SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૮ મું ૪૬૫ એક આટલું અમારા ચિત્તમાં રહે છે કે આ ક્ષેત્ર સામાન્યપણે અનાર્થ ચિત્ત કરી નાખે તેવું છે. તેવા ક્ષેત્રમાં સત્સમાગમને યથાસ્થિત લાભ લેવાનું ઘણું કઠણ પડે છે; કેમકે આજુબાજુના સમાગમ, લેકવ્યવહાર બધા ઘણું કરી વિપર્યય રહ્યા, અને તે કારણથી ઘણું કરી કોઈ મુમુક્ષુ જીવ અત્રે ચાહીને સમાગમાર્થે આવવા ઈચ્છા કરતા હોય તેને પણ પ્રત્યુત્તર “ના” લખવા જેવું બને છે, કેમકે તેના શ્રેયને બાધ ન થવા દેવે યોગ્ય છે. તમારા તથા શ્રી ડુંગરના આવવા સંબંધમાં એટલે બધે વિચાર તે ચિત્તમાં થતું નથી, પણ કંઈક સહજ થાય છે. એ સહજ વિચાર થાય છે તે એવા કારણથી થતું નથી કે અત્રેને ઉદયરૂપ ઉપાધિગ જોઈ અમારા પ્રત્યે તમારા ચિત્તમાં કંઈ વિક્ષેપ થાય; પણ એમ રહે છે કે તમારા તથા શ્રી ડુંગર જેવાના સત્સમાગમને લાભ ક્ષેત્રાદિના વિપર્યયપણથી યથાયોગ્ય ન લેવાય તેથી ચિત્તમાં ખેદ આવી જાય છે. જોકે તમારા આવવાના પ્રસંગમાં ઉપાધિ ઘણી ઓછી કરવાનું બની શકશે, તથાપિ આજુબાજુનાં સાધને સત્સમાગમને અને નિવૃત્તિને વર્ધમાન કરનારાં નહીં, તેથી ચિત્તમાં સહજ લાગે છે. આટલું લખવાથી ચિત્તમાં આવેલું એક વિચાર લખ્યો છે એમ સમજવું. પણ તમને અથવા શ્રી ડુંગરને અટકાવવા વિષે કંઈ પણ આશય ધારી લખ્યું નથી, પણ એટલે આશય ચિત્તમાં છે કે જે શ્રી ડુંગરનું ચિત્ત આવવા પ્રત્યેમાં કંઈક શિથિલ દેખાય તે તેમના પ્રત્યે વિશેષ તમે દબાણ કરશે નહીં, તે પણ અડચણ નથી; કેમકે શ્રી ડુંગરાદિના સમાગમની ઇચ્છા વિશેષ રહે છે, અને અત્રેથી નિવૃત્ત થવાનું થોડા વખત માટે હાલ બને તે કરવાની ઈચ્છા છે તે શ્રી ડુંગરને સમાગમ કઈ બીજા નિવૃત્તિક્ષેત્રે કરવાનું થશે એમ લાગે છે. તમારા માટે પણ એવા પ્રકારને વિચાર રહે છે, તથાપિ તેમાં ભેદ એટલે પડે છે કે તમારા આવવાથી અત્રેની કેટલીક ઉપાધિ અલ્પ કેમ કરી શકાય? તે પ્રત્યક્ષ દેખાડી, તે પ્રત્યેને વિચાર લેવાનું બની શકે. એટલે અંશે શ્રી ભાગ પ્રત્યે ભક્તિ છે, તેટલે અંશે જ શ્રી ડુંગર પ્રત્યે ભક્તિ છે એટલે તેને આ ઉપાધિ વિષે વિચાર જણવવાથી પણ અમને તે ઉપકાર છે, તથાપિ શ્રી ડુંગરના ચિત્તને કંઈ પણ વિક્ષેપ થતું હોય અને અત્રે આવવાનું કરાવવું થતું હોય તે સત્સમાગમ યથાગ્ય ન થાય. તેમ ના બનતું હોય તે શ્રી ડુંગરે અને શ્રી સોભાગે અત્રે આવવામાં કંઈ પ્રતિબંધ નથી. એ જ વિનંતિ. આ૦ સ્વ. પ્રણામ. ૫૯ મુંબઈ, વૈશાખ વદ ૧૪, ગુરુ, ૧૫૧ શરણ (આશ્રય), અને નિશ્ચય કર્તવ્ય છે. અધીરજથી ખેદ કર્તવ્ય નથી. ચિત્તને દેહાદિ ભયને વિક્ષેપ પણ કરે એગ્ય નથી. અસ્થિર પરિણામ ઉપશમાવવા ગ્ય છે. આ૦ સ્વ. પ્ર. ૬૦૦ મુંબઈ, જેઠ સુદ ૨, રવિ, ૧૫૧ અપારવત્ સંસારસમુદ્રથી તારનાર એવા સદુધર્મને નિષ્કારણ કરૂણાથી જેણે ઉપદેશ કર્યો છે, તે જ્ઞાનીપુરુષના ઉપકારને નમસ્કાર હે! નમસ્કાર હો! પરમ સ્નેહી શ્રી સભાગ પ્રત્યે, શ્રી સાયલા. યથાગ્યપૂર્વક વિનંતિ કે - તમારું લખેલું પતું ૧ ગઈ કાલે મળ્યું છે. તમારે તથા શ્રી ડુંગરે અત્રે આવવા વિષેના વિચાર સંબંધી અહીંથી એક પત્ર અમે લખ્યું હતું. તેને અર્થ સહેજ ફેર સમજાય જણાય છે. તે પત્રમાં એ પ્રસંગમાં જે કંઈ લખ્યું છે તેને સંક્ષેપમાં ભાવાર્થ આ પ્રમાણે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy