SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ર૪ મું ૨૮૫ પૂર્ણકામ એવું હરિનું સ્વરૂપ છે. તેને વિષે જેની નિરંતર લય લાગી રહી છે એવા પુરુષથી ભારતક્ષેત્ર પ્રાયે શૂન્યવત થયું છે. માયા મેહ સર્વત્ર ભળાય છે. ક્વચિત્ મુમુક્ષુ જોઈએ છીએ; તથાપિ મતાંતરાદિકના કારણેથી તેમને પણ જેમ દુર્લભ થાય છે. અમને વારંવાર આપ જે પ્રેરે છે, તે માટે અમારી જેવી જોઈએ તેવી જગ્યતા નથી; અને હરિએ સાક્ષાત્ દર્શનથી જ્યાં સુધી તે વાત પ્રેરી નથી ત્યાં સુધી ઈચ્છા થતી નથી, થવાની નથી. ૨૪૭ મુંબઈ, વૈશાખ વદિ ૮, રવિ, ૧૯૪૭ હરિને પ્રતાપે હરિનું સ્વરૂપ મળશું ત્યારે સમજાવશું (1) ઉપાધિના જેગે અને ચિત્તના કારણથી કેટલાક સમય સવિગત પત્ર વગર વ્યતીત કર્યો છે, તેમાં પણ ચિત્તની દશા મુખ્ય કારણરૂપ છે. હાલમાં આપ કેવા પ્રકારથી કાળ વ્યતીત કરે છે, તે જણાવશે, અને શું ઈચ્છા રહે છે, તે પણ જણાવશે. વ્યવહારનાં કાર્ય વિષે શું પ્રવૃત્તિ છે, અને તે વિષે શું ઈચ્છા રહે છે, તે પણ જણાવશો. એટલે કે તે પ્રવૃત્તિ સુખરૂપ લાગે છે કે કેમ? તે જણાવશે. ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે, જેથી વ્યવહારનાં બધાં કાર્ય ઘણું કરીને અવ્યવસ્થાથી કરીએ છીએ. હરિઇચ્છા સુખદાયક માનીએ છીએ. એટલે જે ઉપાધિગ વર્તે છે, તેને પણ સમાધિ છીએ. ચિત્તની અવ્યવસ્થાને લીધે મુહૂર્તમાત્રમાં કરી શકાય એવું કાર્ય વિચારતાં પણ પખવાડિયું વ્યતીત કરી નખાય છે, અને વખતે તે કર્યા વિના જ જવા દેવાનું થાય છે. બધા પ્રસંગમાં તેમ થાય તેપણ હાનિ માની નથી, તથાપિ આપને કંઈ કંઈ જ્ઞાનવાર્તા દર્શાવાય તે વિશેષ આનંદ રહે છે અને તે પ્રસંગમાં ચિત્તને કંઈક વ્યવસ્થિત કરવાની ઈચ્છા રાખ્યા કરાય છે, છતાં તે સ્થિતિમાં પણ હમણું પ્રવેશ નથી કરી શકાતે. એવી ચિત્તની દશા નિરંકુશ થઈ રહી છે, અને તે નિરંકુશતા પ્રાપ્ત થવામાં હરિને પરમ અનુગ્રહ કારણ છે એમ માનીએ છીએ. એ જ નિરંકુશતાને પૂર્ણતા આપ્યા સિવાય ચિત્ત યાચિત સમાધિયુક્ત નહીં થાય એમ લાગે છે અત્યારે તે બધુંય ગમે છે, અને બધુંય ગમતું નથી, એવી સ્થિતિ છે. જ્યારે બધુંય ગમશે ત્યારે નિરંકુશતાની પૂર્ણતા થશે. એ પૂર્ણકામતા પણ કહેવાય છે, જ્યાં હરિ જ સર્વત્ર સ્પષ્ટ ભાસે છે. અત્યારે કંઈક અસ્પષ્ટ ભાસે છે, પણ સ્પષ્ટ છે એ અનુભવ છે. જે રસ જગતનું જીવન છે, તે રસને અનુભવ થવા પછી હરિ પ્રત્યે અતિશય લય થઈ છે. અને તેનું પરિણામ એમ આવશે કે જ્યાં જે રૂપે ઈચ્છીએ તેવે રૂપે હરિ...............આવશે, એ ભવિષ્યકાળ ઈશ્વરેચ્છાને લીધે લખે છે. અમે અમારો અંતરંગ વિચાર લખી શકવાને અતિશય અશક્ત થઈ ગયા છીએ, જેથી સમાગમને ઈચ્છીએ છીએ, પણ ઈશ્વરેચ્છા હજુ તેમ કરવામાં અસમ્મત લાગે છે, જેથી વિગે જ વર્તીએ છીએ. તે પૂર્ણસ્વરૂપ હરિમાં પરમ જેની ભક્તિ છે, એ કોઈ પણ પુરુષ હાલ નથી દેખાતે તેનું શું કારણ હશે? તેમ તેવી અતિ તીવ્ર અથવા તીવ્ર મુમુક્ષતા કેઈની જોવામાં આવી નથી તેનું શું કારણ હશે? વચિત તીવ્ર સમક્ષતા જોવામાં આવી હશે તે ત્યાં અનંતગુણગંભીર જ્ઞાનાવત પુરુષને લક્ષ કેમ જોવામાં આવ્યો નહીં હોય? એ માટે આપ જે લાગે તે લખશે. બીજું મોટું આશ્ચર્યકારક તે એ છે કે આપ જેવાને સમ્યકજ્ઞાનના બીજની, પરાભક્તિના મૂળની પ્રાપ્તિ છતાં ત્યાર પછીને ભેદ કેમ પ્રાપ્ત નથી હોત ? તેમ હરિ પ્રત્યે અખંડ લયરૂપ વૈરાગ્ય જેટલું જોઈએ તેટલે કેમ વર્ધમાન નથી થતો? એનું જે કંઈ કારણ સમજાતું હોય તે લખશે. અમારી ચિત્તની અવ્યવસ્થા એવી થઈ જવાને લીધે કઈ કામમાં જેવો જોઈએ તેવો ઉપયોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy