SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિરૂપ વર્ષ ૨૫ મું ૩ર૭ : જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે, એમ જે લખ્યું છે, તે એવા આશયથી લખ્યું છે કે તેને મૃત્યુને માટે નિર્ભયપણું વર્તે છે. જેને એમ હોય તેને પછી અનિત્યપણુ વિષે રહ્યા છે, એમ કહીએ નહીં, તે તે વાત સત્ય છે. ખરું આત્મભાન થાય છે તેને, હું અન્ય ભાવને અકર્તા છું એ બધ ઉત્પન્ન થઈ, અહં પ્રત્યયબુદ્ધિ, તે વિલય પામે છે. - એવું જે આત્મભાન તે વારંવાર ઉજજવળપણે ત્યાં કરે છે, તથાપિ જેમ ઈચ્છીએ તેમ તે નહીં. અત્ર સમાધિ છે. ૩૬૩ મુંબઈ, વૈશાખ સુદ ૫, રવિ, ૧૯૪૮ હાલ તે અનુક્રમે ઉપાધિગ વિશેષ વિત્ય કરે છે. વધારે શું લખવું? વ્યવહારના પ્રસંગમાં ધીરજ રાખવી એગ્ય છે. એ વાત વિસર્જન નહીં થતી હોય, એમ ધારણા રહ્યા કરે છે. અનંતકાળ વ્યવહાર કરવામાં વ્યતીત કર્યો છે, તે તેની જંજાળમાં પરમાર્થ વિસર્જન ન કરાય એમ જ વર્તવું, એ જેને નિશ્ચય છે, તેને તેમ હોય છે, એમ અમે જાણીએ છીએ. વનને વિષે ઉદાસીનપણે સ્થિત એવા જે લેગીઓ-–તીર્થંકરાદિક–તેનું આત્મ સાંભરે છે. ૩૬૪ મુંબઈ, વૈશાખ સુદ ૯, ગુરુ, ૧૯૪૮ હૃદયરૂપ શ્રી સુભાગ્ય, અત્ર સમાધિ છે. બાહ્યોપાધિ છે. કંઈ હાલ જ્ઞાનવાર્તા લખવાને વ્યવસાય એ છે રાખે છે, તેને પ્રકાશિત કરશે. ૩૬૫ મુંબઈ, વૈશાખ સુદ ૧૧, શનિ, ૧૯૪૮ આજે પતું પહોંચ્યું છે. વ્યવસાય વિશેષ રહે છે. પ્રાણુવિનિમય’ નામનું મેસમેરિઝમનું પુસ્તક વાંચવામાં આગળ આવી ગયું છે, એમાં જણાવેલી વાત કંઈ મોટી આશ્ચર્યકારક નથી, તથાપિ એમાં કેટલીક વાત અનુભવ કરતાં અનુમાનથી લખી છે. તેમાં કેટલીક અસંભવિતતા છે. જેને આત્મત્વ પ્રત્યે ધ્યેયતા નથી, એને એ વાત ઉપયોગી છે, અને તે તે પ્રત્યે કંઈ લક્ષ આપી સમજાવવાની ઈચ્છા થતી નથી, અર્થાત્ ચિત્ત એવા વિષયને ઈચ્છતું નથી. અત્ર સમાધિ છે. બાહ્ય પ્રતિબદ્ધતા વર્તે છે. સસ્વરૂપપૂર્વક નમસ્કાર, - ૩૬૬ મુંબઈ, વૈશાખ સુદ ૧૨, રવિ, ૧૯૪૮ હૃદયરૂપ શ્રી સુભાગ્ય, જ મનમાં વારંવાર વિચારથી નિશ્ચય થઈ રહ્યો છે કે કઈ પણ પ્રકારે ઉપગ ફરી અન્ય ભાવમાં પિતાપણું થતું નથી, અને અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે, એવી જે દશા તેને વિષે વિકટ ઉપાધિગને ઉદય એ આશ્ચર્યકારક છે હાલમાં તે થોડી ક્ષણની નિવૃત્તિ માંડ રહે છે, અને પ્રવૃત્તિ કરી શકે એવી યોગ્યતાવાળું તે ચિત્ત નથી, અને હાલ તેવી પ્રવૃત્તિ કરવી એ કર્તવ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy