SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૮ મું ૪૬૭ અષ્ટ મહાસિદ્ધિ આદિ જે જે સિદ્ધિઓ કહી છે, “ઉ” આદિ મંત્ર કહ્યાં છે, તે સર્વ સાચાં છે. આમૈશ્વર્ય પાસે એ સર્વ અપ છે. જ્યાં આત્મસ્થિરતા છે, ત્યાં સર્વ પ્રકારના સિદ્ધિગ વસે છે. આ કાળમાં તેવા પુરુષો દેખાતા નથી, તેથી તેની અપ્રતીતિ આવવાનું કારણ છે, પણ વર્તમાનમાં કોઈક જીવમાં જ તેવી સ્થિરતા જોવામાં આવે છે. ઘણું જીવમાં સત્ત્વનું ન્યૂનપણું વર્તે છે, અને તે કારણે તેવા ચમત્કારાદિનું દેખાવાપણું નથી, પણ તેનું અસ્તિત્વ નથી એમ નથી. તમને અંદેશે રહે છે એ આશ્ચર્ય લાગે છે. જેને આત્મપ્રતીતિ ઉત્પન્ન થાય તેને સહેજે એ વાતનું નિઃશંકપણું થાય, કેમકે આત્મામાં જે સમર્થપણું છે, તે સમર્થપણુ પાસે એ સિદ્ધિલબ્ધિનું કાંઈ પણ વિશેષપણું નથી. એવા પ્રશ્નો કોઈ કોઈ વાર લખે છે તેનું શું કારણ છે, તે જણાવશે. એ પ્રકારનાં પ્રશ્નો વિચારવાનને કેમ હોય? શ્રી ડુંગરને નમસ્કાર. કંઈ જ્ઞાનવાર્તા લખશો. ૬૦૨ મુંબઈ, જેઠ સુદ ૧૦, રવિ, ૧૫૧ મનમાં રાગદ્વેષાદિનાં પરિણામ થયા કરે છે, તે સમયાદિ પર્યાય ન કહી શકાય; કેમકે સમયનું અત્યંત સૂક્ષ્મપણું છે, અને મનપરિણામનું સૂફમપણું તેવું નથી. પદાર્થને અત્યંતમાં અત્યંત સૂક્ષ્મપરિણતિને પ્રકાર છે, તે સમય છે. રાગદ્વેષાદિ વિચારનું ઉદ્દભવ થવું તે જીવે પૂર્વોપાર્જિત કરેલાં કર્મને વેગથી છે; વર્તમાનકાળમાં આત્માને પુરુષાર્થ કંઈ પણ તેમાં હાનિવૃદ્ધિમાં કારણરૂપ છે, તથાપિ તે વિચાર વિશેષ ગહન છે. શ્રી જિને જે સ્વાધ્યાય કાળ કહ્યા છે, તે યથાર્થ છે. તે તે (અકાળના) પ્રસંગે પ્રાણદિને કંઈ સંધિભેદ થાય છે. ચિત્તને વિક્ષેપનિમિત્ત સામાન્ય પ્રકાર હોય છે, હિંસાદિ વેગને પ્રસંગ હોય છે, અથવા કેમળ પરિણામમાં વિઘભૂત કારણ હોય છે, એ આદિ આશ્રયે સ્વાધ્યાયનું નિરૂપણ કર્યું છે. અમુક સ્થિરતા થતા સુધી વિશેષ લખવાનું બની શકે તેમ નથી; તે પણ બને તેટલે પ્રયાસ - કરી આ ૩ પત્તાં લખ્યાં છે. ૬૦૩ મુંબઈ, જેઠ સુદ ૧૦, રવિ, ૧૯૫૧ જ્ઞાની પુરુષને જે સુખ વતે છે, તે નિજસ્વભાવમાં સ્થિતિનું વર્તે છે. ખાદ્યપદાર્થમાં તેને સુખબુદ્ધિ નથી, માટે તે તે પદાર્થથી જ્ઞાનીને સુખદુઃખાદિનું વિશેષપણું કે એ છાપણું કહી શકાતું નથી. જોકે સામાન્યપણે શરીરને સ્વાથ્યાદિથી શાતા અને વરાદિથી અશાતા જ્ઞાની અને અજ્ઞાની બન્નેને થાય છે, તથાપિ જ્ઞાનીને તે તે પ્રસંગ હર્ષવિષાદને હેતુ નથી, અથવા જ્ઞાનના તારતમ્યમાં ન્યૂનપણું હોય તે કંઈક હર્ષવિષાદ તેથી થાય છે, તથાપિ કેવળ અજાગૃતતાને પામવા યોગ્ય એવા હર્ષવિષાદ થતા નથી. ઉદયબળે કંઈક તેવાં પરિણામ થાય છે, તે પણ વિચાર જાગૃતિને લીધે તે ઉદય ક્ષીણ કરવા પ્રત્યે જ્ઞાનીપુરુષનાં પરિણામ વર્તે છે. વાયુફેર હેવાથી વહાણનું બીજી તરફ ખેંચાવું થાય છે, તથાપિ વહાણ ચલાવનાર જેમ પહોંચવા ગ્ય માર્ગ ભણી તે વહાણને રાખવાના પ્રયત્નમાં જ વર્તે છે, તેમ જ્ઞાનીપુરુષ મન, વચનાદિ વેગને નિજભાવમાં સ્થિતિ થવા ભણી જ પ્રવર્તાવે છે; તથાપિ ઉદયવાયુવેગે યત્કિંચિત દશાફેર થાય છે, તે પણ પરિણામ, પ્રયત્ન સ્વધર્મને વિષે છે. જ્ઞાની નિર્ધન હોય અથવા ધનવાન હોય, અજ્ઞાની નિર્ધન હોય અથવા ધનવાન હોય, એ કંઈ નિયમ નથી. પૂર્વનિષ્પન્ન શુભ અશુભ કર્મ પ્રમાણે બન્નેને ઉદય વર્તે છે. જ્ઞાની ઉદયમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy