SearchBrowseAboutContactDonate
Page Preview
Page 755
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ રાજચંદ્ર હિત કરતા ગયા. અત્યારે તે શ્રી આનંદઘનજીના વખત કરતાં પણ વધારે વિષમતા, વીતરાગમાર્ગવિમુખતા વ્યાપેલી છે. - શ્રી આનંદઘનજીને સિદ્ધાંતબધ તીવ્ર હતું. તેઓ શ્વેતાંબર સંપ્રદાયમાં હતા. “ચૂર્ણિ, ભાષ્ય, સૂત્ર, નિર્યુક્તિ, વૃત્તિ, પરંપર અનુભવ રે” ઇત્યાદિ પંચાંગીનું નામ તેમના શ્રી નમિનાથજીના સ્તવનમાં ન આવ્યું હોત તે ખબર ન પડી કે તેઓ શ્વેતાંબર સંપ્રદાયના હતા કે દિગંબર સંપ્રદાયના? - મેરબી, ચૈત્ર વદ ૦)), ૧૫૫ આ ભારતવર્ષની અગનિ જૈનધર્મથી થઈ એમ મહીપતરામ રૂપરામ કહેતા, લખતા. દશેક વરસ પર અમદાવાદમાં મેળાપ થતાં તેમને પૂછ્યું – પ્ર– ભાઈ, જૈનધર્મ અહિંસા, સત્ય, સંપ, દયા, સર્વ પ્રાણહિત, પરમાર્થ, પરે૫કાર, ન્યાય, નીતિ, આરોગ્યપ્રદ આહારપાન, નિર્વ્યસનતા, ઉદ્યમ આદિનો બંધ કરે છે? (મહીપતરામે ઉત્તર આપે) મ0 ઉ૦-હા. પ્ર૦-ભાઈ, જૈનધર્મ હિંસા, અસત્ય, ચેરી, કુસંપ, ક્રૂરતા, સ્વાર્થપરાયણતા, અન્યાય, અનીતિ, છળકપટ, વિરુદ્ધ આહારવિહાર, મોજશોખ, વિષયલાલસા, આળસ, પ્રમાદ આદિનો નિષેધ કરે છે? મ૦ ઉ૦– હા. પ્ર – દેશની અધોગતિ શાથી થાય? અહિંસા, સત્ય, સંપ, દયા, પરોપકાર, પરમાર્થ, સર્વ પ્રાણીહિત, ન્યાય, નીતિ, આરોગ્ય આપે અને રક્ષે એવાં શુદ્ધ સાદાં આહાર–પાન, નિર્વ્યસનતા, ઉદ્યમ આદિથી કે તેથી વિપરીત એવાં હિંસા, અસત્ય, કુસંપ, ક્રૂરતા, સ્વાર્થપટુતા, છળકપટ, અન્યાય, અનીતિ, આરોગ્ય બગાડે અને શરીર-મનને અશક્ત કરે એવાં વિરુદ્ધ આહાર-વિહાર, વ્યસન, જશેખ, આળસપ્રમાદ આદિથી? મઉ૦-બીજથી અર્થાત વિપરીત એવાં હિંસા, અસત્ય, કુસંપ, પ્રમાદ આદિથી. પ્ર–ત્યારે દેશની ઉન્નતિ એ બીજાથી ઊલટાં એવાં અહિંસા, સત્ય, સંપ, નિર્બસનતા, ઉદ્યમ આદિથી થાય? મ૦ ઉ૦–હા. પ્ર–ત્યારે જૈનધર્મ દેશની અધોગતિ થાય એ બધ કરે છે કે ઉન્નતિ થાય છે ? મ૦ ઉ૦-ભાઈ, કબૂલ કરું છું કે “જૈનધર્મ જેથી દેશની ઉન્નતિ થાય એવાં સાધનેને બંધ કરે છે. આવી સૂકમતાથી વિવેકપૂર્વક મેં વિચાર કર્યો ન હતે. અમને તે નાનપણમાં પાદરીની શાળામાં શીખતાં સંસ્કાર થયેલા, તેથી વગર વિચારે અમે કહી દીધું, લખી માર્યું. મહીપતરામે સરળતાથી કબૂલ કર્યું. સત્યશોધનમાં સરળતાની જરૂર છે. સત્યને મર્મ લેવા વિવેકપૂર્વક મર્મમાં ઊતરવું જોઈએ. મેરબી, વૈશાખ સુદ ૨, ૧૯૫૫ શ્રી આત્મારામજી સરલ હતા. કંઈ ધર્મદાઝ હતી. ખંડનમંડનમાં ન ઊતર્યા હોત તે સારે ઉપકાર કરી શકત. તેમના શિષ્યસમુદાયમાં કંઈક સરલતા રહી છે. કઈ કઈ સંન્યાસીઓ વધારે સરલ જેવામાં આવે છે. શ્રાવકપણું કે સાધુપણું કુલ સંપ્રદાયમાં નહીં, આત્મામાં જોઈએ. તિષને કલ્પિત ગણું અમે ત્યાગી દીધું. લેકમાં આત્માર્થતા બહુ ઓછી થઈ ગઈ છે, નહીંવત્ રહી છે. સ્વાર્થહેતુએ એ અંગે લેકેએ અમને પજવી મારવા માંડ્યા. આત્માર્થ સરે નહીં એવા એ તિષના વિષયને કલ્પિત (સાર્થક નહીં) ગણી અમે ગૌણ કરી દીધે, ગેપવી દીધું. ગઈ રાત્રે શ્રી આનંદઘનજીનું શ્રી મલિનાથનું સદુદેવતત્વ નિરૂપણ કરતું સ્તવન ચર્ચાતું હતું તે વખતે વચમાં તમે પ્રશ્ન કર્યો તે અંગે અમે સકારણ મૌન રહ્યા હતા. તમારે પ્રશ્ન સંગત અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy