SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ શ્રીમદ્ રાજચંદ્ર કારણ કે તે માનામાન વિષે ચિત્ત ઘણું કરી ઉદાસીન જેવું છે, અથવા તે પ્રકારમાં ચિત્તને વિશેષ ઉદાસીન કર્યું હોય તે થઈ શકે એમ છે. શબ્દાદિ વિષયે પ્રત્યેનું કઈ બળવાન કારણ પણ અવરોધક હોય એમ જણાતું નથી. કેવળ તે વિષયોને ક્ષાયિકભાવ છે એમ જોકે કહેવા પ્રસંગ નથી, તથાપિ તેમાં વિરસપણું બણે ભાસી રહ્યું છે. ઉદયથી પણ ક્યારેક મંદ રુચિ જન્મતી હોય તે તે પણ વિશેષ અવસ્થા પામ્યા પ્રથમ નાશ પામે છે; અને તે મંદ રુચિ વેદતાં પણ આત્મા ખેદમાં જ રહે છે, એટલે તે રૂચિ અનાધાર થતી જતી હોવાથી બળવાન કારણરૂપ નથી. બીજા કેટલાક પ્રભાવક થયા છે, તે કરતાં કઈ રીતે વિચારદશાદિનું બળવાનપણું પણ હશે; એમ લાગે છે કે તેના પ્રભાવક પુરુષે આજે જણાતા નથી અને માત્ર ઉપદેશકપણે નામ જેવી પ્રભાવનાએ પ્રવર્તતા કેઈ જેવામાં, સાંભળવામાં આવે છે, તેમના વિદ્યમાનપણને લીધે અમને કંઈ અવરોધકપણું હોય એમ પણ જણાતું નથી. અત્યારે તે આટલું લખવાનું બન્યું છે. વિશેષ સમાગમ પ્રસંગે કે બીજે પ્રસંગે જણાવીશું. આ વિષે તમે અને શ્રી ડુંગર જે કંઈ પણ વિશેષ જણાવવા ઈચ્છતા હો, તે ખુશીથી જણાવશો. વળી અમારાં લખેલાં કારણે સાવ બહાનારૂપ છે એમ વિચારવા ગ્ય નથી, એટલે લક્ષ રાખજો. ૫૨૧ મુંબઈ, શ્રાવણ, ૧૯૫૦ પ્રત્યક્ષ આશ્રયનું સ્વરૂપ લખ્યું તે પત્ર અત્રે પ્રાપ્ત થયું છે. મુમુક્ષુ જીવે પરમ ભક્તિસહિત તે સ્વરૂપ ઉપાસવા ગ્ય છે. ગબળસહિત, એટલે જેમને ઉપદેશ ઘણા જીવને થડા પ્રયાસે મેક્ષસાધનરૂપ થઈ શકે એવા અતિશય સહિત જે પુરુષ હોય તે જ્યારે યથાપ્રારબ્ધ ઉપદેશવ્યવહારને ઉદય પ્રાપ્ત થાય ત્યારે મુખ્યપણે ઘણું કરીને તે ભક્તિરૂપ પ્રત્યક્ષ આશ્રયમાર્ગ પ્રકાશે છે. પણ તેવા ઉદયગ વિના ઘણું કરી પ્રકાશતા નથી. બીજા વ્યવહારના યુગમાં મુખ્યપણે તે માર્ગ ઘણું કરીને સત્યરુષે પ્રકાશતા નથી તે તેમનું કરુણા સ્વભાવપણું છે. જગતના જીને ઉપકાર પૂર્વાપર વિરોધ ન પામે અથવા ઘણું જેને ઉપકાર થાય એ આદિ ઘણું કારણે દેખીને અન્ય વ્યવહારમાં વર્તતાં તે પ્રત્યક્ષ આશ્રયરૂપ માર્ગ સપુરુષે પ્રકાશતા નથી. ઘણું કરીને તે અન્ય વ્યવહારના ઉદયમાં અપ્રસિદ્ધ રહે છે, અથવા કોઈ પ્રારબ્ધવિશેષથી સપુરુષપણે કોઈને જાણવામાં આવ્યા, તે પણ પૂર્વાપર તેના શ્રેયનો વિચાર કરી જ્યાં સુધી બને ત્યાં સુધી વિશેષ પ્રસંગમાં આવતા નથી અથવા ઘણું કરી અન્ય વ્યવહારના ઉદયમાં સામાન્ય મનુષ્યની પેઠે વિચરે છે. ' તેમ વર્તાય તેવું પ્રારબ્ધ ન હોય તે જ્યાં કોઈ તે ઉપદેશઅવસર પ્રાપ્ત થાય છે ત્યાં પણ પ્રત્યક્ષ આશ્રયમાગને ઘણું કરીને ઉપદેશ કરતા નથી, ક્વચિત, પ્રત્યક્ષ આશ્રયમાર્ગના ઠેકાણે “આશ્રયમાર્ગ એવા સામાન્ય શબ્દથી, ઘણા ઉપકારને હેતુ દેખી, કંઈ કહે છે. અર્થાત્ ઉપદેશવ્યવહાર પ્રવર્તાવવા ઉપદેશ કરતા નથી. ઘણું કરીને જે કોઈ મુમુક્ષુઓને સમાગમ થયો છે તેમને દશા વિષે થોડે ઘણે અંશે પ્રતીતિ છે. તથાપિ જે કોઈને પણ સમાગમ ન થયો હોત તે વધારે યોગ્ય હતું. અત્રે જે કાંઈ વ્યવહાર ઉદયમાં વર્તે છે તે વ્યવહારાદિ આગળ ઉપર ઉદયમાં આવવા યોગ્ય છે એમ જાણી તથા ઉપદેશ વ્યવહારને ઉદય પ્રાપ્ત ન થયો હોય ત્યાં સુધી અમારી દશા વિષે તમ વગેરેને જે કંઈ સમજાયું હોય તે પ્રકાશ ન કરવા માટે જણાવવામાં મુખ્ય કારણ એ હતું અને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy