SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૨ શ્રીમદ રાજચંદ્ર છે, સ્વાભાવિક પદાર્થ છે, માટે તે પ્રત્યક્ષ “નિત્ય સમજાય છે. ૬૪ જે જે દેહાદિ સંયોગો દેખાય છે તે તે અનુભવસ્વરૂપ એવા આત્માના દ્રશ્ય છે, અર્થાત્ આત્મા તેને જુએ છે અને જાણે છે, એવા પદાર્થ છે. તે બધા સંયોગોને વિચાર કરી જુઓ તે કોઈ પણ સંગોથી અનુભવસ્વરૂપ એ આત્મા ઉત્પન્ન થઈ શકવા ગ્ય તમને જણાશે નહીં. કોઈ પણ સંગે તમને જાણતા નથી અને તમે તે સર્વ સંયેગને જાણે છે એ જ તમારું તેથી જુદાપણું અને અસંગીપણું એટલે તે સંગથી ઉત્પન્ન નહીં થવાપણું સહજે સિદ્ધ થાય છે, અને અનુભવમાં આવે છે. તેથી એટલે કઈ પણ સંયોગથી જેની ઉત્પત્તિ થઈ શકતી નથી, કોઈ પણ સંયોગ જેની ઉત્પત્તિ માટે અનુભવમાં આવી શકતા નથી, જે જે સંગે કલ્પીએ તેથી તે અનુભવ ત્યારે ને ત્યારે જ માત્ર તેને જાણનાર રૂપે જ રહે છે, તે અનુભવસ્વરૂપ આત્માને તમે નિત્ય અસ્પર્ય એટલે તે અંગેના ભાવરૂપ સ્પર્શને પામ્યું નથી, એમ જાણો. (૬૪) જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય; એવો અનુભવ કઈને, કયારે કદી ન થાય. ૬૫ જડથી ચેતન ઊપજે, અને ચેતનથી જડ ઉત્પન્ન થાય એ કઈને ક્યારે કદી પણ અનુભવ થાય નહીં. ૬૫ કઈ સંયોગથી નહિ, જેની ઉત્પત્તિ થાય; નાશ ન તેને કેઈમાં, તેથી નિત્ય સદાય. ૬૬ જેની ઉત્પત્તિ કોઈ પણ સંગેથી થાય નહીં, તેને નાશ પણ કોઈને વિષે થાય નહીં, માટે આત્મા ત્રિકાળ નિત્ય છે. ૬૬ કઈ પણ સંગથી જે ઉત્પન્ન ન થયું હોય અર્થાત્ પિતાના સ્વભાવથી કરીને જે પદાર્થ સિદ્ધ હોય, તેને લય બીજા કોઈ પણ પદાર્થમાં થાય નહીં; અને જે બીજા પદાર્થમાં તેને લય થતું હોય, તો તેમાંથી તેની પ્રથમ ઉત્પત્તિ થવી જોઈતી હતી, નહીં તો તેમાં તેની લયરૂપ ઐકયતા થાય નહીં. માટે આત્મા અનુત્પન્ન અને અવિનાશી જાણીને નિત્ય છે એવી પ્રતીતિ કરવી યોગ્ય લાગશે. (૬૬) કોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય, પૂર્વજન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય. ૬૭ ફોધાદિ પ્રકૃતિઓનું વિશેષપણું સર્પ વગેરે પ્રાણીમાં જન્મથી જ જોવામાં આવે છે, વર્તમાન દેહે તે તે અભ્યાસ કર્યો નથી; જન્મની સાથે જ તે છે, એટલે એ પૂર્વજન્મને જ સંસ્કાર છે, જે પૂર્વજન્મ જીવની નિત્યતા સિદ્ધ કરે છે. ૬૭ સર્પમાં જન્મથી ક્રોધનું વિશેષપણું જોવામાં આવે છે, પારેવાને વિષે જન્મથી જ નિહિંસકપણું જોવામાં આવે છે, માંકડ આદિ જતુઓને પકડતાં તેને પકડવાથી દુઃખ થાય છે એવી ભયસંજ્ઞા પ્રથમથી તેને અનુભવમાં રહી છે, તેથી તે નાસી જવાનું પ્રયત્ન કરે છે, કંઈક પ્રાણીમાં જન્મથી પ્રીતિનું, કંઈકમાં સમતાનું, કંઈકમાં વિશેષ નિર્ભયતાનું, કંઈકમાં ગંભીરતાનું, કંઈકમાં વિશેષ ભયસંસાનું, કંઈકમાં કામાદિ પ્રત્યે અસંગતાનું, અને કંઈકને આહારાદિ વિષે અધિક અધિક લુબ્ધપણુનું વિશેષપણું જોવામાં આવે છે, એ આદિ ભેદ એટલે ક્રોધાદિ સંજ્ઞાના ન્યૂનાધિકરણ આદિથી તેમ જ તે તે પ્રકૃતિએ જન્મથી સહચારીપણે રહી જોવામાં આવે છે તેથી તેનું કારણ પૂર્વના સંસ્કારો જ સંભવે છે. કદાપિ એમ કહીએ કે ગર્ભમાં વીર્ય-રેતના ગુણના વેગથી તે તે પ્રકારના ગુણે ઉત્પન્ન થાય છે, પણ તેમાં પૂર્વજન્મ કંઈ કારણભૂત નથી; એ કહેવું પણ યથાર્થ નથી. જે માબાપ કામને વિષે વિશેષ પ્રીતિવાળાં જોવામાં આવે છે, તેના પુત્ર પરમ વીતરાગ જેવા બાળપણથી જ જોવામાં આવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy