SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૭ મું લાગતી નથી. ઈશ્વરને દીકરે છે, ને હતું, તે વાત પણ કઈ રૂપક તરીકે વિચારીએ તે વખતે બંધ બેસે નહીં તે પ્રત્યક્ષ પ્રમાણથી બાધા પામતી છે. મુક્ત એવા ઈશ્વરને દીકરો હોય એમ શી રીતે કહેવાય? અને કહીએ તે તેની ઉત્પત્તિ શી રીતે કહી શકીએ ? બન્નેને અનાદિ માનીએ તે પિતાપુત્રપણું શી રીતે બંધ બેસે? એ વગેરે વાત વિચારવા યોગ્ય છે. જે વિચારેથી મને એમ લાગે છે કે, એ વાત યથાયોગ્ય નહીં લાગે. ૧૫. પ્ર-જૂના કરારમાં જે ભવિષ્ય ભાખ્યું છે તે બધું ઈસામાં ખરું પડ્યું છે. ઉ–એમ હોય તે પણ તેથી તે બન્ને શાસ્ત્ર વિષે વિચાર કરવો ઘટે છે. તેમ જ એવું ભવિષ્ય તે પણ ઈસુને ઈશ્વરાવતાર કહેવામાં બળવાન પ્રમાણ નથી, કેમ કે જ્યોતિષાદિકથી પણ મહાત્માની ઉત્પત્તિ જણાવી સંભવે છે. અથવા ભલે કઈ જ્ઞાનથી તેવી વાત જણાવી હોય પણ તેવા ભવિષ્યવેત્તા સંપૂર્ણ એવા મેક્ષમાર્ગના જાણનાર હતા તે વાત, જ્યાં સુધી યથાસ્થિત પ્રમાણરૂપ ન થાય, ત્યાં સુધી તે ભવિષ્ય વગેરે એક શ્રદ્ધાગ્રાહ્ય પ્રમાણ છે. તેમ બીજ પ્રમાણેથી તે હાનિ ન પામે એવું ધારણમાં નથી આવી શકતું. ૧૬. પ્ર.– ઈસુ ખ્રિસ્તના ચમત્કાર” વિષે લખ્યું છે. ઉ– કેવળ કાયામાંથી જીવ ચાલે ગયે હોય, તે જ જીવ તે જ કાયામાં દાખલ કર્યો હોય, અથવા કોઈ બીજા જીવને તેમાં દાખલ કર્યો હોય, તે તે બની શકે એવું સંભવતું નથી, અને એમ થાય તે પછી કર્માદિની વ્યવસ્થા પણ નિષ્ફળ થાય. બાકી યેગાદિની સિદ્ધિથી કેટલાક ચમત્કાર ઉત્પન્ન થાય છે, અને તેવા કેટલાક ઈસુને હોય તે તેમાં તદ્દન ખોટું છે કે અસંભવિત છે, એમ કહેવાય નહીં તેવી સિદ્ધિઓ આત્માના ઐશ્વર્ય આગળ અલ્પ છે, આત્માનું ઐશ્વર્ય તેથી અનંતગુણ મહત્ સંભવે છે. આ વિષયમાં સમાગમ પૂછવા ગ્ય છે. ૧૭. પ્ર.– આગળ ઉપર શે જન્મ થશે તેની આ ભવમાં ખબર પડે? અથવા અગાઉ શું હતા તેની ? 1 ઉ૦-તેમ બની શકે. નિર્મળજ્ઞાન જેનું થયું હોય તેને તેવું બનવું સંભવે છે. વાદળાં વગેરેનાં ચિહ્નો પરથી વરસાદનું અનુમાન થાય છે, તેમ આ જીવની આ ભવની ચેષ્ટા ઉપરથી તેનાં પૂર્વકારણ કેવાં હોવાં જોઈએ, તે પણ સમજી શકાય; થોડે અંશે વખતે સમજાય. તેમ જ તે ચેષ્ટા ભવિષ્યમાં કેવું પરિણામ પામશે તે પણ તેના સ્વરૂપ ઉપરથી જાણું શકાય અને તેને વિશેષ વિચારતાં કે ભવ થે સંભવે છે, તેમ જ કે ભવ હતું, તે પણ વિચારમાં સારી રીતે આવી શકવા યોગ્ય છે. ૧૮. પ્ર– પડી શકે તે કોને? આને ઉત્તર ઉપર આવી ગયેલ છે. ૧૯. પ્ર.– જે મોક્ષ પામેલાનાં નામ આપે છે તે શા આધાર ઉપરથી? ઉ–મને આ પ્રશ્ન ખાસ સંબંધીને પૂછે તે તેના ઉત્તરમાં એમ કહી શકાય કે અત્યંત સંસારદશા પરિક્ષણ જેની થઈ છે, તેના વચને આવાં હોય, આવી તેની ચેષ્ટા હય, એ આદિ અંશે પણ પિતાના આત્મામાં અનુભવ થાય છે, અને તેને આશ્રયે તેના એક્ષપરત્વે કહેવાય; અને ઘણું કરીને તે યથાર્થ હોય એમ માનવાનાં પ્રમાણે પણ શાસ્ત્રાદિથી જાણી શકાય. ૨૦. પ્ર— બુદ્ધદેવ પણ મેક્ષ નથી પામ્યા એ શા ઉપરથી આપ કહે છે? ઉ– તેના શાસ્ત્રસિદ્ધાંતને આશ્રયે. જે પ્રમાણે તેમનાં શાસ્ત્રસિદ્ધાંતો છે, તે જ પ્રમાણે જે તેમને અભિપ્રાય હોય તે તે અભિપ્રાય પૂર્વાપર વિરુદ્ધ પણ દેખાય છે, અને તે લક્ષણ સંપૂર્ણ જ્ઞાનનું નથી. સંપૂર્ણ જ્ઞાન જે ન હોય તે સંપૂર્ણ રાગદ્વેષ નાશ પામવા સંભવિત નથી. જ્યાં તેમ હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy