SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૧ વર્ષ ૨૯ મું કંઈ કારણ નથી એમ કહેવાને માટે. તેમ જે જે પિતાના વિચારથી સ્વયંબોધ પામ્યા છે એમ કહ્યું છે તે પણ વર્તમાન દેહે પોતાના વિચારથી અથવા બોધથી બૂક્યા કહ્યા છે, પણ પૂર્વે તે વિચાર અથવા બોધ તેણે સન્મુખ કર્યો છે તેથી વર્તમાનમાં તે કુરાયમાન થવાનો સંભવ છે. તીર્થંકરાદિ “સ્વયંબુદ્ધ' કહ્યા છે તે પણ પૂર્વે ત્રીજે ભવે સદ્દગુરુથી નિશ્ચય સમકિત પામ્યા છે એમ કહ્યું છે. એટલે તે સ્વયંબુદ્ધપણું કહ્યું છે તે વર્તમાન દેહની અપેક્ષાએ કહ્યું છે, અને તે સદૂગુરુપદના નિષેધને અર્થે કહ્યું નથી. આ અને જો સદ્ગુરુપદને નિષેધ કરે તે તે “સદુદેવ, સદ્ગુરુ અને સદ્ધર્મની પ્રતીતિ વિના સમતિ કહ્યું નથી”, તે કહેવા માત્ર જ થયું. અથવા જે શાસ્ત્રનું તમે પ્રમાણુ લે છે તે શાસ્ત્ર સદ્ગુરુ એવા જિનનાં કહેલાં છે તેથી પ્રમાણિક માનવાં મેગ્ય છે કે કોઈ અસદ્દગુરુનાં કહેલાં છે તેથી પ્રમાણિક માનવાં મેગ્ય છે? જે અસદ્દગુરુનાં શાસ્ત્રો પણ પ્રમાણિક માનવામાં બાધ ન હોય, તે તે અજ્ઞાન અને રાગદ્વેષ આરાધવાથી પણ મિક્ષ થાય એમ કહેવામાં બાધ નથી, તે વિચારવા યોગ્ય છે. આચારાંગસૂત્રમાં (પ્રથમ શ્રુતસ્કંધ, પ્રથમાધ્યયનના પ્રથમ ઉદેશે, પ્રથમ વાક્ય) કહ્યું છે કે – આ જીવ પૂર્વથી આવ્યો છે? પશ્ચિમથી આવ્યો છે? ઉત્તરથી આવ્યો છે ? દક્ષિણથી આવ્યો છે? અથવા ઉચેથી? નીચેથી કે કોઈ અનેરી દિશાથી આવ્યું છે? એમ જે જાણતું નથી તે મિથ્યાદ્રષ્ટિ છે, જે જાણે તે સમ્યદૃષ્ટિ છે. તે જાણવાનાં ત્રણ કારણે આ પ્રમાણે – (૧) તીર્થંકરના ઉપદેશથી, (૨) સદ્દગુરુના ઉપદેશથી, અને (૩) જાતિસ્મૃતિજ્ઞાનથી. અત્રે જાતિસ્મૃતિ જ્ઞાન કહ્યું તે પણ પૂર્વના ઉપદેશની સંધિ છે. એટલે પૂર્વે તેને બંધ થવામાં સદ્દગુરુને અસંભવ ધાર ઘટતા નથી. વળી ઠામ ઠામ જિનાગમમાં એમ કહ્યું છે કે – ગુણો છંદાજુવારે ગુરુની આજ્ઞાએ પ્રવર્તવું. ગુરુની આજ્ઞાએ ચાલતાં અનંતા જ સીયા, સીઝે છે અને સીઝશે. તેમ કઈ જીવ પિતાના વિચારથી બંધ પામ્યા, તેમાં પ્રાયે પૂર્વે સદ્દગુરુઉપદેશનું કારણ હોય છે. પણ કદાપિ જ્યાં તેમ ન હોય ત્યાં પણ તે સદ્દગુરુને નિત્યકામી રહ્યો થકો સદ્વિચારમાં પ્રેરાતે પ્રેરાતે સ્વવિચારથી આત્મજ્ઞાન પામ્યું એમ કહેવા યોગ્ય છે અથવા તેને કંઈ સદ્ગુરુની ઉપેક્ષા નથી અને જ્યાં સદ્ગુરુની ઉપેક્ષા વર્તે ત્યાં માનને સંભવ થાય છે, અને જ્યાં સદ્ગુરુ પ્રત્યે માન હોય ત્યાં કલ્યાણ થવું કહ્યું, કે તેને સદ્વિચાર પ્રેરવાને આત્મગુણ કહ્યો. તથારૂપ માન આત્મગુણનું અવશ્ય ઘાતક છે. બાહુબળજીમાં અનેક ગુણસમૂહ વિદ્યમાન છતાં નાના અઠ્ઠાણું ભાઈને વંદન કરવામાં પિતાનું લઘુપણું થશે, માટે અત્રે જ ધ્યાનમાં રોકાવું એગ્ય છે એમ રાખી એક વર્ષ સુધી નિરાહારપણે અનેક ગુણસમુદાયે આત્મધ્યાનમાં રહ્યા, તે પણ આત્મજ્ઞાન થયું નહીં. બાકી બીજી બધી રીતની ગ્યતા છતાં એક એ માનના કારણથી તે જ્ઞાન અટક્યું હતું. જ્યારે શ્રી ઋષભદેવે પ્રેરેલી એવી બ્રાહ્મી અને સુંદરી સતીએ તેને તે દોષ નિવેદન કર્યો અને તે દેષનું ભાન તેને થયું તથા તે દેશની ઉપેક્ષા કરી અસારત્વ જાણ્યું ત્યારે કેવળજ્ઞાન થયું. તે માન જ અત્રે ચાર ઘનઘાતી કર્મનું મૂળ થઈ વળ્યું હતું. વળી બાર બાર મહિના સુધી નિરાહારપણે, એક લશે, એક આસને, આત્મવિચારમાં રહેનાર એવા પુરુષને એટલા માટે તેવી બારે મહિનાની દશા સફળ થવા ન દીધી, અર્થાત્ તે દશાથી માન ન સમજાયું અને જ્યારે સદ્દગુરુ એવા શ્રી અષભદેવે તે માન છે એમ પ્રેર્યું ત્યારે મુહૂર્તમાં તે માન વ્યતીત થયું; એ પણ સદૂગુરુનું જ માહાસ્ય દર્શાવ્યું છે. ૧. સૂત્રકૃતાંગ, પ્રથમ શ્રુતસ્કંધ, દ્વિતીય અધ્યયન, ગા૦ ૩૨, For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy