SearchBrowseAboutContactDonate
Page Preview
Page 770
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ નોંધ ૬૮૧ પણ આત્માને વખતે વિકળ કરે છે, ઊંધા પાટા બંધાવે છે, મુઝવે છે માટે એને મેહનીય કહી. આમ આ ચારે સર્વાતિની પ્રકૃતિ કહી. બીજી ચાર પ્રકૃતિ જોકે આત્માના પ્રદેશ સાથે જોડાયેલી છે તથા તેનું કામ કર્યાં કરે છે, અને ઉત્ક્રય અનુસાર વેદાય છે, તથાપિ તે આત્માના ગુણને આવરણ કરવારૂપે કે અંતરાય કરવારૂપે કે તેને વિકળ કરવારૂપે ઘાતક નથી માટે તેને અઘાતિની કહી છે. ૪૦ સ્ર, પરિગ્રહાદિને વિષે જેટલે મૂર્છાભાવ રહે છે તેટલું જ્ઞાનનું તારતમ્ય ન્યૂન છે, એમ શ્રી તીર્થંકરે નિરૂપણ કર્યું છે. સંપૂર્ણજ્ઞાનમાં તે મૂર્છા હાતી નથી. શ્રી જ્ઞાનીપુરુષ સંસારમાં કેવા પ્રકારે વર્તે છે? આંખમાં જેમ રજ ખટક ખટક થાય છે તેમ જ્ઞાનીને વિષે કાંઈ કારણ ઉપાધિ પ્રસંગથી કાંઈ થયું હોય તે તે મગજમાં પાંચ શેર દશ શેર જેટલેા ખાજો થઈ પડે છે. અને તે ક્ષય થાય ત્યારે જ શાંતિ થાય છે. સ્ત્રી આદ્ધિક પ્રસંગમાં આત્માનું અતિશય અતિશય નજીકપણું પ્રગટ પ્રગટપણે ભાસે છે. સામાન્યપણે સ્રી, ચંદન, આરેાગ્યતા આદિથી શાતા, અને જ્વરાદ્વિથી અશાતા વર્તે છે, તે જ્ઞાની અને અજ્ઞાની બન્નેને સમાન છે. જ્ઞાનીને તે તે પ્રસંગમાં હર્ષવિષાદના હેતુ થતા નથી. ૪૧૧ ચાર ગાળાના હૃષ્ટાંતે ચાર પ્રકારે જીવના ભેદ થઈ શકે છે. ૧. મીણના ગાળા. ૨. લાખને ગાળે. ૩. લાકડાના ગાળે. ૪. માટીના ગાળે. ૧. પ્રથમ પ્રકારે મીણના ગાળા જેવા જીવ કહ્યા. મીણના ગાળા તાપ લાગવાથી જેમ ગળી જાય, પાછો ઠંડી લાગવાથી તેવા ને તેવા થઈ રહે તેમ સંસારી જીવને સત્પુરુષના ખાધ સાંભળી સંસારથી વૈરાગ્ય થયા, અસાર સંસારની નિવૃત્તિ ચિંતવવા લાગ્યા, કુટુંબ પાસે આવી કહે છે કે આ અસર સંસારથી હું નિર્તવા ઇચ્છું છું. એ વાત સાંભળી કુટુંબી કેપયુક્ત થયા. હવેથી તારે એ તરફ જવું નહીં. હવેથી જઈશ તે તારા ઉપર સખ્તાઈ કરીશું, એ વગેરે કહી સંતના અવર્ણવાદ બેલી ત્યાં જવાનું કાવે. એ પ્રકારે કુટુંબના ભયથી, લાજથી જીવ સત્પુરુષ પાસે જતાં અટકે, પાછા સંસાર કાર્યમાં પ્રવર્તે પ્રથમ પ્રકારના જીવ કહ્યા. ૨. બીજા પ્રકારે લાખના ગાળા જેવા જીવ કહ્યા. લાખના ગાળા તાપથી ઓગળી જાય નહીં પણ અગ્નિથી એગળી જાય. તે જીવ સંતના એધ સાંભળી સંસારથી ઉદાસીન થઈ એમ ચિંતવે કે આ દુઃખરૂપ સંસારથી નિવર્તવું. એમ ચિંતવી કુટુંબ પાસે જઈ કહે કે હું સંસારથી નિવર્તવા ઇચ્છું છું. મારે આ જૂઠું ખેલી વેપાર કરવા ફાવશે નહીં ઇત્યાદિ કહ્યા પછી કુટુંબીઓ તેને સખ્તાઈ તથા સ્નેહનાં વચના કહે તથા સ્ત્રીનાં વચન તેને એકાંતના વખતમાં ભાગમાં તદાકાર કરી નાંખે. સ્ત્રીનું અગ્નિરૂપ શરીર જોઇને બીજા પ્રકારના જીવ તદાકાર થઈ જાય. સંતના ચરણથી દૂર થઈ જાય. ૧. ખંભાતના શ્રી અંબાલાલભાઈની લખેલી નેટમાંથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy