SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૩૧ મું ૮૧૫ મુંબઈ, કારતક વદ ૧, બુધ, ૧૯૫૪ આત્માર્થી શ્રી મનસુખે લખેલા પ્રશ્નનું સમાધાન વિશેષ કરીને સમાગમમાં પ્રાપ્ત થવાથી યથાગ્ય સમજાશે. જે આર્યો અન્ય ક્ષેત્રે હવે વિહાર કરવાના આશ્રમમાં છે, તેમણે જે ક્ષેત્રમાં શાંતરસપ્રધાન વૃત્તિ રહે, નિવૃત્તિમાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને લાભ થાય તેવાં ક્ષેત્રમાં વિચરવું યોગ્ય છે. સમાગમની આકાંક્ષા છે, તે હાલ વધારે દૂર ક્ષેત્રમાં વિચરવું નહીં બની શકે, ચારેતરાદિ પ્રદેશમાં વિચરવું યંગ્ય છે. એ જ વિનંતિ. » મુંબઈ, કારતક વદ ૫, ૧૯૫૪ તમારા લખેલા કાગળ મળ્યા છે. અમુક સગ્રંથે લેકહિતાર્થે પ્રચાર પામે તેમ કરવાની વૃત્તિ જણાવી તે લક્ષમાં છે. મગનલાલ વગેરેએ દર્શનની તથા સમાગમની આકાંક્ષા દર્શાવેલી તે કાગળો પણ મળ્યા છે. કેવળ અંતર્મુખ થવાને પુરુષોને માર્ગ સર્વદુઃખક્ષયને ઉપાય છે, પણ તે કેઈક જીવને સમજાય છે. મહત્વ પુણ્યના વેગથી, વિશુદ્ધ મતિથી, તીવ્ર વૈરાગ્યથી અને પુરુષના સમાગમથી તે ઉપાય સમજાવા ગ્ય છે. તે સમજવાનો અવસર એકમાત્ર આ મનુષ્યદેહ છે તે પણ અનિયત કાળના ભયથી ગૃહીત છે, ત્યાં પ્રમાદ થાય છે, એ ખેદ અને આશ્ચર્ય છે. * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy