SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ શ્રીમદ્ રાજચંદ્ર ૨૭૫ વવાણિયા, ભા. વદ ૫, બુધ, ૧૯૪૭ આજે આપનું પતું ૧ આવ્યું. તે વાંચી સર્વાત્માનું ચિંતન અધિક સાંભર્યું છે. સત્સંગને અમને વારંવાર વિગ રાખ એવી હરિની ઈચ્છા સુખદાયક કેમ મનાય ? તથાપિ માનવી પડે છે. ...ને દાસત્વભાવથી વંદન કરું છું, એમની ઈચ્છા “સત્’ પ્રાપ્ત કરવા માટે તીવ્ર રહેતી હોય તોપણ સત્સંગ વિના તે તીવ્રતા ફળદાયક થવી દુર્લભ છે. અમને તે કાંઈ સ્વાર્થ નથી; એટલે કહેવું યોગ્ય છે કે કેવળ “સત્થી વિમુખ એવે માર્ગ પ્રાયે તેઓ વર્તે છે. જે તેમ વર્તતા નથી તે હાલ તે અપ્રગટ રહેવા ઇરછે છે. આશ્ચર્યકારક તે એ છે કે, કળિકાળે થોડા વખતમાં પરમાર્થને ઘેરી લઈ અનર્થને પરમાર્થ બનાવ્યો છે. ૨૭૬ વવાણિયા, ભાદરવા વદ ૭, ૧૯૪૭ વિગતવાર પત્ર અને ધર્મજવાળું પતું પ્રાપ્ત થયું. હાલ ચિત્ત પરમ ઉદાસીનતામાં વર્તે છે. લખવા વગેરેમાં પ્રવૃત્તિ થતી નથી. જેથી તમને વિશેષ વિગતથી કંઈ લખવાનું બની શકતું નથી. ધર્મજ જણાવશે કે આપને મળવા માટે હું (એટલે કે અંબાલાલ) ઉત્કંઠિત છું. આપના જેવા પુરુષના સત્સંગમાં આવવા મને કઈ શ્રેષ્ઠ પુરુષની આજ્ઞા છે. તે બનતાં સુધી દર્શન કરવા આવીશ. તેમ બનવામાં કદાપિ કેઈ કારણે વિલંબ થયો તે પણ આપને સત્સંગ કરવાની ઈચ્છા મને મંદ નહીં થાય. એ પ્રમાણેના અર્થથી લખશે. હાલ કઈ પણ પ્રકારે ઉદાસીન રહેવું યોગ્ય નથી. અમારા વિષેની કંઈ પણ વિગત તેઓને હાલ લખવાની નથી. ૨૭૭ વવાણિયા, ભાદ્રપદ વદ ૭, ૧૯૪૭ ચિત્ત ઉદાસ રહે છે, કંઈ ગમતું નથી અને જે કંઈ ગમતું નથી તે જ બધું નજરે પડે છે તે જ સંભળાય છે. ત્યાં હવે શું કરવું? મન કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કરી શકતું નથી. જેથી પ્રત્યેક કાર્ય મુલતવાં પડે છે; કાંઈ વાંચન, લેખન કે જનપરિચયમાં રૂચિ આવતી નથી. ચાલતા મતના પ્રકારની વાત કાને પડે છે કે હૃદયને વિષે મૃત્યુથી અધિક વેદના થાય છે. સ્થિતિ કાં તમે જાણો છે કાં સ્થિતિ વીતી ગઈ છે તે જાણે છે, અને હરિ જાણે છે. ૨૭૮ વવાણિયા, ભાદ્રપદ વદ ૧૦, રવિ, ૧૯૪૭ આત્મામાં રમણ કરી રહ્યા છે, એવા નિગ્રંથ મુનિએ પણ નિષ્કારણ ભગવાનની ભક્તિમાં પ્રવર્તે છે, કારણ કે ભગવાનના ગુણ એવા જ છે.” – શ્રીમદ્ ભાગવત, ૧ સ્કંધ, ૭ અ., ૧૦ શ્લેક. ૨૭૯ વવાણિયા, ભાદ્રપદ વદ ૧૧, સોમ, ૧૯૪૭ જીવને જ્યાં સુધી સંતને જોગ ન થાય ત્યાં સુધી મતમતાંતરમાં મધ્યસ્થ રહેવું યોગ્ય છે. ૨૮૦ વવાણિયા, ભાદ્રપદ વદ ૧૨, ભેમ, ૧૯૪૭ જણાવ્યા જેવું તે મન છે, કે જે સસ્વરૂપ ભણું અખંડ સ્થિર થયું છે (નાગ જેમ મોરલી ઉપર), તથાપિ તે દશ વર્ણવવાની સત્તા સર્વાધાર હરિએ વાણીમાં પૂર્ણ મૂકી નથી; અને લેખમાં १. आत्मारामाश्च मुनयो निग्रंथा अप्युरुक्रमे । યુર્વચહૈસુર મરિમિથંમૂતળિો ઃિ | સ્કંધ ૧, અ. ૭, લેક ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy