SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર મને નિવૃત્તિ ઘણું કરી મળી શકે તેમ છે, પણ આ ક્ષેત્ર સ્વભાવે પ્રવૃત્તિવિશેષવાળું છે, જેથી નિવૃત્તિક્ષેત્રે જેવા સત્સમાગમથી આત્મપરિણામના ઉત્કર્ષ થાય, તેવા ઘણું કરી પ્રવૃત્તિવિશેષક્ષેત્રે થવા કઠણ પડે છે. ખાકી તમે અથવા શ્રી ડુંગર અથવા બન્ને આવે તે માટે અમને કંઈ અડચણ નથી. પ્રવૃત્તિ ઘણી ઓછી કરી શકાય તેમ છે; પણ શ્રી ડુંગરનું ચિત્ત આવવા વિષેમાં કંઈક વિશેષ શિથિલ વર્તે તેા આગ્રહથી ન લાવા તાપણુ અડચણુ નથી, કેમકે તે તરફ થાડા વખતમાં સમાગમ થવાના વખતે ચેગ બની શકશે. ૪૬૬ આ પ્રમાણે લખવાનો અર્થ હતેા. તમારે એકે આવવું, અને શ્રી ડુંગરે ન આવવું અથવા અમને નિવૃત્તિ હાલ નથી એમ લખવાના આશય નહાતા. માત્ર નિવૃત્તિક્ષેત્રે કોઈ રીતે સમાગમ થવા વિષેનું વિશેષપણું જણાવ્યું છે. કેઈ વખત વિચારવાનને તે પ્રવૃત્તિક્ષેત્રમાં સત્યમાગમ વિશેષ લાભકારક થઈ પડે છે. જ્ઞાનીપુરુષની ભીડમાં નિર્મળ દશા જોવાનું અને છે. એ આદિ નિમિત્તથી વિશેષ લાભકારક પણ થાય છે. તમારે બન્નેએ અથવા તમારે આવવા સંબંધમાં કયારે કરવું તે વિષે મનમાં કંઈક વિચાર આવે છે; જેથી હાલ અહીંથી કંઈ વિચાર જણાવ્યા સુધી આવવામાં વિલંબ કરશે તે અડચણુ નથી. પરપરિણતિનાં કાર્ય કરવાના પ્રસંગ રહે અને સ્વપરિણતિમાં સ્થિતિ રાખ્યા કરવી તે ચૌદમા જિનની સેવા શ્રી આનંદઘનજીએ કહી છે તેથી પણ વિશેષ દોહ્યલું છે. જ્ઞાનીપુરુષને નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યદશા વર્તે ત્યારથી જે સંયમસુખ પ્રગટે છે તે અવર્ણનીય છે. ઉપદેશમાર્ગ પણ સુખ પ્રગત્યે પ્રરૂપવા યેાગ્ય છે. શ્રી ડુંગરને અત્યંત ભક્તિથી પ્રણામ. આ સ્વ॰ પ્રણામ. મુંબઈ, જેઠ સુદ ૧૦, રવિ, ૧૯૫૧ ૬૦૧ પરમ સ્નેહી શ્રી સેાભાગ પ્રત્યે, શ્રી સાયલા. ત્રણ દિવસ પ્રથમ તમારા લખેલેા કાગળ મળ્યા છે. અત્રે આવવાના વિચાર ઉત્તર મળતાં સુધી ઉપશમ કર્યાં છે એમ લખ્યું તે વાંચ્યું છે. ઉત્તર મળતાં સુધી આવવાના વિચાર અટકાવવા વિષે અહીંથી લખ્યું હતું તેનાં મુખ્ય કારણ આ પ્રમાણે છે :— અત્રે આપને આવવાના વિચાર રહે છે, તેમાં એક હેતુ સમાગમલાભને છે અને ખીન્ને અનિચ્છિત હેતુ કંઈક ઉપાધિના સંયોગને લીધે વેપાર પ્રસંગે કાઇને મળવા કરવા વિષેના છે. જે પર વિચાર કરતાં હાલ આવવાના વિચાર અટકાવ્યો હાય તાપણુ અડચણુ નથી એમ લાગ્યું, તેથી એ પ્રમાણે લખ્યું હતું. સમાગમયેાગ ઘણું કરીને અત્રેથી એક કે દોઢ મહિના પછી નિવૃત્તિ કંઈ મળવા સંભવ છે ત્યારે તે ભણી થવા સંભવ છે. અને ઉપાધિ માટે હાલ ત્રંબક વગેરે પ્રયાસમાં છે. તેા તમારે આવવાનું તે પ્રસંગે વિશેષ કારણુ જેવું તરતમાં નથી. અમારે તે તરફ આવવાના યોગ થવાને વધારે વખત જવા જેવું દેખાશે તે પછી આપને એક આંટા ખાઈ જવાનું જણાવવાનું ચિત્ત છે. આ વિષે જેમ આપનું ધ્યાન પહોંચે તેમ લખશે. ઘણા મોટા પુરુષના સિદ્ધિયોગ સંબંધી શાસ્ત્રમાં વાત આવે છે, તથા લોકકથામાં તેવી વાતા સંભળાય છે. તે માટે આપને સંશય રહે છે, તેના સંક્ષેપમાં આ પ્રમાણે ઉત્તર છે :-~ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy