SearchBrowseAboutContactDonate
Page Preview
Page 756
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ નોંધ અનુસંધિવાળો હતે. પણ બધા શ્રોતાઓને એ ગ્રાહ્ય થઈ શકે એ નહોતે, તેમ કોઈને ન સમજાયાથી વિકલ૫ ઉત્પન્ન કરે એ હતે. ચાલતા વિષયે શ્રોતાના શ્રવણદરમાં ત્રુટ પડે એમ હતું. તેમ તમને સ્વયં ખુલાસો થઈ ગયેલ છે. હવે પૂછવું છે? લેકે એક કાર્યની તથા તેના કર્તાની પ્રશંસા કરે છે એ ઠીક છે. એ એ કાર્યને પિષક તથા તેના કર્તાના ઉત્સાહને વધારનાર છે. પણ સાથે એ કાર્યમાં જે ખામી હોય તે પણ વિવેક અને નિર્માનીપણે સભ્યતાપૂર્વક બતાવવી જોઈએ, કે જેથી ફરી ખામીને અવકાશ ન રહે અને તે કાર્ય ખામી રહિત થઈ પૂર્ણ થાય. એકલી પ્રશંસા–ગાણાથી ન સરે. એથી તે ઊલટું મિથ્યાભિમાન વધે. હાલના માનપત્રાદિમાં આ પ્રથા વિશેષ છે. વિવેક જોઈએ. મ0 –સાહેબ! ચંદ્રસૂરિ આપને યાદ કરી પૃચ્છા કરતા હતા. આપ અહીં છે એ એમને ખબર ન હતી. આપને મળવા માટે આવ્યા છે. શ્રીમદ્ –પરિગ્રહધારી યતિઓને સન્માનવાથી મિથ્યાત્વને પિષણ મળે છે. માર્ગનો વિરોધ થાય છે. દાક્ષિણ્યતા–સભ્યતા પણ જાળવવાં જોઈએ. ચંદ્રસૂરિ અમારા માટે આવ્યા છે. પણ જીવને છોડવું ગમતું નથી, મિથ્યા ડાહી ડાહી વાત કરવી છે, માન મૂકવું ગમતું નથી. તેથી આત્માર્થ ન સરે. અમારા માટે આવ્યા, તેથી સભ્યતા ધર્મ જાળવવા તેમની પાસે ગયા. સામા પક્ષવાળા સ્થાનક સંપ્રદાયના કહેશે કે એમને એમને રાગ છે, તેથી ત્યાં ગયા, અમારી પાસે નથી આવતા. પણ જીવને હેતુ, કારણ વિચારવાં નથી. મિથ્યા દૂષણ, ખાલી આપ આપવા તૈયાર છે. તેવી વર્તના ગયે છટકે છે. ભવપરિપાકે સદવિચાર કુરે અને હેત, પરમાર્થને વિચાર ઊગે.. મેટા કહે તેમ કરવું, કરે તેમ ન કરવું. શ્રી કબીરનું અંતર સમજ્યા વિના ભેળાઈથી લેકે પજવવા માંડ્યા. આ વિક્ષેપ ટાળવા કબીરજી વેશ્યાને ત્યાં જઈ બેઠા. લેકસમૂહ પાછું વળે. કબીરજી ભ્રષ્ટ થઈ ગયા એમ લેકે કહેવા લાગ્યા. સાચા ભક્તો થેડા હતા તે કબીરને વળગી રહ્યા. કબીરજીને વિક્ષેપ તે ટળે પણ બીજાએ તેનું અનુકરણ ન કરવું. નરસિંહ મહેતા ગાઈ ગયા છે કે : મારું ગાયું ગાશે તે ઝાઝા ગોદા ખાશે; સમજીને ગાશે તે વહેલે વૈકુંઠ જાશે. તાત્પર્ય કે સમજીને વિવેકપૂર્વક કરવાનું છે. પિતાની દશા વિના, વિના વિવેકે, સમજ્યા વિના જીવ અનુકરણ કરવા જાય તે માર ખાઈ જ બેસે. માટે મોટા કહે તેમ કરવું, કરે તેમ ન કરવું. આ વચન સાપેક્ષ છે. ૧૨ મુંબઈ, કારતક વદ ૯, ૧૯૫૬ (બીજા ભોઈવાડામાં શ્રી શાંતિનાથજીના દિગંબરી મંદિરમાં દર્શન પ્રસંગનું વર્ણન) પ્રતિમા નીરખી છેટેથી વંદન કર્યું. ત્રણ વાર પંચાંગ પ્રણામ કર્યા. શ્રી આનંદઘનજીનું શ્રી પદ્મપ્રભુનું સ્તવન સુમધુર, ગંભીર, સુસ્પષ્ટ વનિએ ગાયું. જિનપ્રતિમાનાં ચરણ તળાસ્યાં. એક નાની પંચધાતુની જિનપ્રતિમા કાત્સર્ગમુદ્રાની અંદરથી કોરી કાઢેલી હતી. તે સિદ્ધની અવસ્થામાં થતા ઘનની સૂચક હતી. તે અવગાહના બતાવી કહ્યું કે જે દેહ આત્મા સંપૂર્ણ સિદ્ધ થાય તે દેહપ્રમાણથી કિંચિત્ જૂન જે ક્ષેત્રપ્રમાણ ઘન થાય તે અવગાહના. છ જુદા જુદા સિદ્ધ થયા. તે એક ક્ષેત્રે સ્થિત છતાં પ્રત્યેક જુદા જુદા છે. નિજ ક્ષેત્રઘનપ્રમાણુ અવગાહનાએ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy