SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ર૯ મુ પર, તે પરમાર્થને પામે, અને નિજપદને એટલે આત્મસ્વભાવને લક્ષ લે. અર્થાત્ ઘણાને કિયાજડત્વ વર્તે છે તેને હેતુ એ છે કે અસદ્દગુરુ કે જે આત્મજ્ઞાન અને આત્મજ્ઞાનના સાધનને જાણતા નથી તેને તેણે આશ્રય કર્યો છે, જેથી તેને માત્ર ક્રિયાજડત્વને એટલે કાયક્લેશને માર્ગ જાણે છે, તેમાં વળગાડે છે, અને કુળધર્મ દ્રઢ કરાવે છે જેથી તેને સદ્ગુરુને વેગ મેળવવાની આકાંક્ષા થતી નથી, અથવા તેવા વેગ મળે પણ પક્ષની દ્રઢ વાસના તેને સદુપદેશસન્મુખ થવા દેતી નથી, એટલે ક્રિયાજડત્વ ટળતું નથી, અને પરમાર્થની પ્રાપ્તિ થતી નથી. અને જે શુષ્કજ્ઞાની છે તેણે પણ સદ્ગુરુના ચરણ સેવ્યા નથી, માત્ર પિતાની મતિકલ્પનાથી સ્વછંદપણે અધ્યાત્મગ્રંથે વાંચા છે, અથવા શુષ્કજ્ઞાની સમીપથી તેવા ગ્રંથે કે વચને સાંભળી લઈને પિતાને વિષે જ્ઞાનીપણું માન્યું છે, અને જ્ઞાની ગણવાના પદનું એક પ્રકારનું માન છે તેમાં તેને મીઠાશ રહી છે, અને એ તેને પક્ષ થયે છે, અથવા કોઈ એક કારણવિશેષથી શાસ્ત્રોમાં દયા, દાન, અને હિંસા, પૂજાનું સમાનપણું કહ્યું છે તેવાં વચનને તેને પરમાર્થ સમજ્યા વિના હાથમાં લઈને માત્ર પિતાને જ્ઞાની મનાવા અર્થે, અને પામર જીવના તિરસ્કારના અર્થે તે વચનેને ઉપયોગ કરે છે, પણ તેવાં વચને કયે લક્ષે સમજવાથી પરમાર્થ થાય છે તે જાણતું નથી. વળી જેમ દયાદાનાદિકનું શાસ્ત્રોમાં નિષ્ફળપણું કહ્યું છે તેમ નવપૂર્વ સુધી ભણ્યા છતાં તે પણ અફળ ગયું એમ જ્ઞાનનું પણ નિષ્ફળપણું કહ્યું છે, તે તે શુષ્કજ્ઞાનને જ નિષેધ છે. એમ છતાં તેને લક્ષ તેને થતું નથી, કેમકે જ્ઞાની બનવાન માને તેને આત્મા મૂઢતાને પામે છે, તેથી તેને વિચારને અવકાશ રહ્યો નથી. એમ દિયાજડ અથવા શક્કજ્ઞાની તે બને ભૂલ્યા છે. અને તે પરમાર્થ પામવ રાખે છે, અથવા પરમાર્થ પામ્યા છીએ એમ કહે છે, તે માત્ર તેમને દુરાગ્રહ તે પ્રત્યક્ષ દેખાય છે. જે સદ્દગુરુના ચરણ સેવ્યા હોત, તે એવા દુરાગ્રહમાં પડી જવાને વખત ન આવત, અને આત્મસાધનમાં જીવ દેરાત, અને તથારૂપ સાધનથી પરમાર્થને પામત, અને નિજ પદને લક્ષ લેત; અર્થાત્ તેની વૃત્તિ આત્મસન્મુખ થાત. વળી ઠામ ઠામ એકાકીપણે વિચરવાનો નિષેધ કર્યો છે, અને સદ્દગુરુની સેવામાં વિચરવાને જ ઉપદેશ કર્યો છે, તેથી પણ એમ સમજાય છે કે જીવને હિતકારી અને મુખ્ય માર્ગ તે જ છે; અને અસદ્દગુરુથી પણ કલ્યાણ થાય એમ કહેવું છે તે તીર્થંકરાદિની, જ્ઞાનીની આશાતના કરવા સમાન છે, કેમકે તેમાં અને અસદ્દગુરુમાં કંઈ ભેદ ન પડ્યો; જન્માંધ, અને અત્યંત શુદ્ધ નિર્મળ ચક્ષુવાળાનું કંઈ ન્યૂનાવિકપણું ઠર્યું જ નહીં. વળી કઈ “શ્રી ઠાણાંગસૂત્રની ચભંગી" ગ્રહણ કરીને એમ કહે કે “અભયના તાય પણ તરે, તે તે વચન પણ વદતે વ્યાઘાત જેવું છે, એક તે મૂળમાં કાણુગ'માં તે પ્રમાણે પાઠ જ નથી; જે પાઠ છે તે આ પ્રમાણે છે – તેને શબ્દાર્થ આ પ્રમાણે છે – તેને વિશેષાર્થ ટીકાકારે આ પ્રમાણે કર્યો છે –........જેમાં કોઈ સ્થળે અભચના તાર્યા તરે એવું કહ્યું નથી, અને કોઈ એક ટબામાં કેઈએ એવું વચન લખ્યું છે તે તેની સમજનું અયથાર્થપણું સમજાય છે. કદાપિ એમ કોઈ કહે કે અભવ્ય કહે છે તે યથાર્થ નથી, એમ ભાસવાથી યથાર્થ શું છે, તેને લક્ષ થવાથી સ્વવિચારને પામીને તય એમ અર્થ કરીએ તે તે એક પ્રકારે સંભવિત થાય છે, પણ તેથી અભવ્યના તાર્યા તર્યા એમ કહી શકાતું નથી. એમ વિચારી જે માર્ગેથી અનંત જીવ તર્યા છે. અને તરશે તે માર્ગને અવગાહ અને સ્વપિત અર્થને માનાદિની જાળવણી છેડી દઈ ત્યાગ કરે એ જ શ્રેય છે. જે અભવ્યથી તરાય છે એમ તમે કહે, તે તે અવશ્ય નિશ્ચય થાય છે કે અસદ્દગુરુથી તરાશે એમાં કશે સંદેહ નથી. ૧, જુઓ આંક ૫૪૨, ૨, મૂળ પાઠ ભૂવા ધારેલે પણું મુકાયે લાગતું નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy