SearchBrowseAboutContactDonate
Page Preview
Page 769
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૦ શ્રીમદ્ રાજચંદ્ર આત્માનું અખંડ સ્વપરજ્ઞાયકપણું સૂચવ્યું. મુક્ત આત્મા સદા જ્ઞાનરૂપ જ છે એમ સૂચવ્યું. આવા જે ગુણવાળા તેને તે ગુણની પ્રાપ્તિ અર્થે વંદું છું; એમ કહી પરમ આપ્ત, મોક્ષમાર્ગ અર્થે વિશ્વાસ કરવા યોગ્ય, વંદન કરવા યોગ્ય, ભક્તિ કરવા યોગ્ય, જેની આજ્ઞાએ ચાલવાથી નિઃસંશય મોક્ષ પ્રાપ્ત થાય, તેમને પ્રગટેલ ગુણની પ્રાપ્તિ થાય, તે ગુણે પ્રગટે, એવા કોણ હોય તે સૂચવ્યું. ઉપર જણાવેલ ગુણવાળા મુક્ત પરમ આપ્ત, વંદન યોગ્ય હોય, તેમણે બતાવેલ તે મોક્ષમાર્ગ, અને તેમની ભક્તિથી મોક્ષની પ્રાપ્તિ હોય, તેમને પ્રગટ થયેલા ગુણો તેમની આજ્ઞાએ ચાલનાર ભક્તિમાનને પ્રગટે એમ સૂચવ્યું. શ્રી ખેડા, દ્વિઆઠ વદ, ૧૯૫૪ પ્ર-આત્મા છે? શ્રી ઉ૦-હા, આત્મા છે. પ્ર–અનુભવથી કહે છે કે આત્મા છે ? ઉ૦-હા, અનુભવથી કહીએ છીએ કે આત્મા છે. સાકરના સ્વાદનું વર્ણન ન થઈ શકે. તે તે અનુભવગોચર છે, તેમ જ આત્માનું વર્ણન ન થઈ શકે. તે પણ અનુભવગોચર છે, પણ તે છે જ. પ્રહ–જીવ એક છે કે અનેક છે? આપના અનુભવને ઉત્તર ઈચ્છું છું. ઉ૦-જી અનેક છે. પ્ર–જડ, કર્મ એ વસ્તુતઃ છે કે માયિક છે? ઉ૦–જડ, કર્મ એ વસ્તુતઃ છે. માયિક નથી. પ્ર-પુનર્જન્મ છે? ઉ૦–હા, પુનર્જન્મ છે. પ્ર-વેદાંતને માન્ય માયિક ઈશ્વરનું અસ્તિત્વ આપ માને છે ? ઉ –ના. પ્ર-દર્પણમાં પડતું પ્રતિબિંબ તે માત્ર ખાલી દેખાય છે કે કોઈ તત્વનું બનેલ છે? ઉ૦-દર્પણમાં પડતું પ્રતિબિંબ માત્ર ખાલી દેખાવ નથી, તે અમુક તત્ત્વનું બનેલું છે. ૩૯ મોરબી, મહા વદ ૯, સેમ, ૧૫૫ (રાત્રે) કર્મની મૂળ પ્રકૃતિ આઠ, તેમાં ચાર ઘાતિની અને ચાર અઘાતિની કહેવાય છે. ચાર ઘાતિનીને ધર્મ આત્માના ગુણની ઘાત કરવાને, અર્થાત્ (૧) તે ગુણને આવરણ કરવાને, અથવા (૨) તે ગુણનું બળવીર્ય રેધવાને, અથવા (૩) તેને વિકળ કરવાને છે અને તે માટે ઘાતિની એવી સંજ્ઞા તે પ્રકૃતિને આપી છે. આત્માના ગુણ જ્ઞાન, દર્શન તેને આવરણ કરે તેને અનુક્રમે (૧) જ્ઞાનાવરણીય અને (૨) દર્શનાવરણીય એવું નામ આપ્યું. અંતરાય પ્રકૃતિ એ ગુણને આવરતી નથી, પણ તેના ભેગઉપભેગ આદિને, તેનાં વિર્યબળને રોકે છે. આ ઠેકાણે આત્મા ભેગાદિને સમજે છે, જાણે દેખે છે એટલે આવરણ નથી; પણ સમજતાં છતાં ભેગાદિમાં વિન્ન, અંતરાય કરે છે માટે તેને આવરણ નહીં પણ અંતરાય પ્રકૃતિ કહી. આમ ત્રણ આત્મઘાતિની પ્રકૃતિ થઈ. જેથી ઘાતિની પ્રકૃતિ મેહનીય છે. આ પ્રકૃતિ આવરતી નથી, પણ આત્માને મૂછિત કરી, મોહિત કરી વિકળ કરે છે. જ્ઞાન, દર્શન છતાં, અંતરાય નહીં છતાં ૧. શ્રી ખેડાના એક વેદાંતવિદ્દ વિદ્વાન વકીલ પંચદશીના લેખક ભટ્ટ પૂંજાભાઈ સેમેશ્વરને પ્રસંગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy