SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૬ શ્રીમદ્ રાજચંદ્ર વડવા (તંભતીર્થ સમીપ), ભાદરવા સુદ ૧૧, ગુરુ, ૧૯૫૨ શુભેચ્છા સંપન્ન આર્ય કેશવલાલ પ્રત્યે, લીંબડી. સહજત્મસ્વરૂપ યથાયોગ્ય પ્રણામ પ્રાપ્ત થાય. ત્રણ પત્રે પ્રાપ્ત થયાં છે. “કંઈ પણ વૃત્તિ રોકતાં, તે કરતાં વિશેષ અભિમાન વર્તે છે, તેમ જ “તૃષ્ણના પ્રવાહમાં ચાલતાં તણાઈ જવાય છે, અને તેની ગતિ રેવાનું સામર્થ્ય રહેતું નથી” ઇત્યાદિ વિગત તથા “ક્ષમાપના અને કર્કટી રાક્ષસીના ગવાસિષ્ઠ સંબંધી પ્રસંગની જગતભ્રમ ટાળવા માટેમાં વિશેષતા” લખી તે વિગત વાંચી છે. હાલ લખવામાં ઉપયોગ વિશેષ રહી શકતો નથી, જેથી પત્રની પહોંચ પણ લખતાં રહી જાય છે સંક્ષેપમાં તે પત્રેના ઉત્તર નીચે લખ્યા પરથી વિચારવા યોગ્ય છે. ૧. વૃત્તિ આદિ સંક્ષેપ અભિમાનપૂર્વક થતું હોય તે પણ કરવું ઘટે. વિશેષતા એટલી કે તે અભિમાન પર નિરંતર ખેદ રાખ. તેમ બને તે કામ કરીને વૃત્તિઆદિને સંક્ષેપ થાય, અને તે સંબંધી અભિમાન પણ સંક્ષેપ થાય. ૨. ઘણે સ્થળે વિચારવાન પુરૂએ એમ કહ્યું છે કે જ્ઞાન થયે કામ, ક્રોધ, તૃષ્ણાદિ ભાવ નિર્મૂળ થાય. તે સત્ય છે, તથાપિ તે વચને એ પરમાર્થ નથી કે જ્ઞાન થયા પ્રથમ તે મેળાં ન પડે કે ઓછાં ન થાય. મૂળસહિત છેદ તે જ્ઞાન કરીને થાય, પણ કષાયાદિનું મેળાપણું કે એ છાપણું ન થાય ત્યાં સુધી જ્ઞાન ઘણું કરીને ઉત્પન્ન જ ન થાય. જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે અને તે વિચારને વૈરાગ્ય (ભેગ પ્રત્યે અનાસક્તિ) તથા ઉપશમ (કષાયાદિનું ઘણું જ મંદપણું, તે પ્રત્યે વિશેષ ખેદ) બે મુખ્ય આધાર છે, એમ જાણી તેને નિરંતર લક્ષ રાખી તેવી પરિણતિ કરવી ઘટે. સપુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરીને ઉદ્ભવ થતો નથી અને પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ, સપુરુષની પ્રતીતિ એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હોવાથી તેમની “અનન્ય આશ્રયભક્તિ પરિણામ પામ્યથી, થાય છે. ઘણું કરી એકબીજાં કારણેને અન્યાશ્રય જેવું છે. ક્યાંક કોઈનું મુખ્યપણું છે, ક્યાંક કોઈનું મુખ્યપણું છે, તથાપિ એમ તે અનુભવમાં આવે છે કે ખરેખર મુમુક્ષુ હોય તેને સત્પરુષની “આશ્રયભક્તિ અહંભાવાદિ છેદવાને માટે અને અ૫ કાળમાં વિચારદશા પરિણામ પામવાને માટે ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે. ભેગમાં અનાસક્તિ થાય, તથા લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે તે તૃષ્ણ નિર્બળ થતી જાય છે. લૌકિક માન આદિનું તુચ્છપણું સમજવામાં આવે તે તેની વિશેષતા ન લાગે અને તેથી તેની ઇચ્છા સહેજે મળી પડી જાય, એમ યથાર્થ ભાસે છે. માંડ માંડ આજીવિકા ચાલતી હોય તે પણ મુમુક્ષુને તે ઘણું છે, કેમકે વિશેષને કંઈ અવશ્ય ઉપગ (કારણ) નથી, એમ જ્યાં સુધી નિશ્ચયમાં ન આણવામાં આવે ત્યાં સુધી તૃષ્ણા નાનાપ્રકારે આવરણ કર્યા કરે. લૌકિક વિશેષતામાં કંઈ સારભૂતતા જ નથી, એમ નિશ્ચય કરવામાં આવે તે માંડ આજીવિકા જેટલું મળતું હોય તો પણ તૃપ્તિ રહે. માંડ આજીવિકા જેટલું મળતું ન હોય તે પણ મુમુક્ષુ જીવ આર્તધ્યાન ઘણું કરીને થવા ન દે, અથવા થેયે તે પર વિશેષ ખેદ કરે, અને આજીવિકામાં ત્રુટતું યથાધર્મ ઉપાર્જન કરવાની મંદ કલપના કરે. એ આદિ પ્રકારે વર્તતાં તૃષ્ણને પરાભવ (ક્ષીણ) થવા યોગ્ય દેખાય છે. ૩. ઘણું કરીને પુરુષને વચને આધ્યાત્મિકશાસ્ત્ર પણ આત્મજ્ઞાનને હેતુ થાય છે, કેમકે પરમાર્થઆત્મા શાસ્ત્રમાં વર્તતું નથી, પુરુષમાં વર્તે છે. મુમુક્ષુએ જે કઈ પુરુષને આશ્રય પ્રાપ્ત થયે હોય તે પ્રાયે જ્ઞાનની યાચના કરવી ન ઘટે, માત્ર તથારૂપ વૈરાગ્ય ઉપશમાદિ પ્રાપ્ત કરવાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy