SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ શ્રીમદ્ રાજચંદ્ર પેટલાદ, ભાદરવા સુદ ૬, ૧૯૪૯ ૧. જેની પાસેથી ધર્મ માગવે, તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી એ વાકયને સ્થિર ચિત્તથી વિચારવું. ૨. જેની પાસેથી ધર્મ માગવે તેવા પૂર્ણજ્ઞાનીનું ઓળખાણ જીવને થયું હોય ત્યારે તેવા જ્ઞાનીઓનો સત્સંગ કરે અને સત્સંગ થાય તે પૂર્ણ પુર્યોદય સમજ. તે સત્સંગમાં તેવા પરમજ્ઞાનીએ ઉપદેશેલે શિક્ષાબંધ ગ્રહણ કરે એટલે જેથી કદાગ્રહ, મતમતાંતર, વિશ્વાસઘાત અને અસત્ વચન એ આદિને તિરસ્કાર થાય; અર્થાત્ તેને ગ્રહણ કરવાં નહીં. મતને આગ્રહ મૂકી દે. આત્માને ધર્મ આત્મામાં છે. આત્મત્વ પ્રાપ્તપુરુષને બધે ધર્મ આત્મતામાર્ગરૂપ હોય છે. બાકીના માર્ગના મતમાં પડવું નહીં. ૩. આટલું થતાં છતાં જે જીવથી સત્સંગ થયા પછી કદાગ્રહ, મતમતાંતરાદિ દોષ ન મૂકી શકાતે હોય તે પછી તેણે છૂટવાની આશા કરવી નહીં અમે. પિતે કોઈને આદેશવાત એટલે આમ કરવું એમ કહેતા નથી. વારંવાર પૂછે તોપણ તે સ્મૃતિમાં હોય છે. અમારા સંગમાં આવેલા કોઈ જીવને હજુ સુધી અમે એમ જણાવ્યું નથી કે આમ વર્તે, કે આમ કરે. માત્ર શિક્ષાબંધ તરીકે જણાવ્યું હશે. ૪. અમારો ઉદય એ છે કે એવી ઉપદેશવાત કરતાં વાણી પાછી ખેંચાઈ જાય છે. સાધારણ પ્રશ્ન પૂછે તે તેમાં વાણું પ્રકાશ કરે છે; અને ઉપદેશવાતમાં તે વાણી પાછી ખેંચાઈ જાય છે, તેથી અમે એમ જાણીએ છીએ કે હજુ તે ઉદય નથી. પ. પૂર્વે થઈ ગયેલા અનંતજ્ઞાનીઓ જોકે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઈ જીવને દેષ જાય નહીં. એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી કઢાવી શકે. જેમ દૂરના ક્ષીરસમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીને કળશે અત્રે હોય છે તેથી તૃષા છીપે. ૬. જીવ પિતાની કલપનાથી ક૯પે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે વેગથી કે આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તે જ્ઞાનીપુરુષના લક્ષમાં હોય છે, અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે, માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા. ૭. જીવે મુખ્યમાં મુખ્ય આ વાત વિશેષ ધ્યાન આપવા જેવી છે, કે સત્સંગ થયું હોય તે સત્સંગમાં સાંભળેલ શિક્ષાબોધ પરિણામ પામી, સહેજે જીવમાં ઉત્પન્ન થયેલ કદાગ્રહાદિ દોષે તે છૂટી જવા જોઈએ, કે જેથી સત્સંગનું અવર્ણવાદપણું બલવાને પ્રસંગ બીજા જેને આવે નહીં. ૮. જ્ઞાની પુરુષે કહેવું બાકી નથી રાખ્યું; પણ જીવે કરવું બાકી રાખ્યું છે. એ ગાનુગ કેઈક જ વેળા ઉદયમાં આવે છે. તેવી વાંછાએ રહિત મહાત્માની ભક્તિ તે કેવળ કલ્યાણકારક જ નીવડે છે; પણ કોઈ વેળા તેવી વાંછા મહાત્મા પ્રત્યે થઈ અને તેવી પ્રવૃત્તિ થઈ ચૂકી, તેપણ તે જ વાંછા જે અસપુરુષમાં કરી હોય અને જે ફળ થાય છે, તે કરતાં આનું ફળ જુદું થવાને સંભવ છે. પુરુષ પ્રત્યે તેવા કાળમાં જે નિઃશંકપણું રહ્યું હોય, તે કાળે કરીને તેમની પાસેથી સન્માર્ગની પ્રાપ્તિ હોઈ શકે છે. એક પ્રકારે અમને પિતાને એ માટે બહુ શોચ રહેતું હતું, પણ તેનું લ્યાણ વિચારીને શેચ વિસ્મરણ કર્યો છે. ૯. મન, વચન, કાયાના જેગમાંથી જેને કેવળ સ્વરૂપભાવ થતાં અહંભાવ મટી ગયું છે, એવા - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy