SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૪ શ્રીમદ્ રાજચંદ્ર પિતાની ઈચ્છા પૂર્ણ થશે, (એટલે ભગવાન પ્રસન્ન થઈને તેને વિષે લગ્નતા કરશે) એમ માને છે, પણ તે ખોટું છે, કેમકે તે ભગવાનના સ્વરૂપના અજ્ઞાનથી એમ કહે છે. જે ભગવાન અનંત જ્ઞાનદર્શનમય સર્વોત્કૃષ્ટ સુખસમાધિમય છે, તે ભગવાનને આ જગતનું કર્તાપણું કેમ હોય? અને લીલાને અર્થે પ્રવૃત્તિ કેમ હોય? લીલાની પ્રવૃત્તિ તે સદોષમાં જ સંભવે છે. જે પૂર્ણ હોય તે કંઈ છે જ નહીં. ભગવાન તે અનંત અવ્યાબાધ સુખે કરીને પૂર્ણ છે; તેને વિષે બીજી કલ્પના કયાંથી અવકાશ પામે ? લીલાની ઉત્પત્તિ કુતૂહલવૃત્તિથી થાય. તેવી કુતૂહલવૃત્તિ તે જ્ઞાન, સુખના અપરિપૂર્ણપણથી જ થાય. ભગવાનમાં તે તે બને (જ્ઞાન, સુખ) પરિપૂર્ણ છે. માટે તેની પ્રવૃત્તિ જગત રચવારૂપ લીલા પ્રત્યે ન જ થાય. એ લીલા તે દેષને વિલાસ છે; સરાગીને જ તેને સંભવ છે. જે સરાગી હોય તેને સહેષતા હોય, અને જેને એ બન્ને હોય તેને ક્રોધ, માન, માયા, લેભ આદિ સર્વ દોષનું પણ સંભવિતપણું છે, જેથી યથાર્થ રીતે જોતાં તે લીલા દોષને જ વિલાસ છે; અને એ દોષવિલાસ તે અજ્ઞાની જ છે. વિચારવાન મુમુક્ષુઓ પણ તે દોષવિલાસ ઈચ્છતા નથી, તે અનંત જ્ઞાનમય ભગવાન તે કેમ છે? જેથી તે ભગવાનનું સ્વરૂપ લીલાના કર્તુત્વપણથી ભાવે જે સમજે છે તે ભ્રાંતિ છે; અને તે બ્રાંતિને અનુસરીને ભગવાનને પ્રસન્ન કરવાને તે જે માર્ગ લે છે તે પણ બ્રાંતિમય જ છે, જેથી ભગવાનરૂપ પતિની તેને પ્રાપ્તિ થતી નથી. ૫ હે સખી! પતિને પ્રસન્ન કરવાના તે ઘણા પ્રકાર છે. અનેક પ્રકારના શબ્દ, સ્પશદિ ભેગથી પતિની સેવા કરવામાં આવે છે એવા ઘણા પ્રકાર છે, પણ તે સૌમાં ચિત્તપ્રસન્નતા એ જ સૌથી ઉત્તમ સેવા છે, અને જ્યારે પણ ખંડિત ન થાય એવી સેવા છે. કપટરહિત થઈને આત્મા અર્પણ કરીને પતિની સેવા કરવાથી ઘણા આનંદના સમૂહની પ્રાપ્તિને ભાગ્યોદય થાય. ભગવાનરૂપ પતિની સેવાના પ્રકાર ઘણું છે. દ્રવ્યપૂજા, ભાવપૂજા, આજ્ઞાપૂજા. દ્રવ્યપૂજાના પણ ઘણુ ભેદ છે, પણ તેમાં સર્વોત્કૃષ્ટ પૂજા તે ચિત્તપ્રસન્નતા એટલે તે ભગવાનમાં ચૈતન્યવૃત્તિ પરમ હર્ષથી એકત્વને પ્રાપ્ત કરવી તે જ છે, તેમાં જ સર્વ સાધન સમાય છે. તે જ અખંડિત પૂજા છે, કેમકે જો ચિત્ત ભગવાનમાં લીન હોય તે બીજા વેગ પણ ચિત્તાધીન હોવાથી ભગવાનને આધીન જ છે, અને ચિત્તની લીનતા ભગવાનમાંથી ન ખસે તે જ જગતના ભાવમાંથી ઉદાસીનતા વર્ત અને તેમાં ગ્રહણ ત્યાગરૂપ વિકલ્પ પ્રવર્તે નહીં, જેથી તે સેવા અખંડ જ રહે. જ્યાં સુધી ચિત્તમાં બીજો ભાવ હોય ત્યાં સુધી તમારા સિવાય બીજામાં મારે કંઈ પણ ભાવ નથી એમ દેખાડીએ તે તે વૃથા જ છે અને કપટ છે, અને જ્યાં સુધી કપટ છે ત્યાં સુધી ભગવાનના ચરણમાં આત્માનું અર્પણ કયાંથી થાય? જેથી સર્વ જગતના ભાવ પ્રત્યે વિરામ પમાડી વૃત્તિને શુદ્ધચૈતન્ય ભાવવાળી કરવાથી જ તે વૃત્તિમાં અન્યભાવ રહ્યો ન હોવાથી શુદ્ધ કહેવાય અને તે નિષ્કપટ કહેવાય. એવી ચૈતન્યવૃત્તિ ભગવાનમાં લીન કરવામાં આવે તે જ આત્મઅર્પણુતા કહેવાય. ધનધાન્યાદિક સર્વ ભગવાનને અર્પણ કર્યો હોય, પણ જે આત્મા અર્પણ ન કર્યો હોય એટલે તે આત્માની વૃત્તિ ભગવાનમાં લીન કરી ન હોય તે તે ધનધાન્યાદિકનું અર્પણ કરવું સકપટ જ છે, કેમકે અર્પણ કરનાર આત્મા અથવા તેની વૃત્તિ તે બીજે સ્થળે લીન છે. જે પિતે બીજે સ્થળે લીન છે, તેના અર્પણ થયેલા બીજા જડ પદાર્થ ભગવાનમાં અર્પણ ક્યાંથી થઈ શકે? માટે ભગવાનમાં ચિત્તવૃત્તિની લીનતા એ જ આત્મઅર્પણતા છે, અને એ જ આનંદઘનપદની રેખા એટલે પરમ અવ્યાબાધ સુખમય એક્ષપદની નિશાની છે. અર્થાત્ જેને એવી દશાની પ્રાપ્તિ થાય તે પરમ આનંદઘન સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત થશે, એવા લક્ષણ તે લક્ષણ છે. ૬ રાષભજિનસ્તવન સંપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy