SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૮ શ્રીમદ્ રાજચંદ્ર છે, તેા ઉદાસપણે તેમ કરીએ છીએ; મન કયાંય બાઝતું નથી, અને કંઇ ગમતું નથી; તથાપિ હાલ હરિઇચ્છા આધીન છે. નિરુપમ એવું જે આત્મધ્યાન, તીર્થંકરાદિકે કર્યું છે, તે પરમ આશ્ચર્યકારક છે. તે કાળ પણ આશ્ચર્યકારક હતા. વધારે શું કહેવું? વનની મારી કાયલ’ની કહેવત પ્રમાણે આ કાળમાં, અને આ પ્રવૃત્તિમાં અમે છીએ. ૩૬૭ મુંબઇ, વૈશાખ વદ ૧, ગુરુ, ૧૯૪૮ આપનું પત્ર પ્રાપ્ત થયું. ઉપાધિપ્રસંગ તે રહે છે, તથાપિ આત્મસમાધિ રહે છે. હાલ કંઈ જ્ઞાનપ્રસંગ લખવાનું કરશેા. નમસ્કાર પહોંચે. મુંબઇ, વૈશાખ વદ ૬, ભામ, ૧૯૪૮ હૃદયરૂપ શ્રી સુભાગ્ય, ૩૬૮ પત્ર પ્રાપ્ત થયું હતું. અત્ર સમાધિ છે. સટ્ટાને વિષે જીવ રહે છે, એ ખેદ્મની વાત છે; પણ તે તે જીવને પોતાથી વિચાર કર્યાં વિના ન સમાય એવું છે. જ્ઞાનીને વિષે જો કોઈ પણ પ્રકારે ધનાદિની વાંછા રાખવામાં આવે છે, તેા જીવને દર્શનાવરણીય કર્મના પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય છે. ઘણું કરીને જ્ઞાની તેવા પ્રતિબંધ કોઈને પાતા થકી ઉત્પન્ન ન થાય એમ વર્તે છે. જ્ઞાની પોતાનું ઉપજીવન, આજીવિકા પણ પૂર્વકર્માનુસાર કરે છે; જ્ઞાનને વિષે પ્રતિબદ્ધતા થાય એમ કરી આજીવિકા કરતા નથી, અથવા કરાવવાના પ્રસંગ ઇચ્છતા નથી, એમ જાણીએ છીએ. જ્ઞાની પ્રત્યે જેને કેવળ નિઃસ્પૃહ ભક્તિ છે, પાતાની ઇચ્છા તે થકી પૂર્ણ થતી ન દેખીને પણ જેને દેષ આવતા નથી, એવા જે જીવ છે, તેને જ્ઞાનીને આશ્રયે ધીરજથી વર્તતાં આપત્તિના નાશ હાય છે; અથવા ઘણું મંદપણું થઈ જાય છે, એમ જાણીએ છીએ; તથાપિ તેવી ધીરજ રહેવી આ કાળને વિષે બહુ વિકટ છે, અને તેથી ઉપર જણાવ્યું છે, એવું પરિણામ ઘણી વાર આવતું અટકી જાય છે. અમને તે એવી જંજાળ વિષે ઉદાસીનપણ્ વર્તે છે. આ તે સ્મરણમાં આવવાથી લખ્યું છે. અમારે વિષે વર્તતા પરમ વૈરાગ્ય વ્યવહારને વિષે ક્યારેય મન મળવા દેતા નથી, અને વ્યવહારના પ્રતિબંધ તે આખા દિવસ રાખવા પડે છે. હાલ તે એમ ઉદય સ્થિતિમાં વર્તે છે તેથી સંભવ થાય છે કે તે પણ સુખનેા હેતુ છે. અમે તે પાંચ માસ થયાં જગત, ઇશ્વર અને અન્યભાવ એ સર્વને વિષે ઉદાસીનપણે વર્તીએ છીએ, તથાપિ તે વાર્તા તમને ગાંભીર્યપણે રહી જણાવી નથી. તમે જે પ્રકારે ઇશ્વરાદિ વિષે શ્રદ્ધાશીલ છે તેમ વર્તવું તમને કલ્યાણરૂપ છે, અમને તેા કોઈ જાતના ભેદભાવ નહીં ઉત્પન્ન થતા હેાવાથી સર્વ જંજાળરૂપ વર્તે છે, એટલે ઇશ્વરાદિ સમેતમાં ઉદાસપણું વર્તે છે. આવું જે અમારું લખવું તે વાંચી કેાઈ પ્રકારે સંદેહને વિષે પડવાને યેાગ્ય તમે નથી. હાલ તા અમે અત્રપણે વર્તીએ છીએ, એટલે કોઇ પ્રકારની જ્ઞાનવાર્તા પણુ જણાવી શકાતી નથી; પણ મેાક્ષ તે કેવળ અમને નિકટપણે વર્તે છે, એ તા નિઃશંક વાર્તા છે. અમારું જે ચિત્ત ૧. મણિભાઈ સૌભાગ્યભાઈ વિષે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy