SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૬ શ્રીમદ્ રાજચંદ્ર પૂર્વે નિષેધી દેખાડ્યું છે. પ્રકૃતિ નહીં, તે અંતઃકરણાદિ કર્મ ગ્રહણ કરે તેથી આત્મામાં કર્તાપણું વળગે છે, એમ કહીએ તે તે પણ એકાંતે સિદ્ધ નથી. અંતઃકરણાદિ પણ ચેતનની પ્રેરણા વિના અંતઃકરણદિરૂપે પ્રથમ ઠરે જ ક્યાંથી? ચેતન જે કર્મવળગણાનું, મનન કરવા, અવલંબન લે છે, તે અંતઃકરણ છે. જે ચેતન મનન કરે નહીં, તે કંઈ તે વળગણામાં મનન કરવાને ધર્મ નથી; તે તે માત્ર જડ છે. ચેતનની પ્રેરણાથી ચેતન તેને અવલંબીને કંઈ ગ્રહણ કરે છે તેથી તેના વિષે કર્તાપણું આરપાય છે, પણ મુખ્યપણે તે ચેતન કર્મને કર્તા છે. આ સ્થળે તમે વેદાંતાદિ દ્રષ્ટિએ વિચારશે તે અમારાં આ વાક્યો તમને શ્રાંતિગત પુરુષનાં કહેલાં લાગશે. પણ હવે જે પ્રકાર કહ્યો છે તે સમજવાથી તમને તે વાક્યની યથાતથ્યતા લાગશે, અને બ્રાંતિગતપણું ભાસ્યમાન નહીં થાય. જે કોઈ પણ પ્રકારે આત્માનું કર્મનું કર્તવપણું ન હોય, તે કઈ પણ પ્રકારે તેનું ભેતૃત્વપણું પણ ન કરે, અને જ્યારે એમ જ હોય તો પછી તેનાં કઈ પણ પ્રકારનાં દુઃખને સંભવ પણ ન જ થાય. જ્યારે કોઈ પણ પ્રકારનાં દુઃખને સંભવ આત્માને ન જ થતું હોય તે પછી વેદાંતાદિ શાસ્ત્રો સર્વ દુઃખથી ક્ષય થવાનો જે માર્ગ ઉપદેશે છે તે શા માટે ઉપદેશે છે? “જ્યાં સુધી આત્મજ્ઞાન થાય નહીં, ત્યાં સુધી દુઃખની આત્યંતિક નિવૃત્તિ થાય નહીં,” એમ વેદાંતાદિ કહે છે: તે જે દુઃખ ન જ હોય તે તેની નિવૃત્તિને ઉપાય શા માટે કહેવું જોઈએ? અને કર્તુત્વપણું ન હોય, તે દુઃખનું ક્ષેતૃત્વપણું ક્યાંથી હોય? એમ વિચાર કરવાથી કર્મનું કર્તુત્વ કરે છે. હવે અત્રે એક પ્રશ્ન થવા યોગ્ય છે અને તમે પણ તે પ્રશ્ન કર્યું છે કે “જે કર્મનું કર્તાપણું આત્માને માનીએ, તે તે આત્માને તે ધર્મ ઠરે, અને જે જેને ધર્મ હોય તે ક્યારે પણ ઉચ્છેદ થવા ગ્ય નથી; અર્થાત્ તેનાથી કેવળ ભિન્ન પડી શકવા ગ્ય નથી, જેમ અગ્નિની ઉષ્ણુતા અથવા પ્રકાશ તેમ.” એમ જ જે કર્મનું કર્તાપણું આત્માને ધર્મ ઠરે, તે તે નાશ પામે નહીં. ઉત્તર :– સર્વ પ્રમાણશના સ્વીકાર્યા વિના એમ કરે પણ વિચારવાની હોય તે કોઈ એક પ્રમાણાંશ સ્વીકારીને બીજા પ્રમાણશને નાશ ન કરે. “તે જીવને કર્મનું કર્તાપણું ન હોય અથવા હોય તે તે પ્રતીત થવા યોગ્ય નથી,’ એ આદિ પ્રશ્ન કર્યાના ઉત્તરમાં જીવનું કર્મનું કર્તુત્વ જણાવ્યું છે. કર્મનું કતૃત્વ હોય તે તે ટળે જ નહીં, એમ કાંઈ સિદ્ધાંત સમજ યોગ્ય નથી, કેમકે જે જે કઈ પણ વસ્તુ ગ્રહણ કરી હોય તે છોડી શકાય એટલે ત્યાગી શકાય; કેમકે ગ્રહણ કરેલી વસ્તુથી ગ્રહણ કરનારી વસ્તુનું કેવળ એકત્વ કેમ થાય? તેથી જીવે ગ્રહણ કરેલાં એવાં જે દ્રવ્યકર્મ તેને જીવ ત્યાગ કરે તે થઈ શકવા યોગ્ય છે, કેમકે તે તેને સહકારી સ્વભાવે છે, સહજ સ્વભાવે નથી, અને તે કર્મને મેં તમને અનાદિ ભ્રમ કહ્યો છે, અર્થાત્ તે કર્મનું કર્તાપણું અજ્ઞાનથી પ્રતિપાદન કર્યું છે, તેથી પણ તે નિવૃત્ત થવા યોગ્ય છે, એમ સાથે સમજવું ઘટે છે. જે જે ભ્રમ હોય છે, તે તે વસ્તુની ઊલટી સ્થિતિની માન્યતારૂપ હોય છે, અને તેથી તે ટળવા યોગ્ય છે, જેમ મૃગજળમાંથી જળબુદ્ધિ. કહેવાનો હેતુ એ છે કે, અજ્ઞાને કરીને પણ જે આત્માને કર્તાપણું ન હોય, તે તે કશું ઉપદેશાદિ શ્રવણ, વિચાર, જ્ઞાન આદિ સમજવાને હેતુ રહેતું નથી. હવે અહીં આગળ જવનું પરમાર્થે જે કર્તાપણું છે તે કહીએ છીએ : (૭૭) ચેતન જે નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ–પ્રભાવ. ૭૮ આત્મા જે પિતાના શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવમાં વર્તે તે તે પિતાના તે જ સ્વભાવને કર્તા છે, અર્થાત્ તે જ સ્વરૂપમાં પરિમિત છે, અને તે શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવના ભાનમાં વર્તતે ન હોય ત્યારે કર્મભાવને કર્તા છે. ૭૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy