SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૫ મું उ७४ મુંબઈ, વૈશાખ, ૧૯૪૮ ગમે તેટલી વિપત્તિઓ પડે, તથાપિ જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઈચ્છા કરવી યોગ્ય નથી.” ઉદય આવેલે અંતરાય સમપરિણામે દવા ગ્ય છે, વિષમ પરિણામે દવા ગ્ય નથી. તમારી આજીવિકા સંબંધી સ્થિતિ ઘણી વખત થયાં જાણવામાં છે, એ પૂર્વકર્મને યોગ છે. યથાર્થ જ્ઞાન જેમને છે એવો પુરુષ અન્યથા આચરે નહીં, માટે તમે જે આકુળતાને લઈ ઈચ્છા જણાવી, તે નિવૃત્ત કરવા ગ્ય છે. જ્ઞાની પાસે. સાંસારિક વૈભવ હોય તો પણ મુમુક્ષુએ કોઈ પણ પ્રકારે તે ઇચ્છા નથી. ઘણું કરી જ્ઞાની પાસે તેવે વૈભવ હોય છે, તે તે મુમુક્ષુની વિપત્તિ ટાળવા માટે ઉપયોગી થાય છે. પારમાર્થિક વૈભવથી જ્ઞાની, મુમુક્ષુને સાંસારિક ફળ આપવાનું છે નહીં, કારણ કે અકર્તવ્ય તે જ્ઞાની કરે નહીં. ધીરજ ન રહે એવા પ્રકારની તમારી સ્થિતિ છે એમ અમે જાણીએ છીએ, તેમ છતાં ધીરજમાં એક અંશનું પણ ન્યૂનપણું ન થવા દેવું તે તમને કર્તવ્ય છે, અને એ યથાર્થ બોધ પામવાને મુખ્ય માર્ગ છે. હાલ તે અમારી પાસે એવું કોઈ સાંસારિક સાધન નથી કે તમને તે વાટે ધીરજનું કારણ થઈએ, પણ તે પ્રસંગ લક્ષમાં રહે છે, બાકી બીજાં પ્રયત્ન તે કર્તવ્ય નથી. કઈ પણ પ્રકારે ભવિષ્યનો સાંસારિક વિચાર છોડી વર્તમાનમાં સમપણે પ્રવાતેવાને પણે પ્રવર્તવાનો દ્રઢ નિશ્ચય કરે એ તમને યોગ્ય છે. ભવિષ્યમાં જે થવા યોગ્ય હશે, તે થશે, તે અનિવાર્ય છે, એમ ગણું પરમાર્થ-પુરુષાર્થ ભણી સન્મુખ થવું એગ્ય છે. ગમે તે પ્રકારે પણ એ લોકલજજારૂપ ભયનું સ્થાનક એવું જે ભવિષ્ય તે વિસ્મરણ કરવા ગ્ય છે. તેની ચિંતા વડે પરમાર્થનું વિસ્મરણ હોય છે. અને એમ થાય તે મહા આપત્તિરૂપ છે; માટે તે આપત્તિ આવે નહીં, એટલું જ વારંવાર વિચારવા યોગ્ય છે. ઘણી વખત થયાં આજીવિકા અને લેકલજજાને ખેદ તમને અંતરમાં ભેળે થયું છે. તે વિષે હવે તે નિર્ભયપણું જ અંગીકાર કરવું એગ્ય છે. ફરી કહીએ છીએ કે તે જ કર્તવ્ય છે. યથાર્થ બેધને એ મુખ્ય માર્ગ છે. એ સ્થળે ભૂલ ખાવી એગ્ય નથી. લજજા અને આજીવિકા મિથ્યા છે. કુટુંબાદિનું મમત્વ રાખશે તેપણ જે થવાનું હશે તે થશે. તેમાં સમપણું રાખશે તે પણ જે થવા યોગ્ય હશે તે થશે; માટે નિ:શંકપણે નિરભિમાની થવું ગ્ય છે. સમપરિણામે પરિણમવું યોગ્ય છે, અને એ જ અમારે બેધ છે. આ જ્યાં સુધી નહીં પરિણમે ત્યાં સુધી યથાર્થ બંધ પણ પરિણમે નહીં. ૩૭૫ મુંબઈ, વૈશાખ, ૧૯૪૮ જિનાગમ છે તે ઉપશમસ્વરૂપ છે. ઉપશમસ્વરૂપ એવા પુરુષોએ ઉપશમને અર્થે તે પ્રરૂપ્યાં છે, ઉપદેડ્યાં છે. તે ઉપશમ આત્માર્થે છે, અન્ય કોઈ પ્રયેાજન અર્થે નથી. આત્માર્થમાં જે તેનું આરાધન કરવામાં ન આવ્યું, તે તે જિનાગમનું શ્રવણ, વાંચન નિષ્ફળરૂપ છે; એ વાર્તા અમને તે નિઃસંદેહ યથાર્થ લાગે છે. દુઃખની નિવૃત્તિને સર્વ જીવ ઈચ્છે છે, અને દુઃખની નિવૃત્તિ દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ, દ્વેષ અને અજ્ઞાનાદિ દોષની નિવૃત્તિ થયા વિના, થવી સંભવતી નથી. તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કેઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાનકાળમાં થતી નથી, ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી. એમ સર્વ જ્ઞાની પુરુષોને ભાસ્યું છે. માટે તે આત્મજ્ઞાન જીવને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy