SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર ધર્મ પણ અનાદિ છે, અને અહિંસાદિધર્મ પણ અનાદિ છે. માત્ર જીવને હિતકારી શું છે? એટલું વિચારવું કાર્યરૂપ છે. અનાદિ તે બેય છે. પછી ક્યારેક ઓછા પ્રમાણમાં અને કયારેક વિશેષ પ્રમાણમાં કેઈનું બળ હોય છે. ૧૦. પ્ર.—ગીતા કેણે બનાવી? ઈશ્વરકૃત તે નથી? જે તેમ હોય તે તેને કાંઈ પુરાવે? ઉ– ઉપર આપેલા ઉત્તરથી કેટલુંક સમાધાન થઈ શકવા ગ્ય છે કે, ઈશ્વરકૃતને અર્થ જ્ઞાની (સંપૂર્ણજ્ઞાની) એ કરવાથી તે ઈશ્વરકૃત થઈ શકે; પણ નિત્ય અક્રિય એવા આકાશની પેઠે વ્યાપક ઈશ્વરને સ્વીકાર્યું તેવા પુસ્તકાદિની ઉત્પત્તિ થવી સંભવે નહીં, કેમકે તે તે સાધારણ કાર્ય છે, કે જેનું કર્તાપણું આરંભ પૂર્વક હોય છે, અનાદિ નથી હોતું. ગીતા વેદવ્યાસજીનું કરેલું પુસ્તક ગણાય છે, અને મહાત્મા શ્રીકૃષ્ણ અર્જુનને તે બંધ કર્યો હતે, માટે મુખ્યપણે કર્તા શ્રીકૃષ્ણ કહેવાય છે, જે વાત સંભવિત છે. ગ્રંથ શ્રેષ્ઠ છે, તે ભાવાર્થ અનાદિથી ચાલ્યો આવે છે, પણ તે જ કે અનાદિથી ચાલ્યા આવે એમ બનવા ગ્ય નથી, તેમ અક્રિય ઈશ્વરથી પણ તેની ઉત્પત્તિ હોય એમ બનવા ગ્ય નથી. સકિય એટલે કેઈ દેહધારીથી તે કિયા બનવા યંગ્ય છે. માટે સંપૂર્ણ જ્ઞાની તે ઈશ્વર છે, અને તેનાથી બંધાયેલાં શાસ્ત્રો તે ઈશ્વરી શાસ્ત્ર છે એમ માનવામાં અડચણ નથી. ૧૧. પ્ર-પશુ આદિના યજ્ઞથી જરાયે પુણ્ય છે ખરું? ઉ૦-પશુના વધથી, હેમથી કે જરાયે તેને દુઃખ આપવાથી પાપ જ છે, તે પછી યજ્ઞમાં કરે, કે ગમે તે ઈશ્વરના ધામમાં બેસીને કરે. પણ યજ્ઞમાં જે દાનાદિ ક્રિયા થાય છે તે, કાંઈક પુણ્ય હેતુ છે, તથાપિ હિંસામિશ્રિત હેવાથી તે પણ અનમેદનગ્ય નથી. ૧૨. પ્ર–જે ધર્મ ઉત્તમ છે, એમ કહે તેને પુરાવો માગી શકાય ખરો કે? ઉ–-પુરા માગવામાં ન આવે અને ઉત્તમ છે એમ, વગર પુરાવે પ્રતિપાદન કરવામાં આવે તે તે અર્થ, અનર્થ, ધર્મ, અધર્મ સૌ ઉત્તમ જ ઠરે. પ્રમાણથી જ ઉત્તમ અનુત્તમ જણાય છે. જે ધર્મ સંસાર પરિક્ષણ કરવામાં સર્વથી ઉત્તમ હોય, અને નિજસ્વભાવમાં સ્થિતિ કરાવવાને બળવાન હોય તે જ ઉત્તમ, અને તે જ બળવાન છે. ૧૩. પ્ર.– ખ્રિસ્તી ધર્મ વિષે આપ કાંઈ જાણે છે? જ જાણતા હે તે આપના વિચાર દર્શાવશે. ઉ–ખ્રિસ્તી ધર્મ વિષે સાધારણપણે હું જાણું છું. ભરતખંડમાં મહાત્માઓએ જે ધર્મ શાળે છે, વિચાર્યું છે તે ધર્મ બીજા કેઈ દેશથી વિચારાયે નથી, એમ તે એક અલ્પ અભ્યાસે સમજી શકાય તેવું છે. તેમાં (ખ્રિસ્તી ધર્મમાં) જીવનું સદા પરવશપણું કહ્યું છે, અને મોક્ષમાં પણ તે દશે તેવી જ રાખી છે. જીવના અનાદિસ્વરૂપનું વિવેચન જેમાં યથાયોગ્ય નથી, કર્મસંબંધી વ્યવસ્થા અને તેની નિવૃત્તિ પણ યથાયોગ્ય કહી નથી, તે ધર્મ વિષે મારો અભિપ્રાય સર્વોત્તમ તે ધર્મ છે, એમ થવાનો સંભવ નથી. ખ્રિસ્તી ધર્મમાં મેં જે ઉપર કહ્યા તેવા પ્રકારનું યથાયોગ્ય સમાધાન દેખાતું નથી. આ વાક્ય મતભેદવશે કહ્યું નથી. વધારે પૂછવા યંગ્ય લાગે તે પૂછશે તે વિશેષ સમાધાન કરવાનું બની શકશે. ૧૪. પ્ર–તેઓ એમ કહે છે કે બાઈબલ ઈશ્વરપ્રેરિત છે, ઈસુ તે ઈશ્વરને અવતાર, તેને દીકરો છે, ને હતે. ઉ૦ –એ વાત તે શ્રદ્ધાથી માન્યાથી માની શકાય, પણ પ્રમાણથી સિદ્ધ નથી. જેમ ગીતા અને વેદના ઈશ્વરપ્રેરિતપણે માટે ઉપર લખ્યું છે, તેમ જ બાઈબલના સંબંધમાં પણ ગણવું. જે જન્મ મરણથી મુક્ત થયા તે ઈશ્વર અવતાર લે તે બનવા ગ્ય નથી, કેમકે રાગદ્વેષાદિ પરિણામ જ જન્મને હેતુ છે, તે જેને નથી એવો ઈશ્વર અવતાર ધારણ કરે એ વાત વિચારતાં યથાર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy