SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૮ મું ૪૬૩ ૫૪ મુંબઈ, વૈશાખ સુદ ૧૫, બુધ, ૧૯૫૧ સર્વે કરતાં જેમાં અધિક સ્નેહ રહ્યા કરે છે એવી આ કાયા તે રાગ, જરાઢિથી સ્વાત્માને જ દુઃખરૂપ થઈ પડે છે; તે પછી તેથી દૂર એવાં ધનાદિથી જીવને તથારૂપ (યથાયેાગ્ય) સુખવૃત્તિ થાય એમ માનતાં વિચારવાનની બુદ્ધિ જરૂર ક્ષેાભ પામવી જોઇએ; અને કેાઈ ખીજા વિચારમાં જવી જોઈએ; એવા જ્ઞાનીપુરુષોએ નિર્ણય કર્યો છે, યથાતથ્ય છે. ૫૫ મુંબઈ, વૈશાખ વદ ૭, ગુરુ, ૧૯૫૧ વેદાંતાદિમાં આત્મસ્વરૂપની જે વિચારણા કહી છે, તે વિચારણા કરતાં શ્રી જિનાગમમાં જે આત્મસ્વરૂપની વિચારણા કહી છે, તેમાં ભેદ પડે છે. સર્વ વિચારણાનું ફળ આત્માનું સહજસ્વભાવે પિરણામ થયું એ જ છે. સંપૂર્ણ રાગદ્વેષના ક્ષય વિના સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રગટે નહીં એવા નિશ્ચય જિને કહ્યો છે તે, વેદ્યાંતાદિ કરતાં ખળવાન પ્રમાણભૂત છે. ૫૯૬ મુંબઈ, વૈશાખ વદ ૭, ગુરુ, ૧૯૫૧ સર્વ કરતાં વીતરાગનાં વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે. કેમકે જ્યાં રાગાદિ દોષના સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાનસ્વભાવ પ્રગટવા ચેાગ્ય નિયમ ઘટે છે. શ્રી જિનને સર્વ કરતાં ઉત્કૃષ્ટ વીતરાગતા સંભવે છે; પ્રત્યક્ષ તેમનાં વચનનું પ્રમાણ છે માટે. જે કોઈ પુરુષને જેટલે અંશે વીતરાગતા સંભવે છે, તેટલે અંશે તે પુરુષનું વાકય માન્યતાયાગ્ય છે. સાંખ્યાદિ દર્શને અંધમાક્ષની જે જે વ્યાખ્યા ઉપદેશી છે, તેથી બળવાન પ્રમાણસિદ્ધ વ્યાપ્યા શ્રી જિન વીતરાગે કહી છે, એમ જાણું છું. ૧૯૭ મુંબઈ, વૈશાખ વદ ૭, ગુરુ, ૧૯૫૧ અમારા ચિત્તને વિષે વારંવાર એમ આવે છે અને એમ પરિણામ સ્થિર રહ્યા કરે છે કે વેા આત્મકલ્યાણના નિર્ધાર શ્રી વર્ધમાન સ્વામીએ કે શ્રી ઋષભાદિએ કર્યા છે, તેવા નિર્ધાર બીજા સંપ્રદાયને વિષે નથી. વેદાંતાદિ દર્શનને લક્ષ આત્મજ્ઞાન ભણી અને સંપૂર્ણ મેક્ષ પ્રત્યે જતા જોવામાં આવે છે, પણ તેના યથાયેાગ્ય નિર્ધાર સંપૂર્ણપણે તેમાં જણાતા નથી, અંશે જણાય છે, અને કંઇ કંઇ તે પણ પર્યાયફેર દેખાય છે. જોકે વેદાંતને વિષે ઠામઠામ આત્મચર્યાં જ વિવેચી છે, તથાપિ તે ચર્યાં સ્પષ્ટપણે અવિરુદ્ધ છે, એમ હજુ સુધી લાગી શકતું નથી. એમ પણ બને કે વખતે વિચારના કોઈ ઉદયભેદથી વેદાંતના આશય ખીજે સ્વરૂપે સમજવામાં આવતા હાય અને તેથી વિરાધ ભાસતા હાય, એવી આશંકા પણ ફરી ફરી ચિત્તમાં કરવામાં આવી છે, વિશેષ વિશેષ આત્મવીર્ય પરિણમવીને તેને અવિરાધ જોવા માટે વિચાર કર્યાં કરેલ છે, તથાપિ એમ જણાય છે કે વેદાંત જે પ્રકારે આત્મસ્વરૂપ કહે છે, તે પ્રકારે સર્વથા વેદાંત અવિરાધપણું પામી શકતું નથી. કેમકે તે કહે છે તે જ પ્રમાણે આત્મસ્વરૂપ નથી; કોઈ તેમાં માટે ભેદ જોવામાં આવે છે; અને તે તે પ્રકારે સાંખ્યાદિ દર્શનેાને વિષે પણ ભેદ જોવામાં આવે છે. એકમાત્ર શ્રી જિને કહ્યું છે તે આત્મસ્વરૂપ વિશેષ વિશેષ અવિરોધી જોવામાં આવે છે અને તે પ્રકારે વેઢવામાં આવે છે; સંપૂર્ણપણે અવિરોધી જિનનું કહેલું આત્મસ્વરૂપ હાવા યાગ્ય છે, એમ ભાસે છે. સંપૂર્ણપણે અવિરાધી જ છે, એમ કહેવામાં નથી આવતું તેને હેતુ માત્ર એટલો જ છે કે, સંપૂર્ણપણે આત્માવસ્થા પ્રગટી નથી. જેથી જે અવસ્થા અપ્રગટ છે, તે અવસ્થાનું અનુમાન વર્તમાનમાં કરીએ છીએ જેથી તે અનુમાન પર અત્યંત ભાર ન દેવા ચેાગ્ય ગણી વિશેષ વિશેષ અવિરાધી છે, એમ જણાવ્યું છે; સંપૂર્ણ અવિાષી હાવા ચેાગ્ય છે, એમ લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy