SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૫ મું જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હાવે રે.’૧ આનંદઘનજી અને બીજા બધા જ્ઞાનીપુરુષો એમ જ કહે છે, અને જિન વળી બીજો પ્રકાર કહે છે કે, અનંતવાર જિનસંબંધી જે ભક્તિ તે કરવા છતાં જીવનું કલ્યાણ થયું નહીં; જિનમાર્ગને વિષે આળખાતાં એવાં સ્ત્રીપુરુષો એમ કહે છે કે અમે જનને આરાધીએ છીએ, અને તે આરાધવા જાય છે, અથવા આરાધન કરવાને વિષે ઉપાય લે છે, તેમ છતાં જિનવર થયેલાં એવાં તે દેખાતાં નથી; ત્રણે કાળને વિષે અખંડ એવે એ સિદ્ધાંત તા અત્ર ખંડપણાને પામે છે, ત્યારે હવે એ વાત વિકલ્પ કરવા યોગ્ય કેમ નથી ? મુંબઈ, શ્રાવણ વદ, ૧૯૪૮ ૩૯૫ તેમ શ્રુતધર્મે રે મન દૃઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત.’ વિક્ષેપરહિત એવું જેનું વિચારજ્ઞાન થયું છે એવા ‘જ્ઞાનાક્ષેપકવંત’ આત્મકલ્યાણની ઇચ્છાવાળા પુરુષ હાય તે નાનીમુખેથી શ્રવણ થયા છે એવા જે આત્મકલ્યાણરૂપ ધર્મ તેને વિષે નિશ્ચળ પરિણામે મનને ધારણ કરે, એ સામાન્ય ભાવ ઉપરનાં પદાના છે. ૩૧ તે નિશ્ચળ પરિણામનું સ્વરૂપ ત્યાં કેવું ઘટે છે? તે પ્રથમ જ જણાવ્યું છે, કે પ્રિય એવા પેાતાના સ્વામીને વિષે બીજાં ગૃહકામને વિષે પ્રવર્તન છતાં પણ પતિવ્રતા એવી સ્ત્રીનું મન વર્તે છે તે પ્રકારે. જે પદના વિશેષ અર્થ આગળ લખ્યા છે, તે સ્મરણમાં લાવી સિદ્ધાંતરૂપ એવાં ઉપરનાં પદ્મને વિષે સંધીભૂત કરવું ચેાગ્ય છે. કારણકે મન મહિલાનું વહાલા ઉપરે’ એ પદ છે તે દૃષ્ટાંતરૂપ છે. અત્યંત સમર્થ એવેના સિદ્ધાંત પ્રતિપાદન કરતાં જીવના પરિણામમાં તે સિદ્ધાંત સ્થિત થવાને અર્થે સમર્થ એવું દૃષ્ટાંત દેવું ઘટે છે, એમ જાણી ગ્રંથકર્તા તે સ્થળે જગતમાં, સંસારમાં પ્રાયે મુખ્ય એવા જે પુરુષ પ્રત્યેના ક્લેશાદિભાવ’રહિત એવા કામ્યપ્રેમ સ્ત્રીના તે જ પ્રેમ સત્પુરુષથી શ્રવણુ થયા હોય જે ધર્મ તેને વિષે પરિણમિત કરવા કહે છે. તે સત્પુરુષ દ્વારા શ્રવણુપ્રાસ થયેા છે જે ધર્મ તેમાં સર્વ બીજા જે પદાર્થ પ્રત્યે પ્રેમ રહ્યો છે તેથી ઉદાસીન થઈ એક લક્ષપણે, એક ધ્યાનપણે, એક લયપણે, એક સ્મરણપણે, એક શ્રેણીપણું, એક ઉપયેગપણે, એક પરિણામપણે સર્વ વૃત્તિમાં રહેલા જે કામ્યપ્રેમ તે મટાડી, શ્રુતધર્મરૂપ કરવાના ઉપદેશ કર્યાં છે; એ કામ્યપ્રેમથી અનંતગુણુ વિશિષ્ટ એવા શ્રુત પ્રત્યે પ્રેમ કરવા ઘટે છે; તથાપિ દૃષ્ટાંત પરિસીમા કરી શક્યું નથી, જેથી દૃષ્ટાંતની પરિસીમા જ્યાં થઈ ત્યાં સુધીના પ્રેમ કહ્યો છે. સિદ્ધાંત ત્યાં પરિસીમાપણાને પમાડ્યો નથી. અનાદિથી જીવને સંસારરૂપ અનંત પરિણતિ પ્રાપ્ત થવાથી અસંસારપણારૂપ કાઈ અંશ પ્રત્યે તેને બેધ નથી. ઘણાં કારણાના જોગ પ્રાપ્ત થયે તે અંશવૃષ્ટિ પ્રગટવાના જોગ પ્રાપ્ત થયા તે તે વિષમ એવી સંસારપરિણતિ આડે તેને તે અવકાશ પ્રાપ્ત થતા નથી; જ્યાં સુધી તે અવકાશ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવને સ્વપ્રાપ્તિભાન ઘટતું નથી. જ્યાં સુધી તે પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જીવને કંઈ સુખ કહેવું ઘટતું નથી, દુઃખી કહેવા ઘટે છે, એમ દેખી અત્યંત અનંત કરુણા પ્રાપ્ત થઈ છે જેને, એવા આપ્તપુરુષે દુ:ખ મટવાના માર્ગ જાણ્યા છે, જે તે કહેતા હતા, કહે છે, ભવિષ્યકાળે કહેશે. તે માર્ગ એ કે જીવનું સ્વાભાવિકપણું પ્રગટ્યું છે જેને વિષે, જીવનું સ્વાભાવિક સુખ પ્રગટ્યું છે જેને વિષે, એવા જ્ઞાનીપુરુષ તે જ તે અજ્ઞાનપરિણતિ અને તેથી પ્રાપ્ત થયું જે દુ:ખપરિણામ તેથી નિવારી આત્માને સ્વાભાવિકપણે સમજાવી શકવા યેાગ્ય છે, કહી શકવાને યોગ્ય છે; અને તે વચન સ્વાભાવિક આત્મા જાણ્યાપૂર્વક હાવાથી તે દુઃખ મટાડી શકવાને બળવાન ૧. જુઓ આંક ૩૮૭ અર્થ માટે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy