SearchBrowseAboutContactDonate
Page Preview
Page 795
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૬ શ્રીમદ્ રાજચંદ્ર નહીં. ખાટી ભ્રાંતિ થાય તે શંકા. ખેાટી પ્રતીતિ તે અનંતાનુબંધીમાં સમાય. અણસમજણે દોષ જુએ તા તે સમજણુના દોષ, પણ સમકિત જાય નહીં; પણુ અણુપ્રતીતિએ દોષ જુએ તે મિથ્યાત્વ. ક્ષયાપશમ એટલે નાશ અને શમાઈ જવું. ७ રાળજની ભાગાળે વડ નીચે આ જીવે શું કરવું ? સત્સમાગમમાં આવી સાધન વગર રહી ગયા એવી કલ્પના મનમાં થતી હાય અને સત્તમાગમમાં આવવાનું થાય ત્યાં આજ્ઞા, જ્ઞાનમાર્ગ આરાધે તે અને તે રસ્તે ચાલે તા જ્ઞાન થાય. સમજાય તે આત્મા સહજમાં પ્રગટે; નહીં તેા જિંૠગી જાય તેય પ્રગટે નહીં. માહાત્મ્ય સમજાવું જોઇએ. નિષ્કામબુદ્ધિ અને ભક્તિ જોઈએ. અંતઃકરણની શુદ્ધિ થાય તેા જ્ઞાન એની મેળે થાય. જ્ઞાનીને એળખાય તે જ્ઞાનપ્રાપ્તિ થાય. કોઈ જીવ યાગ્ય દેખે તે જ્ઞાની તેને કહે કે બધી કલ્પના મૂકવા જેવી છે. જ્ઞાન લે. જ્ઞાનીને ઘસંજ્ઞાએ એળખે તેા યથાર્થ જ્ઞાન થતું નથી. ભક્તિની રીતિ જાણી નથી. આજ્ઞાભક્તિ થઈ નથી, ત્યાં સુધી આજ્ઞા થાય ત્યારે માયા ભૂલવે છે. માટે જાગૃત રહેવું. માયાને દૂર કરતા રહેવું. જ્ઞાની બધી રીત જાણે છે. જ્યારે જ્ઞાનીના ત્યાગ (દૃઢ ત્યાગ) આવે અર્થાત્ જેવા જોઈએ તેવા યથાર્થ ત્યાગ કરવાનું જ્ઞાની કહે ત્યારે માયા ભૂલવી દે છે; માટે ત્યાં ખરાખર જાગૃત રહેવું; જ્ઞાની મળ્યા ત્યારથી તૈયાર થઈ રહેવું; ભેડ બાંધી તૈયાર થઈ રહેવું. સત્સંગ થાય ત્યારે માયા વેગળી રહે છે; અને સત્સંગના યેાગ મટ્યો કે પાછી તૈયાર ને તૈયાર ઊભી છે. માટે માહ્યઉપાધિ ઓછી કરવી. તેથી સત્સંગ વિશેષ થાય છે. આ કારણથી બાહ્યત્યાગ શ્રેષ્ઠ છે. ખાહ્યત્યાગમાં જ્ઞાનીને દુઃખ નથી; અજ્ઞાનીને દુઃખ છે. સમાધિ કરવા સારુ સદાચરણુ સેવવાનાં છે. ખાટા રંગ તે ખાટા રંગ છે. સાચા રંગ સદા રહે છે. જ્ઞાનીને મળ્યા પછી દેહ છૂટી ગયા, (દેહ ધારણ કરવાનું ન રહે) એમ સમજવું. જ્ઞાનીનાં વચના પ્રથમ કડવાં લાગે છે, પણ પછી જણાય છે કે જ્ઞાનીપુરુષ સંસારનાં અનંત દુઃખા મટાડે છે. જેમ એસડ કડવું છે, પણ ઘણા વખતના રોગ મટાડે છે તેમ, ત્યાગ ઉપર હમેશાં લક્ષ રાખવા. ત્યાગ મેળા રાખવા નહીં. શ્રાવકે ત્રણ મનેારથ ચિતવવા. સત્યમાર્ગને આરાધન કરવા માટે માયાથી દૂર રહેવું. ત્યાગ કર્યાં જ કરવા. માયા કેવી રીતે ભૂલવે છે તે પ્રત્યે દૃષ્ટાંત : કોઈ એક સંન્યાસી હશે તે એમ કહ્યા કરે કે હું માયાને ગરવા દઉં જ નહીં. નગ્ન થઈને વિચરીશ? ત્યારે માયાએ કહ્યું કે હું તારી આગળ ને આગળ ચાલીશ’‘જંગલમાં એકલા વિચરીશ' એમ સંન્યાસીએ કહ્યું ત્યારે માયા કહે કે, હું સામી થઈશ? સંન્યાસી પછી જંગલમાં રહેતા. અને કાંકરા કે રેતી બેઉ સરખાં છે એમ કહી રેતી પર સૂતા. પછી માયાને કહ્યું કે ‘તું કયાં છે ? માયાએ જાણ્યું કે આને ગર્વ બહુ ચઢ્યો છે એટલે કહ્યું કે ‘મારે આવવાનું શું કામ છે? મારા મોટા પુત્ર અહંકાર તારી હજૂરમાં મૂકેલા હતા માયા આ રીતે છેતરે છે. માટે જ્ઞાની કહે છે કે, હું બધાથી ન્યારા છું, સર્વથા ત્યાગી થયે છું; અવધૂત છું, નગ્ન છું; તપશ્ચર્યા કરું છું. મારી વાત અગમ્ય છે. મારી દશા બહુ જ સારી છે. માયા મને નડશે નહીં, એવી માત્ર કલ્પનાએ માયાથી છેતરાવું નહીં. જરા સમતા આવે કે અહંકાર આવીને ભુલાવે છે કે ‘હું સમતાવાળા છું’માટે ઉપયેગ જાગૃત રાખવા. માયાને શેખી શેાધીને જ્ઞાનીએ ખરેખર જીતી છે. ભક્તિરૂપી સ્ત્રી છે. તેને માયા સામી મૂકે ત્યારે માયાને જિતાય. ભક્તિમાં અહંકાર નથી માટે માયાને જીતે. આજ્ઞામાં અહંકાર નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy