SearchBrowseAboutContactDonate
Page Preview
Page 787
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯૮ શ્રીમદ્ રાજચંદ્ર મિથ્યાત્વથી, સંશયથી કર્યા છે એમ કહ્યું છે. આ વચને બહુ જ ભારે નાંખ્યાં છે, ત્યાં આગળ ઘણે જ વિચાર કરી પાછું વર્ણન કર્યું છે કે અન્ય દર્શને, વેદાદિના ગ્રંથ છે તે જે સમ્યગૃષ્ટિ જીવ વાંચે તે સમ્યક રીતે પરિણમે; અને જિનના અથવા ગમે તેવા ગ્રંથે મિથ્યાવૃષ્ટિ વાંચે તો મિથ્યાત્વરૂપે પરિણમે. જીવને જ્ઞાનીપુરુષસમીપે તેમનાં અપૂર્વ વચન સાંભળવાથી અપૂર્વ ઉલ્લાસ પરિણામ આવે છે, પણ પછી પ્રમાદી થતાં અપૂર્વ ઉલ્લાસ આવતું નથી. જેમ અગ્નિની સગડી પાસે બેઠા હોઈએ ત્યારે ટાઢ વાય નહીં, અને સગડીથી વેગળા ગયા એટલે પછી ટાઢ વાય; તેમ જ્ઞાનીપુરુષસમીપ તેમનાં અપૂર્વ વચને સાંભળ્યાં ત્યારે પ્રમાદાદિ જાય, અને ઉલ્લાસ પરિણામ આવે, પણ પછી પ્રમાદાદિ ઉત્પન્ન થાય. જો પૂર્વના સંસ્કારથી તે વચને અંતર્પરિણામ પામે તે દિનપ્રતિદિન ઉલ્લાસ પરિણામ વધતાં જાય; અને યથાર્થ રીતે ભાન થાય. અજ્ઞાન મચ્ચે બધી ભૂલ મટે, સ્વરૂપ જાગૃતમાન થાય. બહારથી વચન સાંભળીને અંતર્પરિણામ થાય નહીં, તે જેમ સગડીથી વેગળા ગયા એટલે ટાઢ વાય તેની પેઠે દેષ ઘટે નહીં. કેશીસ્વામીએ પરદેશી રાજાને બોધ દેતી વખતે “જડ જે”, “મૂઢ જે', કહ્યો હતો તેનું કારણ પરદેશી રાજાને વિષે પુરુષાર્થ જગાડવા માટેનું હતું. જડપણું, મૂઢપણું મટાડવાને માટે ઉપદેશ દીધું છે. જ્ઞાનીનાં વચને અપૂર્વ પરમાર્થ સિવાય બીજા હેતુએ હોય નહીં. બાલજી એમ વાતે કરે છે કે છદ્મસ્થપણથી કેશીસ્વામી પરદેશી રાજા પ્રત્યે તેમ બોલ્યા હતા; પણ એમ નથી. તેમની પરમાર્થ અર્થે જ વાણું નીકળી હતી. જડપદાર્થને લેવા-મૂકવામાં ઉન્માદથી વર્તે તે તેને અસંયમ કહ્યો; તેનું કારણ એ છે કે ઉતાવળથી લેવામૂકવામાં આત્માને ઉપગ ચૂકી જઈ તાદાભ્યપણું થાય. આ હેતુથી ઉપગ ચૂકી જ તેને અસંયમ કહ્યો. મુહપત્તી બાંધીને જૂઠું બેલે, અહંકારે આચાર્યપણું ધારી દંભ રાખે અને ઉપદેશ દે તે પાપ લાગે; મુહપત્તીની જયણથી પાપ અટકાવી શકાય નહીં. માટે આત્મવૃત્તિ રાખવા ઉપયોગ રાખો. જ્ઞાનીના ઉપકરણને અડવાથી કે શરીરને સ્પર્શ થવાથી આશાતના લાગે એમ માને છે પણ વચનને અપ્રધાન કરવાથી તે વિશેષ દેષ લાગે છે તેનું તે ભાન નથી. માટે જ્ઞાનીની કોઈ પણ પ્રકારે આશાતના ના થાય તેવો ઉપયોગ જાગૃત જાગૃત રાખી ભક્તિ પ્રગટે તે તે કલ્યાણને મુખ્ય માર્ગ છે. - શ્રી આચારાંગ સૂત્ર મધ્યે કહ્યું છે કે “આસવા તે પરિસ્ટવા, ને જે “પરિસવા તે આસવા.” આસવ છે તે જ્ઞાનીને મોક્ષના હેતુ થાય છે. અને જે સંવર છે, છતાં તે અજ્ઞાનીને બંધના હેતુ થાય છે એમ પ્રગટ કહ્યું છે. તેનું કારણ જ્ઞાનીને વિષે ઉપગની જાગૃતિ છે; અને અજ્ઞાનીને વિષે નથી. ઉપગ બે પ્રકારે કહ્યા :– ૧. દ્રવ્યઉપગ, ૨. ભાવઉપગ. દ્રવ્યજીવ; ભાવજીવ. દ્રવ્યજીવ તે દ્રવ્ય મૂળ પદાર્થ છે. ભાવજીવ તે આત્માને ઉપગ–ભાવ છે. ભાવજીવ એટલે આત્માને ઉપગ જે પદાર્થમાં તાદામ્યરૂપે પરિણામે તે રૂ૫ આત્મા કહીએ. જેમ ટોપી જોઈ, તેમાં ભાવજીવની બુદ્ધિ તાદામ્યપણે પરિણમે તે ટોપીઆત્મા કહીએ. જેમ નદીનું પાણી તે દ્રવ્ય આત્મા છે. તેમાં ક્ષાર, ગંધક નાંખીએ તે ગંધકનું પાણી કહેવાય. લૂણ નાંખીએ તે લૂણનું પાણી કહેવાય. જે પદાર્થને સંજોગ થાય તે પદાર્થરૂપ પાણી કહેવાય. તેમ આત્માને જે સંજોગ મળે તેમાં તાદામ્યપણું થયે, તે જ આત્મા તે પદાર્થરૂપ થાય. તેને કર્મબંધની અનંત વર્ગણું બંધાય છે, અને તે અનંત સંસાર રઝળે છે. પિતાના ઉપયોગમાં, સ્વભાવમાં આત્મા રહે તે કર્મબંધ થતું નથી. પાંચ ઇન્દ્રિયને પિતપિતાને સ્વભાવ છે. ચક્ષુને દેખવાને સ્વભાવ છે તે દેખે છે. કાનને સાંભળવાને સ્વભાવ છે તે સાંભળે છે. જીભને સ્વાદ, રસ લેવાને સ્વભાવ છે તે ખાટો, ખારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy