SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯૫ વર્ષ ૩૦ મું ૧૫૬ જે પરદ્રવ્યને વિષે શુભ અથવા અશુભ રાગ કરે છે તે જીવ “સ્વચારિત્રથી ભ્રષ્ટ છે અને “પરચારિત્ર' આચરે છે એમ જાણવું. ૧૫૭ જે ભાવ વડે આત્માને પુષ્ય અથવા પાપઆસવની પ્રાપ્તિ થાય તેમ પ્રવર્તમાન આત્મા પરચારિત્રમાં વર્તે છે એમ વીતરાગ સર્વરે કહ્યું છે. ૧૫૮ જે સર્વ સંગમાત્રથી મુક્ત થઈ, અનન્યમયપણે આત્મસ્વભાવમાં સ્થિત છે, નિર્મલ જ્ઞાતા-દ્રષ્ટા છે તે “સ્વચારિત્ર” આચરનાર જીવ છે. ૧૫૯ પરદ્રવ્ય પ્રત્યેના ભાવથી રહિત, નિર્વિકલ્પ જ્ઞાનદર્શનમય પરિણામી આત્મા છે તે સ્વચારિત્રાચરણ છે. ૧૬૦ ધમસ્તિકાયાદિના સ્વરૂપની પ્રતીતિ તે “સમ્યક્ત્વ', બાર અંગ અને પૂર્વનું જાણપણું તે “જ્ઞાન”, તપશ્ચર્યાદિમાં પ્રવૃત્તિ તે “વ્યવહાર–મોક્ષમાર્ગ છે. ૧૬૧ તે ત્રણ વડે સમાહિત આત્મા, આત્મા સિવાય જ્યાં અન્ય કિંચિત્ માત્ર કરતું નથી, માત્ર અનન્ય આત્મામય છે ત્યાં નિશ્ચય–મોક્ષમાર્ગ સર્વજ્ઞ વીતરાગે કહ્યો છે. ૧૬૨ જે આત્મા આત્મસ્વભાવમય એવાં જ્ઞાનદર્શનને અનન્યમય આચરે છે, તેને તે નિશ્ચય જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. ૧૬૩ જે આ સર્વ જાણશે અને દેખશે તે અવ્યાબાધ સુખ અનુભવશે. આ ભાવની પ્રતીતિ ભવ્યને થાય છે, અભવ્યને થતી નથી. ૧૬૪ દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ મોક્ષમાર્ગ છે, તેની સેવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે, અને (અમુક હેતુથી) બંધ થાય છે એમ મુનિઓએ કહ્યું છે. ૧૬૫ ૧૬૬ અર્વતસિદ્ધચૈત્યપ્રવચનમુનિગણજ્ઞાનભક્તિસંપન્ન ઘણું પુણ્ય ઉત્પન્ન કરે છે, પણ તે સર્વ કર્મને ક્ષય કરતું નથી. ૧૬૭ જેના હૃદયને વિષે અણુમાત્ર પરદ્રવ્ય પ્રત્યે રાગ વર્તે છે, તે સર્વ આગમને જાણનાર હોય તે પણ “સ્વસમય નથી જાણતે એમ જાણવું. ૧૬૮ ૧૬૯ તે માટે સર્વ ઈચ્છાથી નિવતી નિઃસંગ અને નિર્મમત્વ થઈને જે સિદ્ધસ્વરૂપની ભક્તિ કરે તે નિર્વાણને પ્રાપ્ત થાય. ૧૭૦ પરમેષ્ઠીપદને વિષે જેને તત્વાર્થ પ્રતીતિપૂર્વક ભક્તિ છે, અને નિગ્રંથ પ્રવચનમાં ચિપણે જેની બુદ્ધિ પરિણમી છે, તેમજ તે સંયમતપસહિત વર્તે છે તે તેને મેક્ષ કંઈ દૂર નથી. ૧૭૧ અહંતની, સિદ્ધની, ચૈત્યની, પ્રવચનની ભક્તિ સહિત જે તપશ્ચર્યા કરે છે તે તે નિયમથી દેવલોકને અંગીકાર કરે છે. ૧૭૨ તેથી ઈચ્છામાત્રની નિવૃત્તિ કરે. સર્વત્ર કિંચિત્માત્ર પણ રાગ કરે મા; કેમકે વીતરાગ ભવસાગરને તરે છે. ૧૭૩ માર્ગને પ્રભાવ થવાને અર્થે, પ્રવચનની ભક્તિથી ઉત્પન્ન થયેલી પ્રેરણાથી પ્રવચનના રહસ્યભૂત “પંચાસ્તિકાયના સંગ્રહરૂપ આ શાસ્ત્ર મેં કહ્યું. ઇતિ પંચાસ્તિકાયસમાપ્તમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy