SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૯ મું ૫૧૩ વૈરાગ્યવાન પુરુષ ગૃહસ્થાશ્રમ પામ્યા પહેલાં ત્યાગ કરે તે તેણે યોગ્ય કર્યું છે, એમ જિનસિદ્ધાંત પ્રાયે કહે છે કેમકે અપૂર્વ એવાં સાધનો પ્રાપ્ત થયે ભેગાદિ ભેગવવાના વિચારમાં પડવું, અને તેની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરી પિતાનું પ્રાપ્ત આત્મસાધન ગુમાવવા જેવું કરવું, અને પિતાથી સંતતિ થશે તે મનુષ્યદેહ પામશે તે મેક્ષ સાધનરૂપ થશે, એવી મનોરથમાત્ર કલ્પનામાં પડવું તે મનુષ્યપણાનું ઉત્તમપણું ટાળીને પશુવત્ કરવા જેવું થાય. ઇઢિયાદિ શાંત થયાં નથી, જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં હજી જે ત્યાગ કરવાને ગ્ય નથી, એવા કોઈ મંદ કે મેહરાગ્યવાન જીવને ત્યાગ લેવે પ્રશસ્ત જ છે, એમ કંઈ જિનસિદ્ધાંત એકાંતે નથી. પ્રથમથી જ જેને ઉત્તમ સંસ્કારવાળે વૈરાગ્ય ન હોય તે પુરુષ કદાપિ ત્યાગને પરિણામે લક્ષ રાખી આશ્રમપૂર્વક પ્રવર્તે તે તેણે એકાંતે ભૂલ જ કરી છે, અને ત્યાગ જ કર્યો હોત તો ઉત્તમ હતું, એમ પણ જિનસિદ્ધાંત નથી. માત્ર મોક્ષસાધનને પ્રસંગ પ્રાપ્ત થયે તે પ્રસંગ જ કરવો ન જોઈએ, એમ જિનનો ઉપદેશ છે. - ઉત્તમ સંસ્કારવાળા પુરુષે ગૃહસ્થાશ્રમ કર્યા સિવાય ત્યાગ કરે તેથી મનુષ્યની વૃદ્ધિ અટકે તેથી મોક્ષસાધનનાં કારણ અટકે એ વિચારવું અ૫ દ્રષ્ટિથી યેગ્ય દેખાય, પણ તથારૂપ ત્યાગ વૈરાગ્યને વેગ પ્રાપ્ત થયે, મનુષ્યદેહનું સફળપણું થવા અર્થે, તે યુગને અપ્રમત્તપણે વિલંબ વગર લાભ પ્રાપ્ત કરે, તે વિચાર તે પૂર્વાપર અવિરુદ્ધ અને પરમાર્થદ્રષ્ટિથી સિદ્ધ કહેવાય. આયુષ્ય સંપૂર્ણ છે તથા આપણે સંતતિ થાય તે તેઓ મેક્ષસાધન કરશે એ નિશ્ચય કરી, સંતતિ થશે જ એવું માન્ય રાખી, પાછો આવે ને આવે ત્યાગ પ્રકાશિત થશે, એવું ભવિષ્ય કપીને આશ્રમપૂર્વક પ્રવર્તવાનું કે વિચારવાન એકાંતે યુગ્ય ગણે? પિતાના વૈરાગ્યમાં મંદપણું ન હોય, અને જ્ઞાની પુરુષ જેને ત્યાગ કરવા યોગ્ય ગણતા હોય, તેણે બીજું મનોરથમાત્ર કારણોને અથવા અનિશ્ચિત કારણેને વિચાર છોડી દઈ નિશ્ચિત અને પ્રાપ્ત ઉત્તમ કારણને આશ્રય કરવો એ જ ઉત્તમ છે, અને એ જ મનુષ્યપણાનું સાર્થક છે; બાકી વૃદ્ધિ આદિની તે કલ્પના છે; ખરેખ મોક્ષમાર્ગ નાશ કરી માત્ર મનુષ્યની વૃદ્ધિ કરવાની કલ્પના કર્યા જેવું કરીએ તે બને. એ આદિ ઘણાં કારણેથી પરમાર્થદ્રષ્ટિથી જે બેધ્યું છે તે જ યોગ્ય જેવામાં આવે છે. ઉપગ આવા પ્રશ્નોત્તરમાં વિશેષ કરી પ્રેરે કઠણ પડે છે, તે પણ સંક્ષેપમાં જે કંઈ લખવાનું બન્યું તે ઉદીરણાવત્ કરીને લખ્યું છે. જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષનાં વચનને લૌકિક આશયમાં ન ઉતારવા અથવા અલૌકિક દ્રષ્ટિએ વિચારવાં યોગ્ય છે, અને જ્યાં સુધી બને ત્યાં સુધી લૌકિક પ્રશ્નોત્તરમાં પણ વિશેષ ઉપકાર વિના પડવું ન ઘટે; તેવા પ્રસંગેથી કેટલીક વાર પરમાર્થદ્રષ્ટિ ક્ષોભ પમાડવા જેવું પરિણામ આવે છે. વડના ટેટા કે પીપળનાં પીપાંનું રક્ષણ પણ કંઈ તેના વંશવૃદ્ધિને અર્થે કરવાના હેતુથી અભક્ષ્ય કહ્યાં છે, એમ સમજવું કેગ્ય નથી. તેમાં કોમળપણું હોય છે ત્યારે અનંતકાયને સંભવ છે, તથા તેને બદલે બીજી ઘણું ચીથી નિષ્પાપ પણે રહી શકાય છે, છતાં તે જ અંગીકાર કરવાની ઈચ્છા રાખવી તે વૃત્તિનું ઘણું તુચ્છપણું થાય છે, તેથી તે અભક્ષ્ય કહ્યાં છે, તે યથાર્થ લાગવા ગ્ય છે. પાણીના ટીપામાં અસંખ્યાત જીવ છે એ વાત ખરી છે, પણ ઉપર દર્શાવ્યાં જે વડના ટેટા વગેરેનાં કારણે તેનાં કારણે તેમાં રહ્યાં નથી, તેથી તે અભક્ષ્ય કહ્યું નથી, જો કે તેવું પાણી વાપરવાની પણ આજ્ઞા છે, એમ કહ્યું નથી, અને તેથી પણ અમુક પાપ થાય એવો ઉપદેશ છે. આગળના * કાગળમાં બીજના સચિત-અચિત સંબંધી સમાધાન લખ્યું છે તે કોઈ એક વિશેષ હેતુથી સંક્ષેપ્યું છે. પરંપરા રૂઢિ પ્રમાણે લખ્યું છે, તથાપિ તેમાં કંઈક વિશેષ ભેદ સમજાય * પત્રાંક ૭૦૧-૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy