SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ર૯ મું પર સમાધાન - સદગુરુ ઉવાચ (આત્મા છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે:-) ભાસ્ય દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ૪૯ દેહાધ્યાસથી એટલે અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહને પરિચય છે, તેથી આત્મા દેહ જે અર્થાત્ તને દેહ ભાસ્યું છે, પણ આત્મા અને દેહ બને જુદાં છે, કેમકે બેય જુદાં જુદાં લક્ષણથી પ્રગટ ભાનમાં આવે છે. ૪૯ ભાસ્ય દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. ૫૦ અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહના પરિચયથી દેહ જ આત્મા ભાસે છે; અથવા દેહ જે આત્મા ભાસ્યું છે, પણ જેમ તરવાર ને મ્યાન, મ્યાનરૂપ લાગતાં છતાં બન્ને જુદાં જુદાં છે, તેમ આત્મા અને દેહ બન્ને જુદા જુદા છે. પ૦, જે દ્રષ્ટા છે દ્રષ્ટિને, જે જાણે છે રૂપ; - અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. ૫૧ તે આત્મા દ્રષ્ટિ એટલે આંખથી ક્યાંથી દેખાય? કેમકે ઊલટો તેને તે જેનાર છે. સ્થૂળસૂક્ષ્માદિ રૂપને જે જાણે છે, અને સર્વને બાધ કરતાં કરતાં કઈ પણ પ્રકારે જેને બાધ કરી શકાતું નથી એ બાકી જે અનુભવ રહે છે તે જીવનું સ્વરૂપ છે. ૫૧ ૧છે ઈન્દ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચ ઈન્દ્રોના વિષયનું, પણ આત્માને ભાન. પર કર્ણન્દ્રિયથી સાંભળ્યું તે તે કર્ણેન્દ્રિય જાણે છે, પણ ચક્ષુ-ઈદ્રિય તેને જાણતી નથી, અને ચક્ષુ-ઇઢિયે દીઠેલું તે કણેન્દ્રિય જાણતી નથી. અર્થાત્ સૌ સૌ ઇન્દ્રિયને પિતા પોતાના વિષયનું જ્ઞાન છે, પણ બીજી ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન નથી; અને આત્માને તે પાંચ ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન છે. અર્થાત્ જે તે પાંચે ઇદ્રિના ગ્રહણ કરેલા વિષયને જાણે છે તે “આત્મા છે, અને આત્મા વિના એકેક ઇદ્રિય એકેક વિષયને ગ્રહણ કરે એમ કહ્યું તે પણ ઉપચારથી કહ્યું છે. પર દેહ ન જાણે તેહને, જાણે ન ઈદ્રી, પ્રાણ આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણુ. ૫૩ આ દેહ તેને જાણ નથી, ઇઢિયે તેને જાણતી નથી અને શ્વાસે શ્વાસરૂપ પ્રાણુ પણ તેને જાણતું નથી, તે સૌ એક આત્માની સત્તા પામીને પ્રવર્તે છે, નહીં તે જડપણે પડ્યાં રહે છે, એમ જાણુ. ૫૩ સર્વ અવસ્થાને વિષે, ત્યારે સદા જણાય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણુ સદાય. ૫૪ જાગ્રત, સ્વપ્ન અને નિદ્રા એ અવસ્થામાં વર્તતે છતાં તે તે અવસ્થાએથી જુદો જે રહ્યા કરે છે, અને તે તે અવસ્થા વ્યતીત થયે પણ જેનું હવાપણું છે, અને તે તે અવસ્થાને જે જાણે છે, એ પ્રગટસ્વરૂપ ચૈતન્યમય છે, અર્થાત્ જાણ્યા જ કરે છે એ જેને સ્વભાવ પ્રગટ છે, અને એ તેની નિશાની સદાય વર્તે છે; કોઈ દિવસ તે નિશાનીને ભંગ થતું નથી. ઘટ, પટ આદિ જાણુ તું, તેથી તેને માન, જાણનાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન? ૫૫ ૧ પાઠાંતર – કાન ન જાણે આંખને, આંખ ને જાણે કાન; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy