SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૪ મું ૩૦૧ તે તે વાણીનો અનંત ભાગ માંડ આવી શકે; એવી તે દશા તે સર્વનું કારણ એવું જે પુરુષોત્તમ સ્વરૂપ તેને વિષે અમને તમને અનન્ય પ્રેમભક્તિ અખંડ રહે તે પ્રેમભક્તિ પરિપૂર્ણ પ્રાપ્ત થાઓ એ જ પ્રયાચના ઇરછી અત્યારે અધિક લખતે નથી. ૨૮૧ વવાણિયા, ભાદરવા વદ ૧૩, બુધ, ૧૯૪૭ કળિયુગ છે એટલે વધારે વખત ઉપજીવિકાને વિયેગ રહેવાથી યથાયોગ્ય વૃત્તિ પૂર્વાપર ન રહે. વિ૦ રાયચંદના ય૦ ૨૮૨ વવાણિયા, ભાદ્રપદ વદ ૧૪, ગુરુ, ૧૯૪૭ પરમ વિશ્રામ સુભાગ્ય, પનું મળ્યું. અત્રે ભક્તિ સંબંધી વિહલતા રહ્યા કરે છે, અને તેમ કરવામાં હરિઇચ્છા સુખદાયક જ માનું છું. મહાત્મા વ્યાસજીને જેમ થયું હતું, તેમ અમને હમણાં વર્તે છે. આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી આનંદસંપન્ન થયા નહોતા; કારણ કે હરિરસ અખંડપણે ગાયો નહોતે. અમને પણ એમ જ છે. અખંડ એ હરિરસ પરમ પ્રેમે અખંડપણે અનુભવતાં હજુ ક્યાંથી આવડે ? અને જ્યાં સુધી તેમ નહીં થાય ત્યાં સુધી અમને જગતમાંની વસ્તુનું એક અણુ પણ ગમવું નથી. ભગવાન વ્યાસજી જે યુગમાં હતા, તે યુગ બીજે હતે આ કળિયુગ છે; એમાં હરિસ્વરૂપ, હરિનામ અને હરિજન દ્રષ્ટિએ નથી આવતાં, શ્રવણમાં પણ નથી આવતાં; એ ત્રણેમાંના કેઈ સ્મૃતિ થાય એવી કઈ પણ ચીજ પણ દ્રષ્ટિએ નથી આવતી. બધાં સાધન કળિયુગથી ઘેરાઈ ગયાં છે. ઘણું કરીને બધાય જીવ ઉન્માર્ગે પ્રવર્તે છે, અથવા સન્માર્ગની સન્મુખ વર્તતા નજરે નથી પડતા. ક્વચિત્ મુમુક્ષુ છે, પણ તેને હજી માર્ગને નિકટ સંબંધ નથી. નિષ્કપટીપણું પણ મનુષ્યમાંથી ચાલ્યા ગયા જેવું થયું છે, સન્માર્ગને એક અંશ અને તેનો પણ શતાંશ તે કઈ આગળ પણ દ્રષ્ટિએ પડતું નથી; કેવળજ્ઞાનને માર્ગ તે તે કેવળ વિસર્જન થઈ ગયો છે. કેણ જાણે હરિની ઈચ્છા શું છે ? આ વિકટ કાળ તે હમણાં જ જોયે. કેવળ મંદ પુણ્યવાળાં પ્રાણી જોઈ પરમ અનુકંપા આવે છે. અમને સત્સંગની ન્યૂનતાને લીધે કંઈ ગમતું નથી. ઘણી વાર થોડે થોડે કહેવાઈ ગયું છે, તથાપિ ચેખા શબ્દોમાં કહેવાયાથી સ્મૃતિમાં વધારે રહે એટલા માટે કહીએ છીએ કે કેઈથી અર્થસંબંધ અને કામસંબંધ તે ઘણા કાળ થયાં ગમતાં જ નથી. હમણ ધર્મસંબંધ અને મોક્ષસંબંધ પણ ગમતું નથી. ધર્મસંબંધ અને મેક્ષસંબંધ તે ઘણું કરીને ભેગીઓને પણ ગમે છે, અને અમે તે તેથી પણ વિરક્ત રહેવા માગીએ છીએ. હાલ તે અમને કંઈ ગમતું નથી, અને જે કંઈ ગમે છે, તેનો અતિશય વિયેગ છે. વધારે શું લખવું? સહન જ કરવું એ સુગમ છે. ૨૮૩ વવાણિયા, ભાદરવા વદ ૦)), શુક્ર, ૧૯૪૭ પરમ પૂજ્ય શ્રી સુભાગ્ય, અત્ર હરિઇચ્છાનુસાર પ્રવૃત્તિ છે. ભગવત્ મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે, એમ લાગે છે. એ ભગવતને લેભ શા માટે હશે ? વિ૦ રાયચંદના પ્રણામ. Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org www.jainelibrary.
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy