SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪. ૨૮૪ શ્રીમદ્ રાજચંદ્ર તે થઈ શકશે. પણ તેથી આપને, અમને અને ઘણું જીવને કર્મને દીર્ઘબંધ થશે, સિવાય બીજું ફળ નહીં આવે. અને અન્ય લેકે રાજી થશે. માટે શાંત દ્રષ્ટિ રાખવી એગ્ય છે.” આવું કઈ પ્રસંગે કહેવું ઘટે તે કહેવું. પણ તે કંઈક પ્રસન્નતામાં દેખાય ત્યારે કહેવું. અને કહેતાં તેની પ્રસન્નતા વધતી જતી હોય, અથવા અપ્રસન્નતા થતી ન દેખાતી હોય ત્યાં સુધી કહેવું. બીજા ત્રીજા માણસે દ્વારા તે આડીઅવળી વાત ફેલાવે અથવા બીજા તેવી વાત લાવે તે કહેવું કે તમારે બધાને કષાય કરવાનો હેતુ મારા સમજવામાં છે. કોઈ બાઈ, ભાઈ પર કલંકની વાત ચડાવતાં આટલો બધે રાજી રાખે છે તેમાં ક્યાંક માઠું થઈ જશે. મારી સાથે તમારે વધારે વાત ન કરવી. તમારે તમારું કરવું. એવી રીતે મેગ્ય ભાષામાં અવસર દેખાય ત્યારે કહેવું. બાકી શાંત રહેવું. મનમાં મુઝવું નહીં. ઉપાશ્રયે જવું, ન જવું, સાણંદ જવું, ન જવું તે અવસરેચિત જેમ તમને લાગે તેમ કરશે. પણ મુખ્યપણે શાંત રહેશે અને સિદ્ધ કરી દેવા સંબંધી કાંઈ પણ ખવટ પર ધ્યાન આપશે નહીં. એવું ધૈર્ય રાખી, આત્માર્થમાં નિર્ભય રહેજે. વાત લાવનારને કહેવું કે મનની કલ્પિત વાતે શા માટે ચલાવે છે? કંઈક પરમેશ્વરી ડર રાખે તે સારું. એમ એગ્ય શબ્દોમાં કહેવું, આત્માર્થમાં પ્રયત્ન કરવું. મુંબઈ, વૈશાખ સુદ ૨, ૧૯૪૭ | સર્વાત્માના અનુગ્રહથી અત્ર સમાધિ છે. બાહ્યોપાધિગ વર્તે છે. તમારી ઈચ્છા સ્મૃતિમાં છે. અને તે માટે તમારી અનુકૂળતા પ્રમાણે કરવાને તૈયાર છીએ; તથાપિ એમ તે રહે છે કે હવેને અમારે સમાગમ એકાંત અજાણ સ્થળમાં થવે કલ્યાણક છે. અને તેવો પ્રસંગ લક્ષમાં રાખવાનું પ્રયત્ન છે. નહીં તે પછી તમને તમારી અનુકૂળતા પ્રમાણે કરવાનું સમ્મત છે. ભાઈ ત્રિભવનને પ્રણામ કહેશે. તમે બધા જે સ્થળમાં (પુરુષમાં) પ્રીતિ કરે છે, તે શું ખરાં કારણને લઈને છે? ખરા પુરુષને આપણે કેમ ઓળખીએ? ર૪૪ મુંબઈ, વૈશાખ સુદ ૭, શુક્ર, ૧૯૪૭ પરબ્રહ્મ આનંદમૂર્તિ છે, તેને ત્રણે કાળને વિષે અનુગ્રહ ઈચ્છીએ છીએ. કેટલેક નિવૃત્તિને વખત મળ્યા કરે છે, પરબ્રહ્મવિચાર તે એમ ને એમ રહ્યા જ કરે છે, કયારેક તે તે માટે આનંદકિરણ બહુ ફુરી નીકળે છે, અને કંઈની કંઈ (અભેદ) વાત સમજાય છે, પણ કઈને કહી શકાતી નથી; અમારી એ વેદના અથાગ છે. વેદનાને વખતે શાતા પૂછનાર જોઈએ, એ વ્યવહારમાર્ગ છે; પણ અમને આ પરમાર્થમાર્ગમાં શતા પૂછનાર મળતો નથી; અને જે છે તેનાથી વિયેગ રહે છે. ત્યારે હવે જેને વિયેગ છે એવા જે તમે તે અમને કોઈ પણ પ્રકારે શાતા પૂછે એમ માગીએ છીએ. – ૨૪૫ મુંબઈ, વૈશાખ સુદ ૧૩, ૧૯૪૭ નિર્મળ પ્રીતિએ અમારા યથાયોગ્ય સ્વીકારજો. ભાઈ ત્રિભવન અને છોટાલાલ વગેરેને કહેજે, ઈશ્વરેચ્છાને લીધે ઉપાધિગ છે માટે તમારાં વાક્યો પ્રત્યે ઉપેક્ષા રાખવી પડે છે અને તે ક્ષમા આપવા યોગ્ય છે. ૨૪૬ મુંબઈ, વૈશાખ વદ ૩, ૧૯૪૭ વિરહ પણ સુખદાયક માન. અતિશય વિરહાગ્નિ હરિ પ્રત્યેની જલવાથી સાક્ષાત્ તેની પ્રાપ્તિ હોય છે. તેમ જ સંતના વિરહાનુભવનું ફળ પણ તે જ છે. ઈશ્વરેચ્છાથી આપણું સંબંધમાં તેમ જ માનશો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy