SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૯ મું ૫૫૭ ઉપાદાનની વ્યાખ્યા શાસ્ત્રમાં કહી નથી, પણ ઉપાદાન અજાગ્રત રાખવાથી તારું સાચાં નિમિત્ત મળ્યા છતાં કામ નહીં થાય, માટે સાચાં નિમિત્ત મળે તે નિમિત્તને અવલંબીને ઉપાદાન સન્મુખ કરવું, અને પુરુષાર્થરહિત ન થવું; એ શાસ્ત્રકારે કહેલી તે વ્યાખ્યાને પરમાર્થ છે. ૧૩૬ મુખથી જ્ઞાન કથે અને, અંતર્ છૂટ્યો ન મેહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનૌને દ્રોહ. ૧૩૭ મુખથી નિશ્ચયમુખ્ય વચને કહે છે, પણ અંતરથી પિતાને જ મેહ છૂટ્યો નથી, એવા પામર પ્રાણી માત્ર જ્ઞાની કહેવરાવવાની કામના સાચા જ્ઞાની પુરુષને દ્રોહ કરે છે. ૧૩૭ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. ૧૩૮ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ અને વૈરાગ્ય એ ગુણ મુમુક્ષુના ઘટમાં સદાય સુજાગ્ય એટલે જાગ્રત હોય, અર્થાત્ એ ગુણે વિના મુમુક્ષુપણું પણ ન હોય. ૧૩૮ મેહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહીએ જ્ઞાનદશા, બાકી કહીંએ બ્રાંત. ૧૩૯ મેહભાવને જ્યાં ક્ષય થયે હોય, અથવા જ્યાં મેહદશા બહુ ક્ષીણ થઈ હોય, ત્યાં જ્ઞાનીની દશા કહીએ, અને બાકી તે જેણે પિતામાં જ્ઞાન માની લીધું છે, તેને ભ્રાંતિ કહીએ. ૧૩૯ સકળ જગત તે એઠવત્, અથવા સ્વમ સમાન; તે કહોંએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન. ૧૪૦ સમસ્ત જગત જેણે એઠ જેવું જાણું છે, અથવા સ્વપ્ન જેવું જગત જેને જ્ઞાનમાં વર્તે છે તે જ્ઞાનીની દશા છે, બાકી માત્ર વાચજ્ઞાન એટલે કહેવા માત્ર જ્ઞાન છે. ૧૪૦ સ્થાનક પાંચ વિચારોને, છઠું વર્તે છે; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ. ૧૪૧ પાંચે સ્થાનકને વિચારીને જે છ સ્થાનકે વર્તે, એટલે તે મોક્ષના જે ઉપાય કહ્યા છે તેમાં પ્રવર્તે તે પાંચમું સ્થાનક એટલે મેક્ષપદ, તેને પામે. ૧૪૧ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ૧૪૨ પૂર્વપ્રારબ્ધયોગથી જેને દેહ વર્તે છે, પણ તે દેહથી અતીત એટલે દેહાદિની કલ્પનારહિત, આત્મામય જેની દશ વર્તે છે, તે જ્ઞાની પુરુષના ચરણકમળમાં અગણિત વાર વંદન હે! ૧૪૨ સાધન સિદ્ધ દશા અહીં, કહી સર્વ સંક્ષેપ; દર્શન સંક્ષેપમાં, ભાખ્યાં નિવિક્ષેપ. શ્રીસદગુરુચરણપણમસ્તુ. આ ૭૧૯ નડિયાદ, આ વદ ૧૦, શનિ, ૧૯૫૨ આત્માથી, મુનિપથાભ્યાસી શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજી આદિ પ્રત્યે, શ્રી સ્તંભતીર્થ. પત્ર પ્રાપ્ત થયું હતું. શ્રી સદ્દગુરુદેવના અનુગ્રહથી અત્ર સમાધિ છે. એકાંતમાં અવગાહવાને અર્થે “આત્મસિદ્ધિશાસ્ત્ર” આ જોડે કહ્યું છે. તે હાલ શ્રી લલ્લુજીએ અવગાહવા યોગ્ય છે. આખી ન રાશિ : મોકલું છેતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy