SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ શ્રીમદ્ રાજચંદ્ર ત્યાં સંસારનો સંભવ છે. એટલે કેવળ મિક્ષ તેને હોય એમ કહેવું બની શકે એવું નથી; અને તેમનાં કહેલાં શાસ્ત્રોમાં જે અભિપ્રાય છે તે સિવાય બીજે તેમને અભિપ્રાય હતે, તે બીજી રીતે જાણવાનું અમને તમને કઠણ પડે તેવું છે અને તેમ છતાં કહીએ કે બુદ્ધદેવને અભિપ્રાય બીજે હતું તે તે કારણપૂર્વક કહેવાથી પ્રમાણભૂત ન થાય એમ કાંઈ નથી. ૨૧. પ્ર– દુનિયાની છેવટ શી સ્થિતિ થશે ? ઉ૦ – કેવળ મેક્ષરૂપે સર્વ જીવની સ્થિતિ થાય કે કેવળ આ દુનિયાને નાશ થાય, તેવું બનવું મને પ્રમાણરૂપ લાગતું નથી. આવા ને આવા પ્રવાહમાં તેની સ્થિતિ સંભવે છે. કેઈ ભાવ રૂપાંતર પામી ક્ષીણ થાય, તે કઈ વર્ધમાન થાય, પણ તે એક ક્ષેત્રે વંધે તે બીજે ક્ષેત્રે ઘટે એ આદિ આ રસૃષ્ટિની સ્થિતિ છે તે પરથી અને ઘણું જ ઊંડા વિચારમાં ગયા પછી એમ જણાવું સંભવિત લાગે છે કે, કેવળ આ સૃષ્ટિ નાશ થાય કે પ્રલયરૂપ થાય એ ન બનવા યોગ્ય છે. સૃષ્ટિ એટલે એક આ જ પૃથ્વી એ અર્થ નથી. ૨૨. પ્ર– આ અનીતિમાંથી સુનીતિ થશે ખરી ? ઉ– આ પ્રશ્નનો ઉત્તર સાંભળી જે જીવ અનીતિ ઇરછે છે તેને તે ઉત્તર ઉપયોગી થાય એમ થવા દેવું ગ્ય નથી. સર્વ ભાવ અનાદિ છે, નીતિ, અનીતિ, તથાપિ તમે અમે અનીતિ ત્યાગી નીતિ સ્વીકારીએ તે તે સ્વીકારી શકાય એવું છે અને એ જ આત્માને કર્તવ્ય છે; અને સર્વ જીવઆશ્રયી અનીતિ મટી નીતિ સ્થપાય એવું વચન કહી શકાતું નથી, કેમકે એકાંતે તેવી સ્થિતિ થઈ શકવા ગ્ય નથી. ૨૩. પ્ર.– દુનિયાને પ્રલય છે? ઉ૦-પ્રલય એટલે જે કેવળ નાશ એ અર્થ કરવામાં આવે છે તે વાત ઘટતી નથી, કેમકે પદાર્થને કેવળ નાશ થઈ જવો સંભવતા જ નથી. પ્રલય એટલે સર્વ પદાર્થોનું ઈશ્વરાદિને વિષે લીનપણું તે કેઈના અભિપ્રાયમાં તે વાતને સ્વીકાર છે, પણ મને તે સંભવિત લાગતું નથી, કેમકે સર્વ પદાર્થ, સર્વ જીવ એવાં સમપરિણામ શી રીતે પામે કે એ પેગ બને, અને જે તેવાં સમપરિણામને પ્રસંગ આવે તે પછી ફરી વિષમપણું થવું બને નહીં. અવ્યક્તપણે જીવમાં વિષમપણું હોય અને વ્યક્તપણે સમપણું એ રીતે પ્રલય સ્વીકારીએ તે પણ દેહાદિ સંબંધ વિના વૈષમપણું શા આશ્રયે રહે? દેહાદિ સંબંધ માનીએ તે સર્વને એકેન્દ્રિયપણું માનવાનો પ્રસંગ આવે અને તેમ માનતાં તે વિના કારણે બીજ ગતિઓને અસ્વીકાર કર્યો ગણાય, અર્થાત્ ઊંચી ગતિના જીવને તેવા પરિણામને પ્રસંગ મટવા આવ્યો હોય તે પ્રાપ્ત થવાને પ્રસંગ આવે. એ આદિ ઘણા વિચાર ઉદ્દભવે છે. સર્વ જીવઆશ્રયી પ્રલય સંભવ નથી. ૨૪. પ્ર.– અભણને ભક્તિથી જ મેક્ષ મળે ખરો કે? ઉ૦ - ભક્તિ જ્ઞાનને હેતુ છે. જ્ઞાન મેક્ષને હેતુ છે. અક્ષરજ્ઞાન ન હોય તેને અભણ કહ્યો હોય, તે તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે, એવું કંઈ છે નહીં. જીવ માત્ર જ્ઞાનસ્વભાવી છે. ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે. નિર્મળ જ્ઞાન મેક્ષને હેતુ થાય છે. સંપૂર્ણ જ્ઞાનની આવૃત્તિ થયા વિના સર્વથા મેક્ષ હોય એમ મને લાગતું નથી, અને જ્યાં સંપૂર્ણ જ્ઞાન હોય ત્યાં સર્વ ભાષાજ્ઞાન સમાય એમ કહેવાની પણ જરૂર નથી. ભાષાજ્ઞાન મેક્ષને હેતુ છે તથા તે જેને ન હોય તેને આત્મજ્ઞાન ન થાય, એવો કોઈ નિયમ સંભવ નથી. ૨૫. પ્ર.– (૧) કૃષ્ણાવતાર ને રામાવતાર એ ખરી વાત છે? એમ હોય તે તે શું? એ સાક્ષાત્ ઈશ્વર હતા કે તેના અંશ હતા? (૨) તેમને માનીને મેક્ષ ખરો? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy