SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૫ મું ૩૩૫ અમને તે કંઈ કરવા વિષે બુદ્ધિ થતી નથી, અને લખવા વિષે બુદ્ધિ થતી નથી. કંઈક વાણીએ વતીએ છીએ, તેમાં પણ બુદ્ધિ થતી નથી, માત્ર આત્મરૂપ મૌનપણું, અને તે સંબંધી પ્રસંગ, એને વિષે બુદ્ધિ રહે છે. અને પ્રસંગ છે તેથી અન્ય પ્રકારના વર્તે છે. એવી જ “ઈશ્વરેચ્છા' હશે! એમ જાણી જેમ સ્થિતિ પ્રાપ્ત થાય છે, તેમ જ ગ્ય જાણી રહીએ છીએ. બુદ્ધિ તે મોક્ષને વિષે પણ સ્પૃહાવાળી નથી.” પણ પ્રસંગ આ વર્તે છે. સત્સંગને વિષે રૂચિકર એવા ડુંગરને અમારા પ્રણામ પ્રાપ્ત છે. વનની મારી કોયલ' એવી એક ગુર્જરાદિ દેશની કહેવત આ પ્રસંગને વિષે ગ્ય છે. છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ નમસ્કાર પહોંચે. મુંબઈ, જેઠ, ૧૯૪૮ પ્રભુભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. મોક્ષને એ ધુરંધર માર્ગ મને લાગે છે. ગમે તે મનથી પણ સ્થિર થઈને બેસી પ્રભુભક્તિ અવશ્ય કરવી યોગ્ય છે. મનની સ્થિરતા થવાને મુખ્ય ઉપાય હમણાં તે પ્રભુભક્તિ સમજે. આગળ પણ તે, અને તેવું જ છે, તથાપિ શૂળપણે એને લખી જણાવવી વધારે યોગ્ય લાગે છે. “ઉત્તરાધ્યયનસૂત્રમાં બીજાં ઈચ્છિત અધ્યયન વાંચશે બત્રીસમાની એવીશ ગાથા મોઢા આગળની મનન કરશે. શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા ઈત્યાદિક સદ્ગુણેથી ગ્યતા મેળવવી, અને કોઈ વેળા મહાત્માના ગે, તે ધર્મ મળી રહેશે. સત્સંગ, સાસ્ત્ર અને સદુવ્રત એ ઉત્તમ સાધન છે. - ૩૮૧ સૂયગડાંગસૂત્રને જેગ હેય તે તેનું બીજું અધ્યયન, તથા ઉદકપેઢાળવાળું અધ્યયન વાંચવાને પરિચય રાખજે. તેમ જ “ઉત્તરાધ્યયનમાં કેટલાંક વૈરાગ્યાદિક ચરિત્રવાળાં અધ્યયન વાંચતા રહેજે, અને પ્રભાતમાં વહેલા ઊઠવાને પરિચય રાખજે, એકાંતમાં સ્થિર બેસવાને પરિચય રાખજે; માયા એટલે જગત, લેકનું જેમાં વધારે વર્ણન કર્યું છે એવાં પુસ્તક વાંચવા કરતાં જેમાં પુરુષનાં ચરિત્રો અથવા વૈરાગ્યકથા વિશેષ કરીને રહી છે, તેવાં પુસ્તકોને ભાવ રાખજે. - ૩૮૨. જે વડે વૈરાગ્યની વૃદ્ધિ થાય તે વાંચન વિશેષ કરીને રાખવું, મતમતાંતરને ત્યાગ કરવે; અને જેથી મતમતાંતરની વૃદ્ધિ થાય તેવું વાંચન લેવું નહીં. અસત્સંગાદિકમાં રુચિ ઉત્પન્ન થતી મટાડવાને વિચાર વારંવાર કરવો યોગ્ય છે. ૩૮૩ મુંબઈ, જેઠ, ૧૯૪૮ વિચારવાન પુરુષને કેવળ ફ્લેશરૂપ ભાસે છે, એ આ સંસાર તેને વિશે હવે ફરી આત્મભાવે કરી જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે. ત્રણે કાળને વિષે હવે પછી આ સંસારનું સ્વરૂપ અન્યપણે ભાસ્યમાન થવા ગ્ય નથી, અને ભાસે એવું ત્રણે કાળને વિષે સંભવતું નથી. અત્રે આત્મભાવે સમાધિ છે; ઉદયભાવ પ્રત્યે ઉપાધિ વર્તે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy