________________
૩૩૦
શ્રીમદ્ રાજચંદ્ર અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી, તે પ્રાપ્તપણાને વિષે અમુક કાળ વ્યતીત થાય તે હાનિ નથી. માત્ર અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી, તેને વિષે ભ્રાંતિ થાય, ભૂલ થાય તે હાનિ છે. જે પરમ એવું જ્ઞાનીનું સ્વરૂપ ભાસ્યમાન થયું છે, તે પછી તેના માર્ગને વિષે અનુક્રમે જીવનું પ્રવેશપણું થાય એ સરળ પ્રકારે સમજાય એવી વાર્તા છે.
રૂડે પ્રકારે મન વર્તે એમ વર્તે. વિયાગ છે, તે તેમાં કલ્યાણને પણ વિગ છે, એ વાર્તા સત્ય છે, તથાપિ જો જ્ઞાનીના વિયેગમાં પણ તેને જ વિષે ચિત્ત વર્તે છે, તે કલ્યાણ છે. ધીરજને ત્યાગ કરવાને ગ્ય નથી.
શ્રી સ્વરૂપના યથાયોગ્ય.
૩૭૨ મુંબઈ, વૈશાખ વદ ૧૪, બુધ, ૧૯૪૮ આપનું એક પત્ર આજે પ્રાપ્ત થયું.
આપ ઉપાધિ દૂર થવા વિષેમાં જે સમાગમમાં રહેવાનું મુખ્ય કારણ બતાવ્યું તે યથાતથ્ય છે. આગળ ઘણા પ્રકારે આપે તે કારણ જણાવ્યું છે, પણ તે ઈશ્વરેચ્છાધીન છે, જે કંઈ પણ પ્રકારે પુરુષાર્થ થાય તે પ્રકારે હાલ તે કરે અને જે સમાગમની પરમ ઇચ્છા તેને વિષે જ અભેદચિંતન રાખે. આજીવિકાના કારણુમાં વિઠ્ઠલપણું પ્રસંગોપાત્ત આવી જાય એ ખરું છે; તથાપિ ધીરજને વિષે વર્તવું યોગ્ય છે. ઉતાવળની અગત્ય નથી, અને તેમ વાસ્તવિક ભયનું કંઈ કારણ નથી.
શ્રી —
૩૭૩ મુંબઈ, વૈશાખ વદ ૧૪, બુધ, ૧૯૪૮ મેહમયીથી જેની અમેહપણે સ્થિતિ છે, એવા શ્રી...ના યથા
મનને લઈને આ બધું છે એવો જે અત્યાર સુધી થયેલે નિર્ણય લખ્યો, તે સામાન્ય પ્રકારે તે યથાતથ્ય છે. તથાપિ “મન”, “તેને લઈને, અને આ બધું અને તેને નિર્ણય, એવા જે ચાર ભાગ એ વાક્યના થાય છે, તે ઘણા કાળના બધે જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ. જેને તે સમજાય છે તેને મન વશ વર્તે છે; વર્તે છે, એ વાત નિશ્ચયરૂપ છે; તથાપિ ન વર્તતું હોય તેપણ તે આત્મસ્વરૂપને વિષે જ વર્તે છે. એ મન વશ થવાને ઉત્તર ઉપર લખ્યું છે, તે સર્વથી મુખ્ય એવો લખે છે. જે વાક્ય લખવામાં આવ્યાં છે તે ઘણા પ્રકારે વિચારવાને ગ્ય છે.
મહાત્માનો દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે, પ્રારબ્ધ કર્મ ભેગવવાને અર્થે, જીવોના કલ્યાણને અર્થે, તથાપિ એ બન્નેમાં તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે, એમ જાણીએ છીએ.
ધ્યાન, જપ, તપ, ક્રિયા માત્ર એ સર્વ થકી, અમે જણાવેલું કોઈ વાક્ય જે પરમ ફળનું કારણ ધારતા હો તે, નિશ્ચયપણે ધારતા હો તે, પાછળથી બુદ્ધિ લોકસંજ્ઞા, શાસ્ત્રસંજ્ઞા પર ન જતી હોય તે, જાય તે તે ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતા હો તે; તે વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હો તે, લખવાને ઈચ્છા થાય છે. હજી આથી વિશેષપણે નિશ્ચયને વિષે ધારણ કરવાને લખવું અગત્ય જેવું લાગે છે, તથાપિ ચિત્ત અવકાશરૂપે વર્તતું નથી, એટલે જે લખ્યું છે તે પ્રબળપણે માનશે. | સર્વ પ્રકારે ઉપાધિગ તે નિવૃત્ત કરવા યોગ્ય છે; તથાપિ જે તે ઉપાધિગ સત્સંગાદિકને અર્થે જ ઈરછવામાં આવતું હોય, તેમજ પાછી ચિત્તસ્થિતિ સંભવપણે રહેતી હોય તે તે ઉપાધિયેગમાં પ્રવર્તવું શ્રેયસ્કર છે.
અપ્રતિબદ્ધ પ્રણામ.
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org