SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૩૦ મું ૭૯ મુંબઈ, શ્રાવણ વદ ૧૨, ૧લ્પ૩ સર્વ—ઉત્કૃષ્ટ ભૂમિકામાં સ્થિતિ થવા પર્યત શ્રુતજ્ઞાનનું અવલંબન લઈને સપુરુષે પણ સ્વદશામાં સ્થિર રહી શકે છે, એમ જિનને અભિમત છે તે પ્રત્યક્ષ સત્ય દેખાય છે. | સર્વોત્કૃષ્ટ ભૂમિકા પર્યંતમાં શ્રુતજ્ઞાન (જ્ઞાનીપુરુષનાં વચન)નું અવલંબન જે જે વખતે મંદ પડે છે, તે તે વખતે કંઈ કંઈ ચપળપણું પુરુષે પણ પામી જાય છે, તે પછી સામાન્ય મુમુક્ષુ જીવો કે જેને વિપરીત સમાગમ, વિપરીત શ્રેતાદિ અવલંબન રહ્યાં છે તેને વારંવાર વિશેષ વિશેષ ચપળપણું થવા ગ્ય છે. એમ છે તે પણ જે મુમુક્ષુઓ સત્સમાગમ, સદાચાર અને સન્શાસ્ત્રવિચારરૂપ અવલંબનમાં દૃઢ નિવાસ કરે છે, તેને સર્વોત્કૃષ્ટ ભૂમિકાપર્યત પહોંચવું કઠણ નથી; કઠણ છતાં પણ કઠણ નથી. મુંબઈ, શ્રાવણ વદ ૧૨, ૧૯૫૩ પત્ર મળ્યું છે. દિવાળી પર્યત ઘણું કરીને આ ક્ષેત્રે સ્થિતિ થશે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જે પુરુષોને પ્રતિબંધ નથી તે પુરુષોને નમસ્કાર. સત્સમાગમ, સલ્ફાસ્ત્ર અને સદાચારમાં દ્રઢ નિવાસ એ આત્મદશા થવાનાં પ્રબળ અવલંબન જ છે. સત્સમાગમને વેગ દુર્લભ છે, તેપણ મુમુક્ષુએ તે યુગની તીવ્ર જિજ્ઞાસા રાખવી અને પ્રાપ્તિ કરવી એગ્ય છે. તે કેગના અભાવે તે અવશ્ય કરી સશાસ્ત્રરૂપ વિચારને અવલંબને કરી સદાચારની જાગૃતિ જીવે રાખવી ઘટે છે. મુંબઈ, ભાદ્રપદ સુદ ૬, ગુરુ, ૧૯૫૩ પરમ કૃપાળુ પૂજ્ય પિતાશ્રીજી, વવાણિયાબંદર, આજ દિવસ પર્યત મેં આપને કાંઈ પણ અવિનય, અભક્તિ કે અપરાધ કર્યો હોય તે બે હાથ જોડી મસ્તક નમાવીને શુદ્ધ અંતઃકરણથી ખમાવું છું. કૃપા કરીને આપ ક્ષમા આપશે. મારી માતુશ્રી પ્રત્યે પણ તે જ રીતે ખમાવું છું. તેમ જ બીજા સાથે સર્વે પ્રત્યે મેં કઈ પણ પ્રકારને અપરાધ કે અવિનય જાણતાં અથવા અજાણતાં કર્યો હોય તે શુદ્ધ અંતઃકરણથી ખમાવું છું. કૃપા કરીને સૌ ક્ષમા આપશે. ૮૦૨ મુંબઈ, ભાદ્રપદ સુદ ૯, રવિ, ૧૯૫૩ બાહ્ય ક્રિયા અને ગુણસ્થાનકાદિએ વર્તતી ક્રિયાનું સ્વરૂપ ચર્ચવું હાલ સ્વપર ઉપકારી ઘણું કરીને નહીં થાય. એટલું કર્તવ્ય છે કે તુચ્છ મતમતાંતર પર દ્રષ્ટિ ન આપતાં અસવૃત્તિના નિરોધને અર્થે સ@ાસ્ત્રના પરિચય અને વિચારમાં જીવની સ્થિતિ કરવી. ૮૦૩ મુંબઈ, ભાદરવા સુદ ૯, રવિ, ૧૫૩ શુભેચ્છાગ્ય, તમારે કાગળ મળે છે. અત્ર ક્ષણ પર્યત તમારે તથા તમારા સમાગમવાસી ભાઈઓને કઈ પણ અપરાધ કે અવિનય મારાથી થયે હોય તે નમ્રભાવથી ખમાવું છું. ૩ Jain Education International . For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy