SearchBrowseAboutContactDonate
Page Preview
Page 786
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ છાયા ૬૯૭ તે તે વૃત્તિને નિરોધ કરે તે “સંવર છે. અનંત વૃત્તિઓ અનંત પ્રકારે સ્કુરે છે, અને અનંત પ્રકારે જીવને બંધન કરે છે. બાળજીને આ સમજાય નહીં તેથી જ્ઞાનીઓએ તેના સ્થૂલ ભેદ સમજણ પડે તે રીતે કહ્યા છે. વૃત્તિઓને મૂળથી ક્ષય કર્યો નથી તેથી ફરી ફરી હુરે છે. દરેક પદાર્થને વિષે કુરાયમાન થતી બાહ્યવૃત્તિઓને અટકાવવી, અને તે વૃત્તિ-પરિણામ અંતર્મુખ કરવાં. અનંતકાળનાં કર્મ અનંતકાળ ગાળે જાય નહીં, પણ પુરુષાર્થથી જાય. માટે કર્મમાં બળ નથી પણ પુરુષાર્થમાં બળ છે. તેથી પુરુષાર્થ કરી આત્માને ઊંચે લાવવાને લક્ષ રાખ. પરમાર્થની વાત એકની એક એક સે વખત પૂછે તે પણ જ્ઞાનીને કંટાળો આવે નહીં, પણ અનુકંપા રહે કે આ બિચારા જીવને આ વાત વિચારે કરી આત્મામાં સ્થિર થાય તે સારું. ક્ષયપામ પ્રમાણે શ્રવણ થાય છે. સમ્યકત્વ એવી વસ્તુ છે કે એ આવે ત્યારે છાનું ના રહે. વૈરાગ્ય પામ હોય તે કર્મને નિંદવાં. કર્મને પ્રધાન ન કરવાં પણ આત્માને માથે રાખ–પ્રધાન કર. સંસારી કામમાં કર્મને સંભારવાં નહીં, પણ પુરુષાર્થને ઉપર લાવો. કર્મને વિચાર કર્યા કરવાથી તે જવાનાં નથી, પણ હડસેલે મૂકીશ ત્યારે જશે માટે પુરુષાર્થ કરે. બાહ્ય ક્રિયા કરવાથી અનાદિ દોષ ઘટે નહીં. બાહ્ય ક્રિયામાં જીવ કલ્યાણ માની અભિમાન કરે છે. બાહ્યવ્રત વધારે લેવાથી મિથ્યાત્વ ગાળીશું એમ જીવ ધારે પણ તેમ બને નહીં, કેમકે જેમ એક પાડે જે હજારે કડબના પૂળા ખાઈ ગયું છે તે એક તણખલાથી બીએ નહીં, તેમ મિથ્યાત્વરૂપી પાડે જે પૂળારૂપી અનંતાનુબંધી કષાયે અનંતાં ચારિત્ર ખાઈ ગયે તે તણખલારૂપી બાહ્યવ્રતથી કેમ ડરે? પણ જેમ પાડાને એક બંધનથી બાંધીએ ત્યારે આધીન થઈ જાય, તેમ મિથ્યાત્વરૂપી પાડાને આત્માના બળરૂપી બંધનથી બાંધીએ ત્યારે આધીન થાય; અર્થાત્ આત્માનું બળ વધે ત્યારે મિથ્યાત્વ ઘટે. અનાદિકાળના અજ્ઞાનને લીધે એટલે કાળ ગમે તેટલે કાળ મોક્ષ થવા માટે જોઈએ નહીં, કારણ કે પરષાર્થનું બળ કર્મો કરતાં વધુ છે. કેટલાક જીવે બે ઘડીમાં કલ્યાણ કરી ગયા છે! સમ્યગૃષ્ટિ જીવ ગમે ત્યાંથી આત્માને ઊંચે લાવે, અર્થાત્ સમ્યક્ત્વ આબે જીવની દૃષ્ટિ ફરી જાય. મિથ્યાવૃષ્ટિ સમકિતી પ્રમાણે જપતપાદિ કરે છે, એમ છતાં મિથ્યાદ્રષ્ટિનાં જપતપાદિ મોક્ષનાં હેતુભૂત થતાં નથી, સંસારના હેતુભૂત થાય છે. સમકિતીનાં જપતપાદિ મેક્ષનાં હેતુભૂત થાય છે. સમકિતી દંભરહિત કરે છે, આત્માને જ નિંદે છે, કર્મો કરવાનાં કારણેથી પાછો હઠે છે. આમ કરવાથી તેના અહંકારાદિ સહેજે ઘટે છે. અજ્ઞાનીનાં બધાં જપતપાદિ અહંકાર વધારે છે, અને સંસારના હેતુ થાય છે. જૈનશાસ્ત્રોમાં કહ્યું છે કે લબ્ધિઓ ઊપજે છે. જૈન ને વેદ જન્મથી જ લડતાં આવે છે પણ આ વાત તે બન્ને જણ કબૂલ કરે છે, માટે સંભવિત છે. આત્મા સાક્ષી પૂરે છે, ત્યારે આત્મામાં ઉલ્લાસ પરિણામ આવે છે. હોમહવનાદિ લૌકિક રિવાજ ઘણે ચાલતે જોઈ તીર્થકર ભગવાને પિતાના કાળમાં દયાનું વર્ણન ઘણું જ સૂક્ષ્મ રીતે કર્યું છે. જૈનના જેવા દયાસંબંધીના વિચારે કોઈ દર્શન કે સંપ્રદાયવાળાઓ કરી શકયા નથી, કેમકે જૈન પચંદ્રિયને ઘાત તે ન કરે, પણ તેઓએ એકેંદ્રિયાદિમાં જીવ હોવાનું વિશેષ વિશેષ દૃઢ કરી દયાને માર્ગ વર્ણવ્યો છે. આ કારણે ચાર વેદ, અઢાર પુરાણ આદિનાં જેણે વર્ણન કર્યાં છે તેણે અજ્ઞાનથી, સ્વછંદથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy