SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૪ મું ૨૮૩ તમને પિષણરૂપ થશે. એ મને મોટો સંતેષને માર્ગ મળે છે. તેમને પત્ર લખશે. જ્ઞાનકથા લખશે તે હું વિશેષ પ્રસન્ન છું. ૨૪૧ મુંબઈ, ચૈત્ર વદ ૧૪, ગુરુ, ૧૯૪૭ જેને લાગી છે તેને જ લાગી છે અને તેણે જ જાણે છે તે જ “પિયુ પિયુ” પોકારે છે. એ બ્રાહ્મી વેદના કહી કેમ જાય ? કે જ્યાં વાણીને પ્રવેશ નથી. વધારે શું કહેવું ? લાગી છે તેને જ લાગી છે. તેના જ ચરણસંગથી લાગે છે, અને લાગે છે ત્યારે જ છૂટકો હોય છે. એ વિના બીજે સુગમ મેક્ષમાર્ગ છે જ નહીં. તથાપિ કઈ પ્રયત્ન કરતું નથી ! મેહ બળવાન છે! ૨૪૨ મુંબઈ, ચૈત્ર, ૧૯૪૭ તમારા કાગળ પ્રાપ્ત થયા છે. આ પત્ર આવવા વિષે સર્વથા ગંભીરતા રાખો. તમે સૌ ધીરજ રાખજે અને નિર્ભય રહેજે. સુદ્રઢ સ્વભાવથી આત્માર્થનું પ્રયત્ન કરવું. આત્મકલ્યાણ પ્રાપ્ત થવામાં ઘણું કરીને વારંવાર પ્રબળ પરિષહ આવવાને સ્વભાવ છે, પણ જો તે પરિષહ શાંત ચિત્તથી વેચવામાં આવે છે, તે દીર્ઘ કાળે થઈ શકવા ગ્ય એવું કલ્યાણ બહુ અ૫ કાળમાં સાધ્ય થાય છે. - તમે સૌ એવા શુદ્ધ આચરણથી વર્તજે કે વિષમ દ્રષ્ટિએ જોનાર માણસેમાંથી ઘણાને પિતાની તે દ્રષ્ટિને કાળ જતાં પશ્ચાત્તાપ કરવાનો વખત આવે. નિરાશ ન થવું. ઉપાશ્રયે જવાથી શાંતિ પસરાતી હોય તેમ કરવું. સાણંદ જવાથી અશાંતિ ઓછી થતી હોય તે તેમ કરવું. વંદન, નમસ્કાર કરતાં આજ્ઞાને અતિક્રમ નથી. ઉપાશ્રયે જવાની વૃત્તિ થાય તે મનુષ્યને બહુ સમુદાય હોય ત્યારે ન જવું, તેમ સર્વથા એકાંતમાં પણ ન જવું. માત્ર થોડાક એગ્ય માણસ હોય ત્યારે જવું. અને જવું તે કેમે કરી જવાનું રાખવું, કવચિત્ ફ્લેશ કરે તે સહન કરે. જતાં જ પ્રથમથી બળવાન ફ્લેશ કરવાની વૃત્તિ દેખાય તે કહેવું કે “આવો ફ્લેશ માત્ર વિષમ દ્રષ્ટિવાળા માણસે ઉત્પન્ન કરાવે છે. અને જો તમે ધીરજ રાખશે તે અનુક્રમે તે કારણે તમને જણાઈ રહેશે. વગર કારણે નાના પ્રકારની કલ્પના ફેલાવવાને જેને ભય ન હોય તેને આવી પ્રવૃત્તિ યોગ્ય છે. તમારે ક્રોધાતુર થવું યોગ્ય નથી. તેમ થવાથી ઘણું જેને માત્ર રાજીપો થશે. સંઘાડાની, ગચ્છની અને માર્ગની વગર કારણે અપકીર્તિ થવા પ્રત્યે તમારે ન જવું જોઈએ. અને જે શાંત રહેશે તે અનુક્રમે આ ફ્લેશ સર્વથા શમી જશે. લેક તે જ વાત કરતાં હોય તે તે તમારે નિવારવી ગ્ય છે, ત્યાં તેને ઉત્પન્ન કરવા જેવું અથવા વધારવા જેવું ન કથવું જોઈએ. પછી જેમ આપની ઈચ્છા.” લલ્લુજી પ્રત્યે તમે મારે માટે કહેલું છે તે વાત સિદ્ધ કરવા હું માગું છું એમ જણાવે તે જણાવવું કે “તે મહાત્મા પુરુષ અને તમે ફરી મળે ત્યારે તે વાતને યથાર્થ ખુલાસો મેળવી મારા પ્રત્યે કોધાતુર થવું એગ્ય લાગે તે તેમ કરશે. હાલ તમે તે વિષે યથાર્થ ખુલાસેથી શ્રવણ નહીં કર્યું હોય એમ જણાય છે. તમારા પ્રત્યે દ્વેષબુદ્ધિ કરવાનું મને કહ્યું નથી. તેમ તમારા માટે વિસંવાદ ફેલાવવાની વાત પણ કેઈને મેઢે મેં કરી નથી. આવેશમાં કિંચિત્ વચન નીકળ્યું હોય તે તેમ પણ નથી. માત્ર ષવાન ની આ બધી ખટપટ છે. તેમ છતાં જો તમે કંઈ આવેશ કરશે તે હું તે પામર છું એટલે શાંત રહ્યા સિવાય બીજો કોઈ મારે ઉપાય નથી, પણ આપને લેકના પક્ષનું બળ છે, એમ ગણી જે આવેશ કરવા જશે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy