SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૯ મું ૫૩. છે. વળી જે માબાપોમાં ક્રોધનું વિશેષપણું જોવામાં આવે છે, તેની સંતતિમાં સમતાનું વિશેષપણું દૃષ્ટિગોચર થાય છે, તે શી રીતે થાય? વળી તે વીર્ય-રેતના તેવા ગુણો સંભવતા નથી, કેમકે તે વીર્ય–રેત પિતે ચેતન નથી, તેમાં ચેતન સંચરે છે, એટલે દેહ ધારણ કરે છે; એથી કરીને વીર્ય-રેતને આશ્રયે ક્રોધાદિ ભાવ ગણી શકાય નહીં, ચેતન વિના કેઈ પણ સ્થળે તેવા ભાવ અનુભવમાં આવતા નથી. માત્ર તે ચેતનાશ્રિત છે, એટલે વીર્ય-રેતને ગુણ નથી; જેથી તેને જૂનાધિકે કરી ક્રોધાદિનું ન્યૂનાધિકપણું મુખ્યપણે થઈ શકવા ગ્ય નથી. ચેતનના ઓછા અધિકા પ્રયોગથી ક્રોધાદિનું ન્યૂનાધિકપણું થાય છે, જેથી ગર્ભના વીર્ય-રેતને ગુણ નહીં, પણ ચેતનને તે ગુણને આશ્રય છે; અને તે ન્યૂનાધિકપણું તે ચેતનના પૂર્વના અભ્યાસથી જ સંભવે છે, કેમકે કારણ વિના કાર્યની ઉત્પત્તિ ન થાય. ચેતનને પૂર્વપ્રયાગ તથા પ્રકારે હોય, તે તે સંસ્કાર વર્તે, જેથી આ દેહાદિ પ્રથમના સંસ્કારને અનુભવ થાય છે, અને તે સંસ્કારે પૂર્વજન્મ સિદ્ધ કરે છે, અને પૂર્વજન્મની સિદ્ધિથી આત્માની નિત્યતા સહજે સિદ્ધ થાય છે. (૬૭) આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. ૬૮ આત્મા વસ્તુપણે નિત્ય છે. સમયે સમયે જ્ઞાનાદિ પરિણામના પલટવાથી તેના પર્યાયનું પલટવાપણું છે. (કંઈ સમુદ્ર પલટાતું નથી, માત્ર મેજાં પલટાય છે, તેની પેઠે) જેમ બાળ, યુવાન અને વૃદ્ધ એ ત્રણ અવસ્થા છે, તે આત્માને વિભાવથી પર્યાય છે અને બાળ અવસ્થા વર્તતાં આત્મા બાળક જણને, તે બાળ અવસ્થા છોડી જ્યારે યુવાવસ્થા ગ્રહણ કરી ત્યારે યુવાન જણાવે, અને યુવાવસ્થા તજી વૃદ્ધાવસ્થા ગ્રહણ કરી ત્યારે વૃદ્ધ જણાયો. એ ત્રણે અવસ્થાને ભેદ થયો તે પર્યાયભેદ છે, પણ તે ત્રણે અવસ્થામાં આત્મદ્રવ્યને ભેદ થયે નહીં, અર્થાત્ અવસ્થાઓ બદલાઈ, પણ આત્મા બદલાયે નથી. આત્મા એ ત્રણે અવસ્થાને જાણે છે, અને તે ત્રણે અવસ્થાની તેને જ સ્મૃતિ છે. ત્રણે અવસ્થામાં આત્મા એક હોય તે એમ બને, પણ જે આત્મા ક્ષણે ક્ષણે બદલાતે હોય તે તે અનુભવ બને જ નહીં. ૬૮ અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનારે તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર. ૬૯ વળી અમુક પદાર્થ ક્ષણિક છે એમ જે જાણે છે, અને ક્ષણિકપણું કહે છે તે કહેનાર અર્થાત્ જાણનાર ક્ષણિક હોય નહીં; કેમકે પ્રથમ ક્ષણે અનુભવ થયે તેને બીજે ક્ષણે તે અનુભવ કહી શકાય, તે બીજે ક્ષણે પિતે ન હોય તે કયાંથી કહે? માટે એ અનુભવથી પણ આત્માના અક્ષણિકપણાને નિશ્ચય કર. ૬૯ કયારે કઈ વસ્તુને, કેવળ હાય ન નાશ; ચેતન પામે નાશ તે, કેમાં ભળે તપાસ. ૭૦ વળી કોઈ પણ વસ્તુને કઈ પણ કાળે કેવળ તે નાશ થાય જ નહીં, માત્ર અવસ્થાંતર થાય, માટે ચેતનને પણ કેવળ નાશ થાય નહીં. અને અવસ્થાંતરરૂપ નાશ થતું હોય તે તે કેમાં ભળે, અથવા કેવા પ્રકારનું અવસ્થાંતર પામે તે તપાસ. અર્થાત્ ઘટાદિ પદાર્થ ફૂટી જાય છે, એટલે કે એમ કહે છે કે ઘડે નાશ પામે છે, કંઈ માટીપણું નાશ પામ્યું નથી. તે છિન્નભિન્ન થઈ જઈ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂકે થાય, તો પણ પરમાણુસમૂહરૂપે રહે, પણ કેવળ નાશ ન થાય અને તેમાંનું એક પરમાણુ પણ ઘટે નહીં, કેમકે અનુભવથી જોતાં અવસ્થાંતર થઈ શકે, પણ પદાર્થને સમૂળગે નાશ થાય એમ ભાસી જ શકવા યોગ્ય નથી, એટલે જો તું ચેતનને નાશ કહે, તે પણ કેવળ નાશ તે કહી જ શકાય નહી; અવસ્થાંતરરૂપ નાશ કહેવાય. જેમ ઘટ ફૂટી જઈ ક્રમે કરી પરમાણુસમૂહરૂપે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy