SearchBrowseAboutContactDonate
Page Preview
Page 754
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ નાંધ મ-સાહેબ, બનેની જરૂર છે શ્રીમદુ શ્રી હેમચંદ્રાચાર્યને થયાં આઠ વરસ થયાં. શ્રી આનંદઘનજીને થયાં બસો વરસ થયાં. શ્રી હેમચંદ્રાચાર્યે લેકાનુગ્રહમાં આત્મા અર્પણ કર્યો. શ્રી આનંદઘનજીએ આત્મહિત સાધનપ્રવૃત્તિને મુખ્ય કરી. શ્રી હેમચંદ્રાચાર્ય મહાપ્રભાવક બળવાન ક્ષપશમવાળા પુરુષ હતા. તેઓ ધારત તે જુદો પંથ પ્રવર્તાવી શકે એવા સામર્થ્યવાન હતા. તેમણે ત્રીસ હજાર ઘરને શ્રાવક કર્યા. ત્રીસ હજાર ઘર એટલે સવાથી દેઢ લાખ માણસની સંખ્યા થઈ. શ્રી સહજાનંદજીના સંપ્રદાયમાં એક લાખ માણસ હશે. એક લાખના સમૂહથી સહજાનંદજીએ પિતાને સંપ્રદાય પ્રવર્તાવ્યો, તે દોઢ લાખ અનુયાયીઓને એક જુદા સંપ્રદાય શ્રી હેમચંદ્રાચાર્ય ધારત તે પ્રવર્તાવી શક્ત. પણ શ્રી હેમચંદ્રાચાર્યને લાગ્યું કે સંપૂર્ણ વીતરાગ સર્વજ્ઞ તીર્થકર જ ધર્મપ્રવર્તક હોઈ શકે. અમે તે તીર્થકરેની આજ્ઞાએ ચાલી તેમના પરમાર્થમાર્ગને પ્રકાશ કરવા પ્રયત્ન કરનારા. વીતરાગમાર્ગને પરમાર્થ પ્રકાશવારૂપ લેકાનુગ્રહ શ્રી હેમચંદ્રાચાર્યે કર્યો. તેમ કરવાની જરૂર હતી. વીતરાગમાર્ગ પ્રતિ વિમુખતા અને અન્ય માર્ગ તરફથી વિષમતા, ઈષ્ય આદિ શરૂ થઈ ચૂકયાં હતાં. આવી વિષમતામાં વીતરાગમાર્ગ ભણી લેકોને વાળવા, લેકોપકારની તથા તે માર્ગના રક્ષણની તેમને જરૂર જણાઈ. અમારું ગમે તેમ થાઓ, આ માર્ગનું રક્ષણ થવું જોઈએ. એ પ્રકારે તેમણે સ્વાર્પણ કર્યું. પણ આમ તેવા જ કરી શકે. તેવા ભાગ્યવાન, માહામ્યવાન, ક્ષપશમવાન જ કરી શકે. જુદાં જુદાં દર્શને યથાવત્ તેલ કરી અમુક દર્શન સંપૂર્ણ સત્ય સ્વરૂપ છે એ નિર્ધાર કરી શકે તેવા પુરુષ કાનુગ્રહ, પરમાર્થપ્રકાશ, આત્માર્પણ કરી શકે. શ્રી હેમચંદ્રાચાર્યે ઘણું કર્યું. શ્રી આનંદઘનજી તેમના પછી છ વરસે થયા. એ છે વરસના અંતરાળમાં બીજા તેવા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. વિષમતા વ્યાપતી જતી હતી. કાળ ઉગ્ર સ્વરૂપ લેતે જતું હતું. શ્રી વલ્લભાચાર્યે શૃંગાયુક્ત ધર્મ પ્રરૂપે. શૃંગાયુક્ત ધર્મ ભણી લેકે વળ્યા, આકર્ષાયા. વીતરાગધર્મવિમુખતા વધતી ચાલી. અનાદિથી જીવ શૃંગાર આદિ વિભાવમાં તે મૂચ્છ પામી રહ્યો છે, તેને વૈરાગ્ય સન્મુખ થવું મુશ્કેલ છે. ત્યાં તેની પાસે શૃંગાર જ ધર્મરૂપે મુકાય તે તે વૈરાગ્ય ભણી કેમ વળી શકે? આમ વીતરાગમાર્ગવિમુખતા વધી. - ત્યાં પ્રતિમાપ્રતિપક્ષ-સંપ્રદાય જૈનમાં જ ઊભો થયે. ધ્યાનનું કાર્ય, સ્વરૂપનું કારણ એવી જિનપ્રતિમા પ્રતિ લાખો દૃષ્ટિવિમુખ થયાં, વીતરાગ શાસ્ત્ર કલ્પિત અર્થથી વિરાધાયાં, કેટલાંક તે સમૂળગાં ખંડાયાં. આમ આ છ વરસના અંતરાળમાં વીતરાગમાર્ગરક્ષક બીજા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. અન્ય ઘણું આચાર્યો થયા, પણ તે શ્રી હેમચંદ્રાચાર્ય જેવા પ્રભાવશાલી નહીં. એટલે વિષમતા સામે ટકી ન શકાયું. વિષમતા વધતી ચાલી. ત્યાં શ્રી આનંદઘનજી બસે વરસ પૂર્વે થયા. શ્રી આનંદઘનજીએ સ્વપર હિતબુદ્ધિથી લેકોપકાર-પ્રવૃત્તિ શરૂ કરી. આ મુખ્ય પ્રવૃત્તિમાં આત્મહિત ગૌણ કર્યું, પણ વીતરાગધર્મવિમુખતા, વિષમતા એટલી બધી વ્યાપી ગઈ હતી કે લોકો ધર્મને કે આનંદઘનજીને પિછાણું ન શકયાં, ઓળખી કદર કરી ન શક્યાં. પરિણામે શ્રી આનંદઘનજીને લાગ્યું કે પ્રબળ વ્યાપી ગયેલી વિષમતાયેગે લોકપકાર, પરમાર્થપ્રકાશ કારગત થતું નથી, અને આત્મહિત ગૌણ થઈ તેમાં બાધા આવે છે, માટે આત્મહિતને મુખ્ય કરી તેમાં પ્રવર્તવું યોગ્ય છે. આવી વિચારણુએ પરિણામે તે લેસિંગ ત્યજી દઈ વનમાં ચાલી નીકળ્યા. વનમાં વિચરતાં છતાં અપ્રગટપણે રહી વીશી, પદ આદિ વડે લેકે પકાર તે કરી જ ગયા. નિષ્કારણ લેકે પકાર એ મહાપુરુષને ધર્મ છે. પ્રગટપણે લેકે આનંદઘનજીને ઓળખી ન શકયાં. પણ આનંદઘનજી તે અપ્રગટ રહી તેમનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy