SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૧ વર્ષ ૨૯ મું વિચાર કરતાં પણ તે જડ જ છે, એમ સમજાય છે. તેથી તેમાંથી ચેતનની ઉત્પત્તિ થવા યેાગ્ય નથી, અને ઉત્પત્તિ થવા યાગ્ય નથી તેથી ચેતન તેમાં નાશ પણ પામવા યાગ્ય નથી. વળી તે દેહ રૂપી એટલે સ્થૂળાદિ પરિણામવાળા છે; અને ચેતન દ્રષ્ટા છે, ત્યારે તેના સંયેાગથી ચેતનની ઉત્પત્તિ શી રીતે થાય ? અને તેમાં લય પણ કેમ થાય ? દેહમાંથી ચેતન ઉત્પન્ન થાય છે, અને તેમાં જ નાશ પામે છે, એ વાત કોના અનુભવને વશ રહી? અર્થાત્ એમ કેણે જાણ્યું ? કેમકે જાણનાર એવા ચેતનની ઉત્પત્તિ દેતુથી પ્રથમ છે નહીં, અને નાશ તા તેથી પહેલાં છે, ત્યારે એ અનુભવ થયેા કાને ? ૬૨ જીવનું સ્વરૂપ અવિનાશી એટલે નિત્ય ત્રિકાળ રહેવાવાળું સંભવતું નથી; દેહના યાગથી એટલે દેહના જન્મ સાથે તે જન્મે છે અને દેહના વિયેાગે એટલે દેહના નાશથી તે નાશ પામે છે એ આશંકાનું સમાધાન આ પ્રમાણે વિચારશે :-- દેહ છે તે જીવને માત્ર સંયેાગ સંબંધે છે, પણ જીવનું મૂળ સ્વરૂપ ઉત્પન્ન થવાનું કંઈ તે કારણ નથી. અથવા દેહ છે તે માત્ર સંયાગથી ઉત્પન્ન થયેલેા એવા પદાર્થ છે. વળી તે જડ છે એટલે કોઈને જાણતા નથી; પેતાને તે જાણતા નથી તે ખીજાંને શું જાણે? વળી દેહ રૂપી છે; સ્થૂળાદિ સ્વભાવવાળા છે અને ચક્ષુના વિષય છે. એ પ્રકારે દેહનું સ્વરૂપ છે, તે તે ચેતનનાં ઉત્પત્તિ અને લયને શી રીતે જાણે ? અર્થાત્ પેાતાને તે જાણતા નથી તે મારાથી આ ચેતન ઉત્પન્ન થયું છે”, એમ શી રીતે જાણે ? અને મારા છૂટી જવા પછી આ ચેતન છૂટી જશે અર્થાત્ નાશ પામશે’ એમ જડ એવા દેહ શી રીતે જાણે ? કેમકે જાણનારા પદાર્થ તેા જાણનાર જ રહે છે; દેહ જાણનાર થઈ શકતા નથી તે પછી ચેતનનાં ઉત્પત્તિક્ષયના અનુભવ કેને વશ કહેવા ? દેહને વશ તા કહેવાય એવું છે જ નહીં, કેમકે તે પ્રત્યક્ષ જડ છે, અને તેનું જડપણું જાણનારા એવા તેથી ભિન્ન ખીજો પદાર્થ પણ સમજાય છે. જો કદી એમ કહીએ, કે ચેતનનાં ઉત્પત્તિલય ચેતન જાણે છે તે તે વાત તે ખેલતાં જ વિન્ન પામે છે. કેમકે, ચેતનનાં ઉત્પત્તિ, લય જાણનાર તરીકે ચેતનના જ અંગીકાર કરવે પડ્યો, એટલે એ વચન તે માત્ર અપસિદ્ધાંતરૂપ અને કહેવામાત્ર થયું, જેમ ‘મારા મેઢામાં જીભ નથી’ એવું વચન કાઈ કહે તેમ ચેતનનાં ઉત્પત્તિ, લય ચેતન જાણે છે, માટે ચેતન નિત્ય નથી; એમ કહીએ તે, તેવું પ્રમાણ થયું. તે પ્રમાણુનું કેવું યથાર્થપણું છે તે તમે જ વિચારી જુએ. (૬૨) જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન; તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન. ૬૩ જેના અનુભવમાં એ ઉત્પત્તિ અને નાશનું જ્ઞાન વર્તે તે ભાન તેથી જુદા વિના કેાઈ પ્રકારે પણ સંભવતું નથી, અર્થાત્ ચેતનનાં ઉત્પત્તિ, લય થાય છે, એવા કોઈને પણ અનુભવ થવા યેાગ્ય છે નહીં. ૬૩ દેહની ઉત્પત્તિ અને દેહના લયનું જ્ઞાન જેના અનુભવમાં વર્તે છે, તે તે દેહથી જુદા ન હેાય તા કઈ પણ પ્રકારે દેહની ઉત્પત્તિ અને લયનું જ્ઞાન થાય નહીં. અથવા જેની ઉત્પત્તિ અને લય જે જાણે છે તે તેથી જુદા જ હેાય, કેમકે તે ઉત્પત્તિલયરૂપ ન કર્યાં, પણ તેના જાણુનાર ઠર્યાં. માટે તે એની એકતા કેમ થાય ? (૬૩) જે સંયેાગે દેખિયે, તે તે અનુભવ દૃશ્ય; ઊપજે નહિં સંચેાગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. ૬૪ જે જે સંચાગા દેખીએ છીએ તે તે અનુભવસ્વરૂપ એવા આત્માના હૃશ્ય એટલે તેને આત્મા જાણું છે, અને તે સંયાગનું સ્વરૂપ વિચારતાં એવા કોઈ પણ સંયેાગ સમજાતા નથી કે જેથી આત્મા ઉત્પન્ન થાય છે, માટે આત્મા સંયેાગથી નહીં ઉત્પન્ન થયેલા એવા છે; અર્થાત્ અસંયાગી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy