SearchBrowseAboutContactDonate
Page Preview
Page 789
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર આ જીવની અનાદિકાળની જે ભૂલ છે તે ભાંગવી છે. ભાંગવા સારુ જીવની મેટામાં મેટી ભૂલ શું છે તેના વિચાર કરવા, ને તેનું મૂળ દવા ભણી લક્ષ રાખવા. જ્યાં સુધી મૂળ રહે ત્યાં સુધી વધે. મને શાથી બંધન થાય છે? ’ અને તે શાથી ટળે ? ' એ જાણવા સારુ શાઓ કરેલાં છે, લેાકેામાં પુજાવા સારુ શાસ્ત્રો કરેલાં નથી. ૭૦૦ જીવનું સ્વરૂપ શું છે? જીવનું સ્વરૂપ જ્યાં સુધી જાણવામાં ન આવે, ત્યાં સુધી અનંતાં જન્મમરણ કરવાં પડે. જીવની શું ભૂલ છે તે હજી સુધી ધ્યાનમાં આવતી નથી. જીવના ક્લેશ ભાંગશે તે ભૂલ મટશે. જે દિવસે ભૂલ ભાંગશે તે જ દિવસથી સાધુપણું કહેવાશે. તેમ જ શ્રાવકપણા માટે સમજવું. કર્મની વર્ગણા જીવને દૂધ અને પાણીના સંયેગની પેઠે છે. અગ્નિના પ્રયાગથી પાણી ચાલ્યું જઈ દૂધ બાકી રહે છે તે રીતે જ્ઞાનરૂપી અગ્નિથી કર્મવર્ગણા ચાલી જાય છે. દેહને વિષે હુંપણું મનાયેલું છે તેથી જીવની ભૂલ ભાંગતી નથી. જીવ દેહની સાથે ભળી જવાથી એમ માને છે કે હું વાણિયા છું', બ્રાહ્મણુ છું', પણ શુદ્ધ વિચારે તે તેને શુદ્ધ સ્વરૂપમય છું' એમ અનુભવ થાય. આત્માનું નામઠામ કે કાંઈ નથી એમ ધારે તે કાઈ ગાળે વગેરે દે તે તેથી તેને કંઈ પણ લાગતું નથી. જ્યાં જ્યાં જીવ મારાપણું કરે છે ત્યાં ત્યાં તેની ભૂલ છે. તે ટાળવા સારુ શાસ્ત્રો કહ્યાં છે. ગમે તે કોઇ મરી ગયું હોય તેના જો વિચાર કરે તો તે વૈરાગ્ય છે. જ્યાં જ્યાં આ મારાં ભાઇભાંડું વગેરે ભાવના છે ત્યાં ત્યાં કર્મબંધનો હેતુ છે. આ જ રીતે સાધુ પણ ચેલા પ્રત્યે રાખે, તે આચાર્યપણું નાશ પામે. નિર્દેભપણું, નિરહંકારપણું કરે તે આત્માનું કલ્યાણું જ થાય. પાંચ ઇન્દ્રિય શી રીતે વશ થાય ? વસ્તુઓ ઉપર તુચ્છભાવ લાવવાથી. ફૂલના દૃષ્ટાંતે ફૂલમાં સુગંધ હોય છે તેથી મન સંતુષ્ટ થાય છે; પણ સુગંધ થાડી વાર રહી નાશ પામી જાય છે, અને ફૂલ કરમાઈ જાય છે, પછી કાંઈ મનને સંતાષ થતા નથી; તેમ સર્વ પદાર્થને વિષે તુચ્છભાવ લાવવાથી ઇન્દ્રિયાને પ્રિયતા થતી નથી, અને તેથી ક્રમે ઇન્દ્રિયે વશ થાય છે. વળી પાંચ ઇન્દ્રિયામાં પણ જિહ્વાઇદ્રિય વશ કરવાથી ખાકીની ચાર છિદ્રા સહેજે વશ થાય છે. તુચ્છ આહાર કરવા, કોઈ રસવાળા પદાર્થમાં દોરાવું નહીં, બલિષ્ઠ આહાર ન કરવા. એક ભાજનમાં લાહી, માંસ, હાડકાં, ચામડું, વીર્ય, મળ, મૂત્ર એ સાત ધાતુ પડી હાય; અને તેના પ્રત્યે કોઈ જોવાનું કહે તેા તેના ઉપર અરુચિ થાય, ને થૂંકવા પણ જાય નહીં. તેવી જ રીતે સ્રીપુરુષનાં શરીરની રચના છે, પણ ઉપરની રમણીયતા જોઇ જીવ મેહ પામે છે અને તેમાં તૃષ્ણાપૂર્વક દેરાય છે. અજ્ઞાનથી જીવ ભૂલે છે એમ વિચારી, તુચ્છ જાણીને પદાર્થ ઉપર અરુચિભાવ લાવવા. આ રીતે દરેક વસ્તુનું તુચ્છપણું જાણવું. આ રીતે જાણીને મનના નિરોધ કરવા, તીર્થંકરે ઉપવાસ કરવાની આજ્ઞા કરી છે તે માત્ર દ્રિચાને વશ કરવા માટે. એકલા ઉપવાસ કરવાથી દ્રિયા વશ થતી નથી; પણ ઉપયેગ હાય તા, વિચારસહિત થાય તે વશ થાય છે. જેમ લક્ષ વગરનું ખાણુ નકામું જાય છે, તેમ ઉપયેગ વિનાના ઉપવાસ આત્માર્થે થતા નથી. -: આપણે વિષે કઈ ગુણ પ્રકટ્યો હોય, અને તે માટે જે કોઈ માણસ આપણી સ્તુતિ કરે, અને જો તેથી આપણા આત્મા અહંકાર લાવે તે તે પાછે હઠે. પોતાના આત્માને નિંદે નહીં, અત્યંતરદોષ વિચારે નહીં, તેા જીવ લૌકિક ભાવમાં ચાલ્યા જાય; પણ જો પેાતાના દોષ જુએ, પોતાના આત્માને નિંદે, અહંભાવરહિતપણું વિચારે, તે સત્પુરુષના આશ્રયથી આત્મલક્ષ થાય. માર્ગ પામવામાં અનંત અંતરાયા છે. તેમાં વળી ‘મેં આ કર્યું', મેં આ કેવું સરસ કર્યું ?' એવા પ્રકારનું અભિમાન છે. મેં કાંઈ કર્યું જ નથી” એવી દ્રષ્ટિ મૂકવાથી તે અભિમાન દૂર થાય. લૌકિક અને અલૌકિક એવા એ ભાવ છે. લૌકિકથી સંસાર, અને અલૌકિકથી મોક્ષ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy