SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ર૦ મું ૫૩૭ એમ મતાથી જીવનાં લક્ષણ કહ્યાં. તે કહેવાને હેતુ એ છે કે કોઈ પણ જીવને તે જાણીને મતાર્થ જાય. હવે આત્માથી જીવનાં લક્ષણ કહીએ છીએ – તે લક્ષણ કેવાં છે? તે કે આત્માને અવ્યાબાધ સુખની સામગ્રીના હેતુ છે. ૩૩ આત્માર્થી–લક્ષણ આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ ક૯૫ના, આત્માર્થી નહિ જોય. ૩૪ યાં આત્મજ્ઞાન હોય ત્યાં મનિપણું હોય, અર્થાત આત્મજ્ઞાન ન હોય ત્યાં મનિપણે ન જ સંભવે. ‘૩ સંવંતિ પસંદૃ તે મોતિ પાસ’ – જ્યાં સમકિત એટલે આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું જાણે એમ “આચારાંગસૂત્રમાં કહ્યું છે, એટલે જેમાં આત્મજ્ઞાન હોય તે સાચા ગુરુ છે એમ જાણે છે, અને આત્મજ્ઞાનરહિત હોય તે પણ પિતાના કુળના ગુરુને સદ્દગુરુ માનવા એ માત્ર કલ્પના છે, તેથી કંઈ વિચ્છેદ ન થાય એમ આત્માથીં જુએ છે. ૩૪ પ્રત્યક્ષ સદ્દગુરુ પ્રાપ્તિને, ગણે પરમ ઉપકાર; ત્રણે વેગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. ૩૫ પ્રત્યક્ષ સદૂગુરુની પ્રાપ્તિને મેટો ઉપકાર જાણે, અર્થાત્ શાસ્ત્રાદિથી જે સમાધાન થઈ શકવા યોગ્ય નથી, અને જે દોષો સદૂગુરૂની આજ્ઞા ધારણ કર્યા વિના જતા નથી તે સદગુરુગથી સમાધાન થાય, અને તે દેષ ટળે, માટે પ્રત્યક્ષ સદૂગુરુને મોટો ઉપકાર જાણે, અને તે સદગુરુ પ્રત્યે મન, વચન, કાયાની એક્તાથી આજ્ઞાંકિતપણે વર્તે. ૩૫ એક હેય ત્રણ કાળમાં, પરમારથ પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. ૩૬ ત્રણે કાળને વિષે પરમાર્થને પંથ એટલે મોક્ષને માર્ગ એક હવે જોઈએ, અને જેથી તે પરમાર્થ સિદ્ધ થાય તે વ્યવહાર જીવે માન્ય રાખવું જોઈએ; બીજે નહીં. ૩૬ એમ વિચારી અંતરે, શેલ્વે સદ્દગુરુ યંગ; કામ એક આત્માર્થનું, બીજે નહિ મનરેગ. ૩૭ એમ અંતરમાં વિચારીને જે સદ્દગુરુના વેગને શેધ કરે, માત્ર એક આત્માર્થની ઈચ્છા રાખે પણ માનપૂજાદિક, સિદ્ધિરિદ્ધિની કશી ઈચ્છા રાખે નહીં – એ રેગ જેના મનમાં નથી. ૩૭ * કષાયની ઉપશાંતતા, માત્ર મિક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણદયા, ત્યાં આત્માર્થ નિવાસ. ૩૮. જ્યાં કષાય પાતળા પડ્યા છે, માત્ર એક એક્ષપદ સિવાય બીજા કેઈ પદની અભિલાષા નથી, સંસાર પર જેને વૈરાગ્ય વર્તે છે, અને પ્રાણીમાત્ર પર જેને દયા છે, એવા જીવને વિષે આત્માર્થને નિવાસ થાય. ૩૮ દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જેગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રેગ. ૩૯ જ્યાં સુધી એવી જોગદશા જીવ પામે નહીં, ત્યાં સુધી તેને મેક્ષમાર્ગની પ્રાપ્તિ ન થાય, અને આત્મબ્રાંતિરૂપ અનંત દુઃખને હેતુ એ અંતરગ ન મટે. ૩૯ આવે જ્યાં એવી દશા, સદ્દગુરુબોધ સુહાય; તે બેધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. ૪૦ એવી દશા જ્યાં આવે ત્યાં સદ્દગુરુને બંધ શોભે અર્થાત્ પરિણામ પામે, અને તે બધા પરિણામથી સુખદાયક એવી સુવિચારદશા પ્રગટે. ૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy