SearchBrowseAboutContactDonate
Page Preview
Page 734
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૩૩ મું ૬૪૭ ૯૧૮ વવાણિયા, વૈશાખ, ૧૯૫૬ તમે કેટલાંક પ્રશ્નો લખ્યાં તે પ્રશ્નોનું સમાધાન સમાગમમાં સમજવું વિશેષ ઉપકારરૂપ જાણું છું. તે પણ કિંચિત્ સમાધાન અર્થે યથામતિ સંક્ષેપમાં તેના ઉત્તર અત્ર લખું છું. સત્પુરુષની યથાર્થ જ્ઞાનદશા, સમ્યક્ત્વદશા, ઉપશમદશા તે તે જે યથાર્થ મુમુક્ષુ જીવ સત્પુરુષના સમાગમમાં આવે તે જાણે કેમકે પ્રત્યક્ષ તે ત્રણે દશાના લાભ શ્રી સત્પુરુષના ઉપદેશથી કેટલાક અંશે થાય છે. જેમના ઉપદેશે તેવી દશાના અંશા પ્રગટે તેમની પોતાની દશામાં તે ગુણુ કેવા ઉત્કૃષ્ટ રહ્યા હેાવા જોઈએ તે વિચારવું સુગમ છે; અને એકાંત નયાત્મક જેમના ઉપદેશ હાય તેથી તેવી એક પણ દશા પ્રાપ્ત થવી સંભવતી નથી તે પણ પ્રત્યક્ષ સમજાશે. સત્પુરુષની વાણી સર્વ નયાત્મક વર્તે છે. બીજા પ્રશ્નોના ઉત્તર ઃ— પ્ર૦-જિનઆજ્ઞાઆરાધક સ્વાધ્યાય ધ્યાનથી મેાક્ષ છે કે શી રીતે ? સાંત ઉ-તથારૂપ પ્રત્યક્ષ સદ્ગુરુને યેગે અથવા કોઈ પૂર્વના દૃઢ આરાધનથી જિનાજ્ઞા યથાર્થ સમજાય, યથાર્થ પ્રતીત થાય, અને યથાર્થ આરાધાય તે મેાક્ષ થાય એમાં સંદેહ નથી. ૫—જ્ઞાનપ્રજ્ઞાએ સર્વ વસ્તુ જાણેલી પ્રત્યાખ્યાનપ્રજ્ઞાએ પચ્ચખે તે પંડિત કહ્યા છે. ઉ॰—તે યથાર્થ છે. જે જ્ઞાને કરીને પરભાવ પ્રત્યેના મેહ ઉપશમ અથવા ક્ષય ન થયા, તે ‘અજ્ઞાન' કહેવા ચેાગ્ય અર્થાત્ જ્ઞાનનું લક્ષણુ પરભાવ પ્રત્યે ઉદાસીન થવું તે છે. પ્ર૦-એકાંત જ્ઞાન માને તેને મિથ્યાત્વી કહ્યા છે. ઉ॰—તે યથાર્થ છે. પ્ર૦~એકાંત ક્રિયા માને તેને મિથ્યાત્વી કહ્યા છે. ઉ॰—તે યથાર્થ છે. પ્ર૦—ચાર કારણ મેાક્ષ જવાને કહ્યાં છે. તે ચારમાંથી ચાર કારણ સંયુક્તથી ? એ કારણ તાડીને મેક્ષે જાય કે ઉ—જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચાર કારણ અવિરાધપણે પ્રાપ્ત થયે મેાક્ષ થાય. મેાક્ષના કહ્યાં છે, તે એક બીજાં પ્ર૦-સમકિત અધ્યાત્મની શૈલી શી રીતે છે? ઉ॰ યથાર્થ સમજાયે પરભાવથી આત્યંતિક નિવૃત્તિ કરવી તે અધ્યાત્મ માર્ગ છે. જેટલી જેટલી નિવૃત્તિ થાય તેટલા તેટલા સમ્યક્ અંશ છે. પ્ર॰~~‘પુદ્ગલસ રાતેા રહે' છે,—ઇ. ઉ—પુદ્ગલમાં રક્તમાનપણું તે મિથ્યાત્વભાવ છે. પ્ર -અંતરાત્મા પરમાત્માને ધ્યાવે’—ઇ. ઉ॰—અંતરાત્મપણે પરમાત્મસ્વરૂપ ધ્યાવે તે પરમાત્મા થાય. પ્ર॰અને હાલ ધ્યાન શું વર્તે છે? ઇ. ઉ॰~~સદ્ગુરુનાં વચનને વારંવાર વિચારી, અનુપ્રેક્ષીને પરભાવથી આત્માને અપંગ કરવે તે. પ્ર૦—મિથ્યાત્વ(?) અધ્યાત્મની પ્રરૂપણા વગેરે તમે લખીને પૂછ્યું કે તે યચાર્થ કહે છે કે કેમ ? અર્થાત્ સમકિતી નામ ધરાવી વિષયાદિની આકાંક્ષાને, પુદ્ગલભાવને સેવવામાં કંઈ ખાધ સમજતા નથી અને અમને અંધ નથી એમ કહે છે તે યથાર્થ કહે છે કે કેમ ? ઉ૦—જ્ઞાનીના માર્ગની દૃષ્ટિએ જોતાં તે માત્ર મિથ્યાત્વ જ કથે છે. પુદ્ગલભાવે ભાવે અને આત્માને કર્મ લાગતાં નથી એમ કહે તે જ્ઞાનીની દૃષ્ટિ વચન નથી, વાચાજ્ઞાનીનું વચન છે. થયે આત્મધ્યાન પરિણમશે એમ કહે છે તે કેમ ? પ્ર૦—જૈન પુદ્ગલભાવ એ ઉ—તે યથાર્થ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy