SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૦ શ્રીમદ્ રાજચંદ્ર અને અસેડ્યા કેવળી જેમણે પૂર્વે કઈ પાસેથી ધર્મ સાંભળ્યું નથી તેને કઈ તથારૂપ આવરણના ક્ષયથી જ્ઞાન ઊપસ્યું છે, એમ શાસ્ત્રમાં નિરૂપણ કર્યું છે, તે આત્માનું માહાસ્ય દર્શાવવા, અને જેને સદ્ગુરુગ ન હોય તેને જાગ્રત કરવા, તે તે અનેકાંતમાર્ગ નિરૂપણ કરવા દર્શાવ્યું છે; પણ સદ્ગુરુ આજ્ઞાએ પ્રવર્તવાને માર્ગ ઉપેક્ષિત કરવા દર્શાવ્યું નથી. વળી એ સ્થળે તે ઊલટું તે માર્ગ ઉપર દ્રષ્ટિ આવવા વધારે સબળ કર્યું છે, અને કહ્યું છે કે તે અા કેવળી. અર્થાત્ અા કેવળીને આ પ્રસંગ સાંભળીને કેઈએ જે શાશ્વતમાર્ગ ચાલ્યા આવે છે, તેના નિષેધ પ્રત્યે જવું એ આશય નથી, એમ નિવેદન કર્યું છે. કઈ તીવ્ર આત્માથીને એ કદાપિ સદ્દગુરુને વેગ ન મળ્યું હોય, અને તેની તીવ્ર કામનામાં ને કામનામાં જ નિજ વિચારમાં પડવાથી, અથવા તીવ્ર આત્માર્થને લીધે નિજ વિચારમાં પડવાથી, આત્મજ્ઞાન થયું હોય તે તે સદૂગુરૂમાર્ગને ઉપેક્ષિત નહીં એવે, અને સદૂગુરુથી પિતાને જ્ઞાન મળ્યું નથી માટે મેટો છું એ નહીં હોય, તેને થયું હોય; એમ વિચારી વિચારવાન જીવે શાશ્વત મોક્ષમાર્ગને લેપ ન થાય તેવું વચન પ્રકાશવું જોઈએ. એક ગામથી બીજે ગામ જવું હોય અને તેને માર્ગ દીઠ ન હોય એવો પોતે પચાસ વર્ષને પુરુષ હોય, અને લાખે ગામ જોઈ આવ્યું હોય તેને પણ તે માર્ગની ખબર પડતી નથી, અને કોઈને પૂછે ત્યારે જણાય છે, નહીં તે ભૂલ ખાય છે, અને તે માર્ગને જાણનાર એવું દશ વર્ષનું બાળક પણ તેને તે માર્ગ દેખાડે છે તેથી તે પહોંચી શકે છે; એમ લૌકિકમાં અથવા વ્યવહારમાં પણ પ્રત્યક્ષ છે. માટે જે આત્માર્થી હોય, અથવા જેને આત્માર્થની ઈચ્છા હોય તેણે સદ્દગુરુના વેગે તરવાના કામી જીવનું કલ્યાણ થાય એ માર્ગ લેપ ઘટે નહીં, કેમકે તેથી સર્વ જ્ઞાની પુરુષની આજ્ઞા લેપવા બરાબર થાય છે. પૂર્વે સદ્ગુરુને ગ તે ઘણી વખત થયે છે, છતાં જીવનું કલ્યાણ થયું નહીં, જેથી સદ્ગુરુના ઉપદેશનું એવું કંઈ વિશેષપણું દેખાતું નથી, એમ આશંકા થાય તે તેને ઉત્તર બીજા પદમાં જ કહ્યો છે કે – જે પિતાના પક્ષને ત્યાગી દઈ સદ્ગુરુના ચરણને સેવે, તે પરમાર્થને પામે. અર્થાત્ પૂર્વે સદુગુરુને વેગ થવાની વાત સત્ય છે, પરંતુ ત્યાં જીવે તેને સદ્ગુરુ જાણ્યા નથી, અથવા ઓળખ્યા નથી, પ્રતીત્યા નથી, અને તેની પાસે પોતાનાં માન અને મત મૂકયાં નથી, અને તેથી સદૂગુરુને ઉપદેશ પરિણામ પામ્યું નહીં, અને પરમાર્થની પ્રાપ્તિ થઈ નહીં; એમ જે પિતાને મત એટલે સ્વછંદ અને કુળધર્મને આગ્રહ દૂર કરીને સદુપદેશ ગ્રહણ કરવાને કામી થયે હેત તે અવશ્ય પરમાર્થ પામત. અત્રે અસદ્દગુરુએ દૃઢ કરાવેલા દુર્બોધથી અથવા માનાદિકના તીવ્ર કામીપણુથી એમ પણ આશંકા થવી સંભવે છે કે કંઈક છાનાં પૂર્વે કલ્યાણ થયાં છે, અને તેમને સદ્દગુરુના ચરણ સેવ્યા વિના કલ્યાણની પ્રાપ્તિ થઈ છે, અથવા અસગુરુથી પણ કલ્યાણની પ્રાપ્તિ થાય; અસગુરુને પિતાને ભલે માર્ગની પ્રતીતિ નથી, પણ બીજાને તે પમાડી શકે, એટલે બીજો તે માર્ગની પ્રતીતિ, તેને ઉપદેશ સાંભળીને કરે છે તે પરમાર્થને પામે; માટે સદ્ગુરુચરણને સેવ્યા વિના પણ પરમાર્થની પ્રાપ્તિ થાય, એવી આશંકાનું સમાધાન કરે છે – યદ્યપિ કઈ છે પિતે વિચાર કરતાં ખૂક્યા છે, એવો શાસ્ત્રમાં પ્રસંગ છે, પણ કેઈ સ્થળે એ પ્રસંગ કહ્યો નથી કે અસદ્દગુરુથી અમુક બૂક્યા. હવે કોઈ પિતે વિચાર કરતાં મૂક્યા છે એમ કહ્યું છે તેમાં શાસ્ત્રોને કહેવાને હેતુ એ નથી કે સદ્દગુરુની આજ્ઞાએ વર્તવાથી જીવનું કલ્યાણ થાય છે એમ અમે કહ્યું છે પણ તે વાત યથાર્થ નથી; અથવા સદ્દગુરુની આજ્ઞાનું જીવને ૧, મૂળ પાઠ મૂકવા ધારેલો પણ મુકાયો લાગતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy