SearchBrowseAboutContactDonate
Page Preview
Page 735
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૮ શ્રીમદ્ રાજચંદ્ર પ્ર–સ્વભાવદશા શે ગુણ આપે ? ઉ૦–- તથારૂપ સંપૂર્ણ હોય તે મેક્ષ થાય. પ્ર–વિભાવદશા શું ફળ આપે? ઉ૦-જન્મ, જરા, મરણાદિ સંસાર. પ્ર૦–વીતરાગની આજ્ઞાથી પિરસીની સ્વાધ્યાય કરે તે શે ગુણ થાય? ઉ૦-તથારૂપ હોય તે યાવત્ મોક્ષ થાય. પ્ર–વીતરાગની આજ્ઞાથી પિરસીનું ધ્યાન કરે તે શે ગુણ થાય? ઉ૦–તથારૂપ હોય તે યાવત્ મોક્ષ થાય. આ પ્રમાણે તમારા પ્રશ્નોના સંક્ષેપમાં ઉત્તર લખું છું. લૌકિકભાવ છેડી દો વાચજ્ઞાન તજી દઈ, કલ્પિત વિધિનિષેધ તજી દઈ જે જીવ પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાને આરાધી. તથારૂપ ઉપદેશ પામી, તથારૂપ આત્માર્થે પ્રવર્તે તેનું અવશ્ય કલ્યાણ થાય. નિજકલ્પનાએ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિનું સ્વરૂપ ગમે તેમ સમજી લઈને અથવા નિશ્ચયનયાત્મક બેલે શીખી લઈને સદ્વ્યવહાર લેવામાં જે પ્રવર્તે તેથી આત્માનું કલ્યાણ થવું સંભવતું નથી; અથવા કલ્પિત વ્યવહારના દુરાગ્રહમાં રોકાઈ રહીને પ્રવર્તતાં પણ જીવને કલ્યાણ થવું સંભવતું નથી. જ્યાં જ્યાં જે જે ગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ. – “આત્મસિદ્ધિશાસ્ત્ર એકાંત ક્રિયાજડત્વમાં અથવા એકાંત શુષ્કજ્ઞાનથી જીવનું કલ્યાણ ન થાય. ૯૧૯ વવાણિયા, વૈશાખ વદ ૮, મંગળ, ૧૯૫૬ પ્રમત્ત-પ્રમત્ત એવા વર્તમાન જીવે છે, અને પરમ પુરુષેએ અપ્રમત્તમાં સહજ આત્મશુદ્ધિ કહી છે, માટે તે વિરોધ શાંત થવા પરમ પુરુષને સમાગમ, ચરણને ગ જ પરમ હિતકારી છે. ? શાંતિઃ ૯ર૦ વવાણિયા, વૈશાખ વદ ૮, મંગળ, ૧૯૫૬ ભાઈ છગનલાલનું અને તમારું લખેલું એમ બે પત્ર મળ્યાં. વીરમગામ કરતાં અત્ર પ્રથમ સહજ પ્રકૃતિ નરમ રહી હતી. હાલ સહજ પણ વધતી આરોગ્યતા પર હશે એમ જણાય છે. ૩ ઘરમાંતિઃ ૯૨૧ વવાણિયા, વૈશાખ વદિ ૯, બુધ, ૧૯૫૬ મેક્ષમાળા'માં શબ્દાંતર અથવા પ્રસંગવિશેષમાં કોઈ વાક્યાંતર કરવાની વૃત્તિ થાય તે કરશે. ઉપઘાત આદિ લખવાની વૃત્તિ હોય તે લખશે. જીવનચરિત્રની વૃત્તિ ઉપશાંત કરશે. ઉપઘાતથી વાચકને, શ્રોતાને અલ્પ અલ્પ મતાંતરની વૃત્તિ વિસ્મરણ થઈ જ્ઞાનીપુરુષના આત્મસ્વભાવરૂપ પરમ ધર્મને વિચાર કરવાની ફુરણું થાય એ લક્ષ સામાન્યપણે રાખશે. સહજ સૂચના છે. શાંતિઃ ૯૨૨ વવાણિયા, વૈશાખ વદ ૯, બુધ, ૧૯૫૬ સાણંદથી મુનિશ્રીએ શ્રી અંબાલાલ પ્રત્યે લખાવેલું પત્ર સ્તંભતીર્થથી આજે અને મળ્યું. છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy