવા નહીં. વિચારવાન અવિચારણું અને અકાર્ય કરતાં ક્ષોભ પામે. અકાર્ય કરતાં જે ક્ષોભ ન પામે તે અવિચારવાન. અકાર્ય કરતાં પ્રથમ જેટલે ત્રાસ રહે છે તેટલે બીજી ફેરે કરતાં રહેતા નથી માટે પ્રથમથી જ અકાર્ય કરતાં અટકવું, દ્રઢ નિશ્ચય કરી અકાર્ય કરવું નહીં. સપુરુષે ઉપકારઅર્થે જે ઉપદેશ કરે છે તે શ્રવણ કરે, ને વિચારે તે જીવના દે અવશ્ય ઘટે. પારસમણિને સંગ થયે, ને લેઢાનું સુવર્ણ ન થયું તે કાં તે પારસમણિ નહીં, અને કાં તે ખરું લેતું નહીં. તેવી જ રીતે જે ઉપદેશથી સુવર્ણમય આત્મા ન થાય તે ઉપદેષ્ટા કાં તે સારવું નહીં, અને કાં તે સામે માણસ ચગ્ય જીવ નહીં. થગ્ય જીવ અને ખરા સત્પરુષ હોય તે ગુણે પ્રગટ્યા વિના રહે નહીં. લૌકિક આલંબન ન જ કરવાં. જીવ પિતે જાગે તે બધાં વિપરીત કારણે મટી જાય. જેમ કઈ પુરુષ ઘરમાં નિદ્રાવશ થવાથી તેને ઘરમાં કૂતરાં, બિલાડાં વગેરે પસી જવાથી નુકસાન કરે, અને પછી તે પુરુષ જાગ્યા પછી નુકસાન કરનારાં એવાં જે કૂતરાં આદિ પ્રાણુઓ તેને દેષ કાઢે પણ પિતાને દેષ કાઢતે નથી કે હું ઊંઘી ગયે તે આમ થયું; તેમ જીવ પિતાના દોષ જોત નથી. પોતે જાગૃત રહેતું હોય, તે બધાં વિપરીત કારણે મટી જાય; માટે પોતે જાગૃત રહેવું. જીવ એમ કહે છે કે મારા તૃષ્ણા, અહંકાર, લેભ આદિ દોષો જતા નથી; અર્થાત્ જીવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy