SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ર૭ મું ૪૧૯ ૫૨૨ મુંબઈ, ભા. સુદ ૩, રવિ, ૧૫૦ જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેભ મેળાં પડવાને પ્રકાર બનવા ગ્ય છે, કે જેમ બની અનુક્રમે તે પરિક્ષીણપણને પામે છે. પુરુષનું ઓળખાણ જેમ જેમ જીવને થાય છે, તેમ તેમ મતાભિગ્રહ, દુરાગ્રહતાદિ ભાવ મેળા પડવા લાગે છે, અને પિતાના દોષ જોવા ભણું ચિત્ત વળી આવે છે; વિકથાદિ ભાવમાં નીરસપણે લાગે છે, કે જુગુપ્સા ઉત્પન્ન થાય છે, જીવને અનિત્યાદિ ભાવના ચિંતવવા પ્રત્યે બળવીર્ય સ્ફરવા વિષે જે પ્રકારે જ્ઞાની પુરુષ સમીપે સાંભળ્યું છે, તેથી પણ વિશેષ બળવાન પરિણામથી તે પંચવિષયાદિને વિષે અનિત્યાદિ ભાવ દ્રઢ કરે છે. અર્થાત્ સપુરુષ મળે આ સત્પરુષ છે એટલું જાણું, સપુરુષને જાણ્યા પ્રથમ જેમ આત્મા પંચવિષયાદિને વિષે રક્ત હતું તેમ રક્ત ત્યાર પછી નથી રહેતું, અને અનુક્રમે તે રક્તભાવ મેળે પડે એવા વૈરાગ્યમાં જીવ આવે છે; અથવા સત્પરુષને યોગ થયા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી, તથાપિ પુરુષને વિષે, તેના વચનને વિષે, તે વચનના આશયને વિષે, પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા ગ્ય નથી; અને સપુરુષને જીવને વેગ થયો છે, એવું ખરેખરું તે જીવને ભાસ્યું છે, એમ પણ કહેવું કઠણ છે. જીવને સત્પરુષને વેગ થયે તે એવી ભાવના થાય કે અત્યાર સુધી જે મારા પ્રયત્ન કલ્યાણને અર્થે હતાં તે સી નિષ્ફળ હતાં, લક્ષ વગરનાં બાણની પેઠે હતાં, પણ હવે સત્પષને અપૂર્વ વેગ થયે છે, તે મારા સર્વ સાધન સફળ થવાને હેતુ છે. લેકપ્રસંગમાં રહીને જે નિષ્ફળ, નિર્લક્ષ સાધન કર્યું તે પ્રકારે હવે પુરુષને વેગે ન કરતાં જરૂર અંતરાત્મામાં વિચારીને દ્રઢ પરિણામ રાખીને, જીવે આ ભેગને, વચનને વિષે જાગૃત થવા ગ્ય છે, જાગૃત રહેવા ગ્ય છે અને તે તે પ્રકાર ભાવી, જીવને દ્રઢ કર કે જેથી તેને પ્રાપ્ત જેગ “અફળ ન જાય, અને સર્વ પ્રકારે એ જ બળ આત્મામાં વર્ધમાન કરવું, કે આ યુગથી જીવને અપૂર્વ ફળ થવા યોગ્ય છે, તેમાં અંતરાય કરનાર “હું જાણું છું, એ મારું અભિમાન, કુળધર્મને અને કરતા આવ્યા છીએ તે ક્રિયાને કેમ ત્યાગી શકાય એ લેકભય, સપુરુષની ભક્તિ આદિને વિષે પણ લૌકિકભાવ, અને કદાપિ કોઈ પંચવિષયાકાર એવાં કર્મ જ્ઞાનીને ઉદયમાં દેખી તે ભાવ પિતે આરાધવાપણું એ આદિ પ્રકાર છે, તે જ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેભ છે. એ પ્રકાર વિશેષપણે સમજવા ગ્ય છે; તથાપિ અત્યારે જેટલું બન્યું તેટલું લખ્યું છે. ઉપશમ, ક્ષયે પશમ અને ક્ષાયિક સમ્યકત્વને માટે સંક્ષેપમાં વ્યાખ્યા કહી હતી, તેને અનુસરતી ત્રિભવનના સ્મરણમાં છે. જ્યાં જ્યાં આ જીવ જન્મે છે, ભવના પ્રકાર ધારણ કર્યા છે, ત્યાં ત્યાં તથા પ્રકારના અભિમાનપણે વર્યો છે, જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે તે દેહને અને દેહના સંબંધમાં આવતા પદાર્થોને આ જીવે ત્યાગ કર્યો છે, એટલે હજી સુધી તે જ્ઞાનવિચારે કરી ભાવ ગળ્યો નથી, અને તે તે પૂર્વસંજ્ઞાઓ હજી એમ ને એમ આ જીવના અભિમાનમાં વતી આવે છે, એ જ એને લેક આખાની અધિકરણક્રિયાને હેતુ કહ્યો છે, જે પણ વિશેષપણે અત્ર લખવાનું બની શક્યું નથી. પત્રાદિ માટે નિયમિતપણે વિષે વિચાર કરીશ. પ૨૩ મુંબઈ, ભાદરવા સુદ ૪સોમ, ૧૯૫૦ શ્રી સાયલા ગામે સ્થિત, સત્સંગગ્ય, પરમ સ્નેહી શ્રી ભાગ તથા ડુંગર પ્રત્યે, શ્રી મેહમયીપુરીથી ... .ના આત્મસ્વરૂપ સ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. અત્રે સમાધિ છે. તમારે લખેલે કાગળ આજે એક મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy